________________
श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १
१ स्थानाध्ययने सिद्धिर्लोकाग्रमितिसाधनं ४४-४६ सूत्राणि
જેના વડે રુચિ થાય છે તે જ્ઞાન કહેવાય છે (૮૮),
'વૃત્તિ'ત્તિ વર્વતે-મોક્ષાભિલાષી જીવો વડે વિધિપૂર્વક સેવાય છે તે ચારિત્ર અથવા વર્યતે–જેના વડે નિવૃત્તિ (મોક્ષ)માં જવાય છે, અથવા કર્મોના સંચયને શૂન્ય (ખાલી) કરવું. આ નિરુક્ત ન્યાયથી, ચારિત્રમોહનીય કર્મના ક્ષયાદિથી પ્રગટ થયેલ આત્માનો વિરતિરૂપ પરિણામ તે ચારિત્ર. તે આગળ કહેવામાં આવનારા સામાયિકાદિ ચારિત્રના ભેદોનું વિરતિરૂપ સામાન્યમાં અંતર્ભાવ થવાથી અથવા એક જીવને એક સમયે એક ચારિત્રનો જ સદ્ભાવ હોવાથી ચારિત્ર એક છે. આ જ્ઞાનાદિનો આ પ્રમાણે ક્રમ છે, કારણ કે કહ્યું છે કે—''નાજ્ઞાતં શ્રદ્ધીયતે નાશ્રદ્ધિત સભ્યાનુજીીયત કૃતિ''—જે જાણેલું નથી તે શ્રદ્ધાનરૂપ થતું નથી, જે શ્રદ્ધાનરૂપ થયું નથી તેનું સમ્યગાચરણ કરાતું નથી. I૪૩॥
જ્ઞાન વગેરે ઉત્પત્તિ, નાશ અને સ્થિતિવાળાં છે અને સ્થિતિ, સમયાદિરૂપ છે. આ કારણથી સમયનું નિરૂપણ કરે છે– એ સમર્ ।। સૂ૦ ૪૪॥ પણે ત્તે પરમાનૂ ।। સૂ॰ ૪।।
શા સિદ્ધી, જો સિદ્ધ, જો પત્તિનિ∞ાળે, ને પરિનિબુદ્ધે સૂ॰ ૪૬।।
(મૂળ) સમય એક છે. ૪૪॥ પ્રદેશ એક છે. પરમાણુ એક છે. ૪૫ સિદ્ધશિલા એક છે. સિદ્ધ એક છે. સકલ કર્મના નાશથી સ્વસ્થરૂપ-પરિનિર્વાણ એક છે, સર્વથા શારીરિક અને માનસિક દુઃખ રહિત પરિનિવૃત એક છે.. મેં૪૬૫ (ટી૦) '૫ે સમ' સમય-પરમ નિકૃષ્ટ કાલ-અત્યંત સૂક્ષ્મ–જેના બે વિભાગ ન થાય તે, સેંકડો કમલપત્રના ભેદનના દૃષ્ટાંતથી અથવા જીરણ વસ્ત્રની સાડીના ફાડવાના દૃષ્ટાંતથી આગમમાં પ્રસિદ્ધ હોવાથી જાણવું. તે વર્તમાનસ્વરૂપ સમય ભૂતકાલનો નાશ અને ભવિષ્યકાલની ઉત્પત્તિનો અભાવ હોવાથી એક જ છે. અથવા સ્વરૂપ વડે અંશ રહિત હોવાથી સમય 21589.118811
અંશ રહિત વસ્તુના અધિકારથી જ આ બન્ને સૂત્ર કહે છે—'ણે પસે ણે પરમાનૂ' પ્રત્કૃષ્ટ-અંશ રહિત, ધર્મ, અધર્મ, આકાશ અને જીવોના દેશ-અવયવરૂપી પ્રદેશ એક છે; કારણ કે સ્વરૂપથી બીજા ત્રીજા પ્રદેશ વગેરેમાં દેશના કથન વડે પ્રદેશપણાના અભાવનો પ્રસંગ થશે. 'પરમાણુ'ત્તિ પરમ-અત્યંત, અણુ–સૂક્ષ્મ તે પરમાણુ, ચણુકાદિ સ્કંધોના કારણભૂત છે. કહેલું છે કે—'વ્હારણમેવ તત્ત્વ સૂક્ષ્મો નિત્યશ્વ ભવતિ પરમાણુઃ રસ-વર્ન-ગન્ધો-દ્વિસ્પર્શઃ વાતિક્ારવ – ‘‘છેલ્લામાં છેલ્લું કારણ સૂક્ષ્મ અને નિત્ય પરમાણુ હોય છે. એક વર્ણ, એક રસ, એક ગંધ અને (અવિરોધી) બે સ્પર્શવાળો છે તેમજ કાર્યથી જણાય છે તે પરમાણુ” તે સ્વરૂપથી એક જ છે એમ જો ન માનીએ તો આ પરમાણુ એવું નામ જ નહિ હોય. અથવા સમય, પ્રદેશ અને પરમાણુ અનંત છતાં પણ તુલ્યરૂપની અપેક્ષાએ તેઓનું એકપણું છે. I૪૫॥
જેમ તથાવિધ એકત્વ પરિણામવિશેષથી ૫૨માણુનું એકપણું થાય છે, તેમ તે કારણથી જ અનંત પરમાણુમય સ્કંધનું એકપણું થાય એમ દેખાડતા થકા સર્વ બાદર સ્કંધમાં શ્રેષ્ઠરૂપ ઇષાગભાર નામવિશિષ્ટ પૃથિવીસ્કંધની પ્રરૂપણા કરે છે— 'VI સિદ્ધી' સિધ્યન્તિ-જેને વિષે (જીવો) કૃતાર્થ થાય છે તે સિદ્ધિ. જો કે તે લોકના અગ્રભાગે છે, તેથી કહેલું છે કે—''રૂદ વુંરિ (વારિ) પત્તાળ, તત્ય યંતૂળ સિા'' [ઞાનિ૰૧૮ ત્તિ] અહિં–મૃત્યુલોકમાં શરીરને છોડીને લોકના અંતમાં જઈને સિદ્ધ થાય છે, તો પણ લોકાંતના સમીપપણાથી ઇજાગભારા પૃથ્વી પણ ‘સિદ્ધિ’ નામ વડે કથન કરાય છે. કહેલું છે– 'વારસરૢિ નોયોર્ત્તિ, સિદ્વીસન્વસિદ્ધાડ' [આવ.નિ. ૧૬] ત્તિ. સર્વાર્થસિદ્ધ વિમાન થકી બાર યોજન ઉ૫૨ સિદ્ધિ છે. જો લોકાગ્ર માત્ર જ સિદ્ધિ હોય તો તેના પછી જે કહેલું છે—'નિમ્નલવારયવળા, તુસારોવવી-હાર-સરિવન્ને' [ઞાનિ ૧૬] સ્વચ્છ પાણીના ૨૪ (કણિયા) જેવા વર્ણવાળી, હિમ, ગાયનું દૂધ અને મોતીના હાર તેના જેવી ધોળી ઇત્યાદિ સિદ્ધિના સ્વરૂપનું વર્ણન કેમ ઘટે? કારણ કે લોકાગ્ર તો અમૂર્ત છે. આ કારણથી અહિં ઇષતૃપ્રાગભારાને સિદ્ધિ કહેલી છે. દ્રવ્યાર્થપણે પીસ્તાલીશ લાખ યોજનપ્રમાણ સ્કંધનું એક પરિણામપણું હોવાથી તે એક છે. પર્યાયાર્થપણે તો અનંત સિદ્ધિ છે. અથવા
36