SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ १ स्थानाध्ययने अजीवधर्माः ४७ सूत्रम् श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १ કૃતકૃત્યત્વ–કૃતાર્થપણું અને લોકાગ્ર ક્ષેત્રરૂપ, અથવા અણિમા, મહિમા વગેરે સિદ્ધિ છે. સામાન્યથી સિદ્ધિનું એકપણું છે. સિદ્ધિનું વર્ણન કર્યા બાદ સિદ્ધનું વર્ણન કરે છે—'૫ે સિદ્ધ' સિધ્ધતિ સ્મ—કૃતાર્થ થયા, સેતિ સ્મે વા અથવા ફરી ન આવવા વડે જે લોકાગ્રને પ્રાપ્ત થયા તે સિદ્ધ. સિતં વા–અથવા બંધાયેલ કર્મ, ધ્યાતં બળેલ છે જેના તે નિરુક્તથી (ખંડ વ્યુત્પત્તિથી) સિદ્ધ-કર્મના પ્રપંચથી મૂકાયેલ એટલે તે દ્રવ્યાર્થપણાએ એક છે અને પર્યાયાર્થપણાથી તો અનંત પર્યાય છે. અથવા સિદ્ધોનું અનંતપણું છતે પણ સિદ્ધોનું સમાનપણું હોવાથી એકપણું છે. અથવા ૧ કર્મ, ૨ શિલ્પ, ૩ વિદ્યા, ૪ મંત્ર, ૫ યોગ, ૬ આગમ, ૭ અર્થ, ૮ યાત્રા, ૯ બુદ્ધિ, ૧૦ તપ અને ૧૧ કર્મક્ષય, આ ભેદ વડે સિદ્ધોનું અનેકપણું છતે પણ સિદ્ધોનું, સિદ્ધ શબ્દના ઉચ્ચારસ્પણાનું સામ્ય હોવાથી એકપણું છે. કર્મક્ષય સિદ્ધનો પરિનિર્વાણરૂપ સ્વભાવ હોય છે તેથી હવે તે કહે છે. 'શે પરિનિબ્બાને' પર્િ–સર્વથા, નિર્વામાં, સકલ કર્મકૃત વિકાર રહિત થવાથી સ્વસ્થ થવું તે પરિનિર્વાણ, તે એક છે. તેનો એક વખત સંભવ છતે ફરીને (પરિનિર્વાણનો) અભાવ હોવાથી પરિનિર્વાણરૂપી ધર્મના યોગથી તે જ કર્મક્ષયસિદ્ધિ, પરિનિવૃત કહેવાય છે. તથા દેખાડવા માટે કહે છે—'ણે પરિનિબ્બુ' પરિનિર્વાંતઃ—સર્વ પ્રકારે શારીરિક, માનસિક અસ્વાસ્થ્ય (દુઃખ)થી રહિત એ તાત્પર્ય છે. તેનું એકપણું સિદ્ધની માફક ભાવવું. I૪૬॥ અહીં સુધીના સૂત્રો વડે પ્રાયઃ જીવના ધર્મો એકપણાએ નિરૂપણ કરાયા. હવે જીવને સહાયક હોવાથી પુદ્ગલો અને તેના લક્ષણરૂપી અજીવના ધર્મો 'છી સદ્દે' એ આદિ સૂત્રથી યાવત્ '૫ે તુમ્હે' એ છેલ્લા સૂત્ર પર્યંત ગ્રંથ વડે એકપણાએ જ દેખાડાય છે. કેટલાએક પુદ્ગલાદિની તો સત્તા અનુમાનથી જણાય છે, અને ઘટાદિ કાર્યનો સાક્ષાત્કાર થવાથી કેટલાએક (પુદ્ગલો)ની સત્તા વ્યવહારિક (ઇંદ્રિયસંયોગ)રૂપ પ્રત્યક્ષથી જણાય છે; માટે કહે છે કે– ને સદ્દે ને હવે ો અંધે। શે જ્ઞેય ને પાસે ને સુભિતદ્દા ને તુષ્મિતર્ો સુવાણે તુવે પે'રી ને "હસ્તે ો વદે શે તો ો વરસે શે વિદ્યુતે શે 'પરિમંડો ને 'વિદે। શે ગીતા ને તોદિશા ì Tસિદ્દો "સુમિત્તેને સુભિષે। શે ટુવ્યિાંયે ો તિત્તે શેડુ ને તાર) ને ગંવિો ì મદુરે ને વનડે નાવ તુવà ।। સૂ॰ ૪।। २७ (મૂળ) ૧ શબ્દ, ૨ ૩૫, ૩ ગંધ, ૪ રસ, ૫ સ્પર્શ, ૬ શુભ શબ્દ, ૭ અશુભ શબ્દ, ૮ સારું રૂપ, ૯ ખરાબ રૂપ, ૧૦ દીર્ઘ સંસ્થાન, ૧૧ લઘુ સંસ્થાન, ૧૨ વૃત્ત (વાટલો) સંસ્થાન, ૧૩ ત્રિકોણ સંસ્થાન, ૧૪ ચતુરસ (ચોરસ) સંસ્થાન, ૧૫ વિસ્તીર્ણ સંસ્થાન, ૧૬ વલય સંસ્થાન, ૧૭ કૃષ્ણવર્ણ, ૧૮ નીલવર્ણ, ૧૯ ૨ક્તવર્ણ, ૨૦ પીતવર્ણ, ૨૧ શ્વેતવર્ણ, ૨૨ સુગંધ, ૨૩ દુર્ગંધ, ૨૪ તીખો ૨સ, ૨૫ કડવો રસ, ૨૬ કષાય (તુરો) રસ, ૨૭ ખાટો રસ, ૨૮ મધુર રસ, ૨૯ કર્કશ સ્પર્શ યાવત્ ૩૬ લૂખો સ્પર્શ એ શબ્દાદિ દ૨ેક એકેક છે. II૪૭।। (ટી૦) આ સૂત્રોમાં શબ્દાદિ સૂત્રો સુગમ છે, પરંતુ શત્સ્યતે–જેના વડે જે કહેવાય છે તે શબ્દ-અવાજ, એ શ્રોતેંદ્રિયનો વિષય છે. રૂપ્યતે–જે જોવાય છે તે રૂપ-આકાર ચક્ષુઇંદ્રિયનો વિષય છે. પ્રાયતે–જે સુંઘાય છે તે-ગંધ, ઘ્રાણ(નાક)નો વિષય છે. રમ્યતે–જે આસ્વાદન કરાય છે તે રસ, રસના ઇંદ્રિયનો વિષય છે. સ્પુશ્યતે–જે સ્પર્શાય છે—છબાય છે તે સ્પર્શ, સ્પર્શન ઇંદ્રિયનો વિષય છે. શબ્દાદિનું એકપણું સામાન્યથી છે અથવા સજાતીય અને વિજાતીયના ભેદની અપેક્ષા સિવાય એકપણું ભાવવું. શબ્દના બે ભેદ કહે છે-'સુભિસદ્િ'ત્તિ-શુભ શબ્દો મનને ગમતા, 'દુ'િત્તિ-મનને જે ન ગમે તે અશુભ શબ્દ, એવી રીતે બીજા પણ શબ્દો આ બે ભેદમાં અંતર્ભૂત થાય છે એમ જાણવું. એવી રીતે રૂપના વ્યાખ્યાનમાં પણ સુરૂપ વગેરે શ્વેતરૂપ પર્યંત જે ચૌદ ભેદ છે તે એકેક છે. તેમાં મનને ગમતું રૂપ તે સુરૂપ છે અને તેથી વિપરીત તે કુરૂપ છે. દીર્ઘ–અતિ લાંબુ, હ્રસ્વ–તેનાથી નાનું, વૃત્તાદિક પાંચ સ્કંધના સંસ્થાન (આકાર)ના ભેદ છે. તેમાં વૃત્ત સંસ્થાન મોદક જેવું છે, તે પ્રતર અને ઘન ભેદથી બે પ્રકારે છે. વળી તે પ્રત્યેક (પ્રતર–ધન) સમવિષમ પ્રદેશના અવગાઢરૂપ ભેદથી ચાર પ્રકારે છે. બીજા સંસ્થાનો પણ 37
SR No.005767
Book TitleSthanang Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy