SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ १ स्थानाध्ययने स्थावरेषुजीवसिद्धिः ५१ सूत्रम् श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १ આ પ્રસ્તુત પ્રસંગમાં ‘સમાનજાતીય’ શબ્દનું ગ્રહણ કરેલ છે તે ગાય વગેરેના શીંગડાના અંકુરનો નિષેધ કરવા માટે, કારણ કે તે સમાનજાતીય થતો નથી. તથા ભૂમિ સંબંધી જળ, પૃથ્વીને ખોદતે છતે સ્વાભાવિક જળનો સંભવ હોવાથી 1દેડકાની માફ્ક જીવ સહિત છે. અથવા આકાશ સંબંધી પાણી, સ્વભાવથી આકાશમાં થયેલ (પાણી)ના પડવાથી મત્સ્યની માફક જીવ સહિત છે. વળી ભાષ્યકાર કહે છે— भूमिक्खयसा भावियसंभवओ दद्दुरो व्व जलमुत्तं (सात्मकत्वेनिति) । अहवा मच्छो व सहाववोमसंभूयपायाओ ।।१०१।। [विशेषावश्यक० १७५७ त्ति] ભૂમિ ખોદવાથી સ્વાભાવિકપણે નીકળેલ પાણી દેડકાની જેમ સચેતન છે. અથવા સ્વાભાવિક આકાશમાંથી પડતું પાણી મત્સ્યની જેમ સચેતન છે. (૧૦૧) તથા વાયુ, બીજાની પ્રેરણા સિવાય તિર્યક્ (આજુબાજુ) અનિયમિત દિશામાં ગાયની માફક ગતિ કરવાથી જીવ સહિત છે. હેતુવાક્યમાં ‘અપ૨પ્રેરિત' શબ્દના ગ્રહણ કરવાથી માટીના ઢેફા વગેરેની સાથે વ્યભિચારરૂપ હેત્વાભાસદોષનો પરિહાર કરેલ છે. એવી જ રીતે ‘તિર્યક્’ શબ્દના ગ્રહણથી ઊંચે ગતિ કરવાવાળા ધૂમાડા સાથે અને ‘અનિયમિત' શબ્દના ગ્રહણથી નિયમિત ગતિવાળા પરમાણુની સાથે દોષનો પરિહાર કરેલ છે. તથા તેજઃ (અગ્નિ) આહાર (લાકડા વગેરે) ને ગ્રહણ કરવાથી અગ્નિની વૃદ્ધિનો વિશેષ સાક્ષાત્કાર થવાથી અને તેનો વિકાર પુરુષની માફક પ્રત્યક્ષ થવાથી જીવ સહિત છે. ભાષ્યકાર કહે છે– अपरप्पेरियतिरियाऽनियमियदिग्गमणओऽनिलो गो व्व । अनलो आहाराओ, विद्धि-विगारोवलंभाओ ||१०२ || [विशेषावश्यक० १७५८ त्ति ] તેમજ બીજાએ પ્રેયા સિવાય આજુબાજુ અનિયમિતપણે ગમન કરતો હોવાથી વાયુ પણ ગાયની જેમ સચેતન છે. તથા (કાષ્ટરૂપ) આહારથી વૃદ્ધિ અને વિકાર જણાતા હોવાથી મનુષ્યની જેમ અગ્નિ પણ સચેતન છે. (૧૦૨) અથવા પૃથ્વી, પાણી, અગ્નિ અને વાયુ વાદળા વગેરેના વિકાર રહિત મૂર્રજાતિવાળા હોવાથી ગાય વગેરેના શરીરની જેમ જીવના શરીરો છે. વાદળા વગેરેના વિકારો મૂર્રજાતિવાળા હોવા છતાં પણ તે જીવના શરીરો નથી તે માટે દોષના પરિહાર માટે હેતુમાં (અલ્ટ્રાદિવિકા૨વર્જિત) વિશેષણ આપેલ છે. ફરી ભાષ્યકાર કહે છે— तणवोऽभाइविगारमुत्त जाइत्तं ओऽनिलंताई । सत्थासत्थहयाओ, निज्जीव- सजीवरूवाओ || १०३ ।। [वि० १७५९ त्ति ] અભ્ર આદિના વિકારથી અલગ હોવા છતાં મૂર્ત અને જાતિમાન હોવાથી પૃથ્વી આદિ ચાર, સ્વ-પરશસ્ત્રથી હણાયા હોય તો જીવ રહિત છે અને શસ્ત્રથી ન હણાયેલ હોય તો સજીવ છે (૧૦૩). હવે વનસ્પતિઓનું વિશેષતાએ સચેતનપણું ભાષ્યની ગાથાઓ વડે કહે છે— નમ્મ-નરા- નીવા-મર-રોહાઽSTR-ોદાડમયો । રોગ-તિનિચ્છારૂત્તિ ય, રિ X સન્વેયા તરવો।।૦૪।। • छिक्कप्परोइआ छिक्कमित्तसंकोयओ कुलिंगि व्व । आसयसंचाराओ, वियत्त ! वल्लीवियाणाई ।। १०५ ।। सम्मादयो व साव-प्पबोह-संकोयणादिओऽभिमया । बउलादयो य सद्दाइविसयकालोवलंभाओ ।। १०६ ।। [વિશેષાવશ્ય૦ ૨૭૯૩–૯૧૧] જન્મ, જરા, જીવન, મરણ, ક્ષતસંહોરણ (ઘાનું રુઝાવું), આહાર, દોહંદ–દોહળો, રોગ અને ચિકિત્સા વડે સ્ત્રીની માફક વૃક્ષો ચેતન સહિત છે. (૧૦૪). પૃષ્ટપ્રરોદિકા—રીસામણી વગેરે વનસ્પતિઓ ક્રીડા વગેરે જંતુઓની જેમ સ્પર્શ 1. ભૂમિમાંથી નીકળેલ દેડકો જેમ સજીવ છે તેમ પાણી પણ જીવ સહિત છે. આ પૃથ્વી સંબંધી પાણીમાં જીવની સિદ્ધિ કરવા માટે દૃષ્ટાંત આપેલ છે. 2. માછલાનું દૃષ્ટાંત અંતરિક્ષનું પાણી જીવ સહિત છે તેની સિદ્ધિ માટે છે. હસ્તા અને ચિત્રા નક્ષત્રમાં ઘણે સ્થળે માછલા પડે છે તે પ્રત્યક્ષ દેખાય છે. 3. વિયત્ત! આ શબ્દ વ્યક્ત નામના ગણધરને આમંત્રણાર્થે પ્રભુએ કહેલ છે. 4. કુષ્માંડી—કોળું અને બિજોરું વગેરે ફળવાળી વનસ્પતિને દોહદ થાય છે. (વર્તમાનમાં જગદીશચંદ્ર બોસે વનસ્પતિમાં જીવ સિદ્ધ કરેલ છે. 45
SR No.005767
Book TitleSthanang Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy