________________
१ स्थानाध्ययने लेश्यावर्णनम् ५१ सूत्रम्
श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १ પુંજ ઉદય થાય છે ત્યારે તેના ઉદયવલથી જીવને અર્ધવિશુદ્ધરૂપ અરિહંતોએ કહેલું–જોવાયેલ તત્ત્વોનું શ્રદ્ધાન થાય છે ત્યારે મિશ્રશ્રદ્ધાન વડે આ જીવ સમ્યગૃમિથ્યાદૃષ્ટિ થાય છે. તે જીવ અંતર્મુહૂર્ત પર્યત મિશ્રષ્ટિપણે રહે છે. ત્યારબાદ અવશ્ય સમ્યકત્વપુંજને અથવા મિથ્યાત્વપુંજને પામે છે. સમ્યગદૃષ્ટિ, મિથ્યાદૃષ્ટિ અને મિશ્રષ્ટિ વડે વિશેષિત અન્ય દંડક કહ્યો. દંડકમાં નારક અને દશ અસુરાદિ એ અગ્યાર પદોને વિષે ત્રણ દૃષ્ટિ છે, આથી કહ્યું છે કે—'વં નાવ થયે' ત્યાદિ. પૃથ્વી આદિ પાંચ દંડકમાં એક મિથ્યાત્વદૃષ્ટિ જ છે. તે કારણથી પૃથ્વી આદિને મિથ્યાત્વ વડે જ કથન કરાયેલ છે. કહ્યું છે કે'વોક્તસેસયમિચ્છ' (નીવસમાસ રદ્દ 7િ] ચૌદે ગુણસ્થાનકવાળા ત્રસ જીવો છે, સ્થાવરો તો મિથ્યાદૃષ્ટિવાળા જ છે. બેઇદ્રિય આદિ ત્રણ દંડકનાં જીવોને મિશ્રદૃષ્ટિ નથી, કારણ કે સંગ્નિ જીવોને જ મિશ્રષ્ટિનો સદ્ભાવ છે; તેથી તેઓને વિષે સમ્યગદૃષ્ટિ અને મિથ્યાષ્ટિપણાએ જ વ્યપદેશ કરેલ છે. એવી રીતે તેરૃરિયાઇifપ વરિયાઈifi'ત્તિ દ્વીન્દ્રિયની માફક ત્રણ ઇદ્રિય અને ચાર ઇંદ્રિયવાળાઓને પણ બે દૃષ્ટિના કથન વડે વર્ગણાનું એકપણું કહેવું. પંચેદ્રિય તિર્યંચ આદિ પાંચ દંડકોમાં દર્શન (દૃષ્ટિ) ત્રણ' પણ છે, તેથી ત્રણ પ્રકારે પણ તેનું કથન છે. આ કારણથી જ કહ્યું છે– સા નહીં નેરફય'ત્તિ અથતિ જેવી રીતે નારકના દંડકમાં વર્ગણા કહેલી છે તેમ કહેવી. વળી દંડક પર્યત આ સૂત્ર– સમ્મિિક્રયા વેમાયા વIV, પર્વ મિચ્છિિક્રયા, વં સમ્માનિચ્છિિઢયા' અહિં સુધી કહે છે.—‘નાવ / સમિચ્છે ત્યાદિ રૂ "L
પરિવયા' ઇત્યાદિ કૃષ્ણપાક્ષિક અને શુક્લપાક્ષિકનાં લક્ષણ કહે છે. जेसिमवड्डो पोग्गल-परियट्टो सेसओ उ संसारो । ते सुक्कपक्खिया खलु, अहिए पुण किण्हपक्खीआ ।।१०९।।
[શ્રાવ ૦ ૭૨ ઉત્ત] જે જીવોનો અપાદ્ધ-કંચિત્ જૂન પુગલપરાવર્ત સંસાર બાકી રહ્યો હોય તે નિશ્ચયથી શુક્લપાલિકો કહેવાય છે અને જેઓનો અદ્ધપુદ્ગલપરાવર્તથી અધિક સંસાર હોય તે કૃષ્ણપાક્ષિકો કહેવાય છે. (૧૦)
આ બે પક્ષો વડે વિશેષિત આ ચોથો દંડક છે. ૪. 'I ફ્લેસાઇ' મિત્યાદિ જેનાથી જીવ કર્મની સાથે ચોંટે છે તે લેશ્યા, યલોહેં–ા રૂવ વવંધ0 ફર્મવંધસ્થિતિવિધાઃ '2 વર્ણબંધ-ચિત્રકાર્યમાં શ્લેષ (સરસ)ની જેમ કર્મબંધની સ્થિતિને કરનારી આ વેશ્યાઓ છે. તથા कृष्णादिद्रव्यसाचिव्यात् परिणामो च आत्मनः । स्फटिकस्येव तत्रायं लेश्याशब्दः प्रयुज्यते ।।११०।।
“કૃષ્ણાદિ દ્રવ્યની સહાયતાથી સ્ફટિકની જેમ આત્માનો જે પરિણામ, તે પરિણામમાં આ “લેશ્યા' શબ્દ જોડાય છે.” (૧૧૦)
આ વેશ્યા, યોગની પરિણતિરૂપ હોવાથી અને યોગ શરીરનામકર્મની પરિણતિવિશેષ છે તેથી શરીરનામકર્મની પરિણતિરૂપ છે. પ્રજ્ઞાપના સૂત્રની ટીકાના કરનારા શ્રીમાન્ હરિભદ્રસૂરિએ યોગનો પરિણામ તે વેશ્યા છે, એમ કહ્યું છે. શંકા–યોગનો પરિણામ લેશ્યા કેમ કહેવાય? સમાધાન–જે હેતુથી સયોગી કેવલી, શુક્લલેશ્યાના પરિણામ વડે વિચરીને આયુષ્યનું શેષ અંતર્મુહૂર્ત રહતે છતે યોગનું સંધાન કરે છે, તેથી અયોગીપણું અને અલેશ્યપણું પ્રાપ્ત કરે છે–આ કારણથી જણાય છે કે યોગનો પરિણામ તે વેશ્યા. વળી તે યોગ શરીરનામકર્મની પરિણતિવિશેષ છે, તેથી કહેલું છે કે—'ફર્ન દિ ફાર્માસ્ય જામન્વેષાં વ શરીરના તિ'–કર્મ જ કામણ શરીરનું અને અન્ય ઔદારિકાદિ શરીરોનું કારણ છે, તેથી ઔદારિક શરીર યુક્ત આત્માનો જે વીર્યપરિણતિવિશેષ તે (૧) કાયયોગ છે. તથા ઔદારિક, વૈક્રિય અને આહારક શરીરના વ્યાપાર વડે ગ્રહણ કરેલ ભાષાવર્ગણાના દ્રવ્યના સમૂહની સહાયતાથી જે જીવનો વ્યાપાર તે (૨) વચનયોગ. તથા ઔદારિકાદિ શરીરના વ્યાપાર વડે ગ્રહણ કરેલ મનોવર્ગણાના દ્રવ્યના સમૂહની સહાયતાથી જે જીવનો વ્યાપારતે (૩) મનોયોગ. તેથી જેવી રીતે કાયાદિકરણયુક્ત 1. સંગ્નિ પંચેદ્રિય જીવને ત્રણ દૃષ્ટિ હોય છે અને અસંશિને મિશ્રદૃષ્ટિ ન હોવાથી ટીકામાં 'પ' શબ્દ ગ્રહણ કરેલ છે. 2. આ શ્લોક પ્રશમરતિ ગ્રંથના ૩૮માં શ્લોકનો ઉત્તરાદ્ધ છે. પૂર્વાદ્ધ આ પ્રમાણે છે–તાર |-નીત-પોત-નસી-પક્ષ-વનનામાનઃ|
47