SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १ १ स्थानाध्ययने पापस्थानानितद्विरतिश्च ४८-४९ सूत्रे એવી રીતે જાણવા. 'તંત્તે'ત્તિ ત્રણ છે કોટિ (હાંસ) જેમાં તે યંત્ર (ત્રિકોણ) છે. ચા૨ છે હાંસો જેને તે વતુસ્ર-ચોખૂણો છે. તથા 'પિદ્યુત'ત્તિ પૃથુન-વિસ્તીર્ણ. વળી બીજે સ્થળે પૃથુલને ઠેકાણે ‘આયત’ કહેવાય છે તે આયતસંસ્થાન, અહિં દીર્ઘ, હ્રસ્વ અને પૃથુલ શબ્દ વડે વિભાગ કરીને કહેલું છે, કારણ કે દીર્ઘ વગેરે આયત ધર્મત્વવિશિષ્ટ છે. તે આયત, પ્રતર-ધન-શ્રેણિ ભેદથી ત્રણ પ્રકા૨ે છે. વળી તે પ્રત્યેક, સમ–વિષમ પ્રદેશરૂપથી છ પ્રકારના છે. જે આયતના બે ભેદ દીર્ઘ અને હ્રસ્વ તેનું કથન શરૂઆતમાં કહેલ છે તે વૃત્ત વગેરે સંસ્થાનોમાં આયતની પ્રાયઃ વૃત્તિ દેખાડવા માટે કહેલ છે. તે આ પ્રમાણે—દીર્ઘાયત ઘણો લાંબો સ્તંભ (થાંભલો) ગોળ ત્રિકોણ અને ચતુષ્કોણ છે ઇત્યાદિ ભાવવું. અથવા સૂત્રની ગતિ વિચિત્ર હોવાથી આવી રીતે ઉપન્યાસ કરેલ છે. 'પરિમંડત્તે'ત્તિ પરિમંડલ સંસ્થાન વલય (ચૂડી) આકારે, તે પ્રતર-ધનભેદથી બે પ્રકારે છે. રૂપનો ભેદ તે વર્ણ, તે કૃષ્ણ વગેરે પાંચ પ્રકારે સ્પષ્ટ છે, પરંતુ હાદ્રિ–પીળો, કપીશ–ધૂસર વગેરે વર્ણના સંસર્ગ (એકબીજાના સંબંધ)થી થાય છે, માટે તેઓનો ઉપન્યાસ કરેલ નથી. ગંધ સુરભિ અને દુરભિગંધ એમ બે પ્રકારે છે. જે સન્મુખ કરે તે સુગંધ અને જે વિમુખ કરે તે દુર્ગંધ. સાધારણ પરિણામ અસ્પષ્ટ હોવાથી દુર્ગહ-દુઃખે ગ્રહણ કરી શકાય તેવા સંસર્ગ વડે થવાથી કહેલ નથી. રસ પાંચ પ્રકારે છે. તેમાં શ્લેષ્મ-કફનો નાશ કરનાર તે તીખો રસ, વૈશદ્ય-શરદીને જે દૂર કરનાર તે કટુક રસ, અન્નની રૂચિને જે તે બંધ કરનાર તે કષાય રસ, સાંભળવાથી મોઢાને જે પીગળાવનાર તે ખાટો રસ, આનંદ અને પુષ્ટિને જે ક૨ના૨ તે મધુર રસ. સંસર્ગથી ઉત્પન્ન થનાર લવણ રસ તે કહેલ નથી. સ્પર્શ આઠ પ્રકારે છે. તેમાં કર્કશ-કઠણ (ન વળી શકે તેવો) યાવત્ શબ્દથી મૃદુ વગેરે બીજા છ સ્પર્શ જાણવા. સુખપૂર્વક–સહેલાઈથી વળે તે મૃદુ, નીચે ગમન કરવામાં જે હેતુ તે ગુરુ, પ્રાયઃ તીર્થ્રો અને ઊંચે ગમન ક૨વામાં જે હેતુ તે લઘુ, ઠંડીથી કરાયેલ સ્તંભન સ્વભાવવાળો તે શીત, કોમળ પાકને ક૨ના૨ તે ઉષ્ણ, સંયોગ છતે સંયોગવાળી વસ્તુઓના બંધનો હેતુપિંડરૂપ કરનાર તે સ્નિગ્ધ, બંધ (પિંડ) ને નહિં કરનાર રુક્ષ. આ દરેક એકૈક છે. IF પુદ્ગલન ધર્મોનું એકપણું, કહ્યું. હવે પુદ્ગલોથી જોડાયેલ જીવોના અપ્રશસ્ત ધર્મો–અઢાર પાપસ્થાન સંજ્ઞાવાળાનું 'ખે પાવા' આદિ સૂત્રના આરંભથી 'સાસì' સૂત્ર વડે એકપણું કહે છે— एगे पाणाइवाए जाव एगे परिग्गहे। एगे कोहे जाव लोहे। एगे पेज्जे एगे दोसे जाव एगे परपरिवाए। एगा अरईरई । एगे मायामोसे । एगे मिच्छादंसणसल्ले || सू० ४८ ॥ एगे पाणाइवायवेरमणे जाव परिग्गहे वेरमणे । एगे कोहविवेगे जाव मिच्छादंसणसल्लविवेगे ।। सू० ४९ ।। (મૂળ) પ્રાણાતિપાત એક છે યાવત્ પરિગ્રહ એક છે, ક્રોધ એક છે યાવત્ લોભ એક છે, રાગ એક છે, દ્વેષ એક છે યાવત્ પરપરિવાદ એક છે, અરતિતિ એક છે, માયાતૃષા એક છે, મિથ્યાદર્શનશલ્ય એક છે. ૪૮૫ પ્રાણાતિપાતની વિરતિ યાવત્ પરિગ્રહની વિરતિ એક છે, ક્રોધનો ત્યાગ યાવત્ મિથ્યાદર્શનશલ્યનો ત્યાગ એક છે.૪૯૫ (ટી૦) તંત્ર તેમાં–પાપસ્થાનમાં પ્રાīઃ–ઉચ્છવાસ વગેરે, તેઓનું અતિપાતન–પ્રાણવાળા સાથે વિયોગ કરવો તે પ્રાણાતિપાત હિંસા. કહ્યું છે કે— पञ्चेन्द्रियाणित्रिविधं बलं च उच्छ्वासनिःश्वासमथान्यदायुः । प्राणादशैते भगवद्भिरुक्तास्तेषां वियोजीकरणं हिंसा ॥ ८९ ॥ ‘પાંચ ઇંદ્રિય, ત્રણ બલ, ઉચ્છ્વાસ-નિવાસ અને આયુષ્ય-આ દશ પ્રાણો ભગવંતોએ કહેલા છે. તે પ્રાણોનો વિયોગ કરવો તે હિંસા છે.’ (૮૯) તે પ્રાણાતિપાત દ્રવ્ય અને ભાવભેદથી બે પ્રકારે છે. અથવા વિનાશ (જીવ રહિત કરવું તે), પરિતાપ (દુઃખ) અને સંક્લેશ (ખેદ)ના ભેદથી ત્રણ પ્રકારે છે. શ્રાવક પ્રજ્ઞપ્તિમાં કહ્યું છે કે— 38
SR No.005767
Book TitleSthanang Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy