SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ १ स्थानाध्ययने पापस्थानानितद्विरतिश्च ४८-४९ सूत्रे श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १ તપૂનાવાતો, દુહુખાનો ય સંવિનેલો વાપણ વદો નિળિયો, વનેચવ્યો પત્તi IRI[શ્રy. ૨૨] જીવના પર્યાય (તિર્યંચાદિ)નો વિનાશ, દુઃખ ઉત્પન્ન કરવું અને ખેદ ઉપજાવવો–આ ત્રણ પ્રકારનો વધ જિનેશ્વરોએ કહેલ છે તે પ્રયત્ન વડે ત્યાગવા યોગ્ય છે. leol અથવા મન, વચન અને કાયા વડે કરવું, કરાવવું અને અનુમોદનના ભેદથી નવ પ્રકારે છે, વળી તે ક્રોધાદિ ભેદથી છત્રીશપ્રકારે પણ છે. (૧). તથા જૂઠું બોલવું તે મૃષાવાદ,તે દ્રવ્ય અને ભાવના ભેદથી બે પ્રકારે છે, અથવા તે અભૂતોદ્ભાવન વગેરે ભેદ વડે ચાર પ્રકારે પણ છે. તે આ પ્રમાણે–“આત્મા સર્વગત-વ્યાપક છે” એમ જે કહેવું તે અભૂતોદ્ભાવન, “આત્મા નથી' એમજે કહેવું તે ભૂતનિહ્નવ, “ગૌ-બળદ છતાં પણ આ ઘોડો છે એમ કહેવું તે વસ્તૃતાન્યાસ, ‘તું કોઢિયો છો' એમ જે કહેવું તે નિંદા (વચન). (૨). અદત્ત-સ્વામી (માલીક), જીવ, તીર્થકર અને ગુરુ વડે આજ્ઞા ન અપાયેલ સચિત્ત, અચિત્ત અને મિશ્ર ભેદવાળી વસ્તુનું આદાન-ગ્રહણ કરવું તે અદત્તાદાન ચોરપણું. તે વિવિધ ઉપાધિના વશથી અનેક પ્રકારે છે. (૩). તથા મિથુન—સ્ત્રી અને પુરુષરૂપી જોડલાનું કાર્ય તે મૈથુન–અબ્રહ્મચર્ય. તે મન, વચન અને કાયા સંબંધી કરવું, કરાવવું અને અનુમોદવારૂપ નવ ભેદોથી ઔદારિક અને વૈક્રિય શરીરના વિષયો વડે અઢાર પ્રકારે થાય છે. અથવા વિવિધ ઉપાધિથી ઘણા પ્રકારે છે. (૪). તથા પJિuતે—જે સ્વીકાર કરાય તે પરિગ્રહ. તે બાહ્ય અને અત્યંતર ભેદથી બે પ્રકારે છે. તેમાં બાહ્ય-ધર્મના સાધનો સિવાય ધન-ધાન્ય વગેરે અનેક પ્રકારે છે અને આત્યંતર તો મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને પ્રમાદ વગેરે અનેક પ્રકારે છે. અથવા પરિબ્રહvi–સર્વત ગ્રહણ કરવું તે પરિગ્રહ-મૂચ્છ. (૫). તથા ક્રોધ, માન, માયા અને લોભ, તે કષાયમોહનીય કર્મરૂપી પુદ્ગલના ઉદય વડે પ્રાપ્ત થયેલ જીવના પરિણામો. વળી એ કષાયો અનંતાનુબંધી વગેરે ભેદથી અથવા અસંખ્યાત અધ્યવસાયસ્થાનોના ભેદથી અનેક પ્રકારે છે. (૬-૯). તથા પેન્ગ'ત્તિ—પ્રિયનો જે ભાવ અથવા કાર્ય તે પ્રેમ, અપ્રગટ માયા અને લોભલક્ષણ ભેદસ્વભાવરૂપ તે રાગ માત્ર છે. (૧૦). તથા 'રોસે"ત્તિ–ષભાવ તે દ્વેષ અથવા દૂષણ તે દોષ, તે અપ્રગટ ક્રોધ અને માન લક્ષણ ભેદસ્વભાવરૂપ તે અપ્રીતિ માત્ર છે. (૧૧). નાવ’ત્તિ ન ગમવશ્વાને સુખ' તેમાં કલહકજીઓ (૧૨), માથાન–પ્રગટ ખોટું આળ આપવું (૧૩), પશુ–ગુપ્ત રીતે છતા–અછતા દોષનું પ્રગટ કરવું તે ચુગલ (ચાડી) કર્મ (૧૪), બીજાઓનો જે અપવાદ કરવો (ખરાબ બોલવું) તે પરંપરિવાદ (૧૫), અરતિમોહનીય કર્મના ઉદયથી થયેલ ચિત્તના વિકાર-ઉદ્વેગરૂપ તે મતિ, તથાવિધ આનંદરૂપ તેતિ. અરતિરતિ તે એક જ વિવક્ષિત છે, જેથી કોઈક વિષયમાં રતિ તેને જ વિષયાંતરની અપેક્ષાએ અરતિ કહે છે. એવી રીતે અરતિને જ રતિ કહેવાય છે. અરતિરતિને વિષે એકપણું ઔપચારિક છે.(૧૬) તથા 'માયામો'ત્તિ માયા-નિકૃતિ (કપટ), મૃષા-જૂઠું બોલવું, અથવા માયા સહિત અસત્ય બોલવું તે માયામૃષા, પ્રાકૃતપણું હોવાથી માયામોષ કહેવાય છે. એમાં બે દોષનો યોગ છે. વળી આમાનમૃષાદિ, સંયોગદોષના ઉપલક્ષણરૂપ છે. કોઈક એમ કહે છે કે વેષાંતર. ભિન્ન ભિન્ન રૂપ કરવા વડે લોકોને ઠગવું તે માયામૃષા. પ્રેમ વગેરે વિષયના ભેદ વડે અથવા અધ્યવસાયસ્થાનોના ભેદથી પણ અનેક પ્રકારે છે. (૧૭). મિથ્યાદર્શન-વિપરીત દૃષ્ટિ, તે જ તોમર વગેરેના શલ્યની જેમ દુઃખનો હેતુ હોવાથી શલ્ય તે મિથ્યાદર્શનશલ્ય મિથ્યાદર્શન ૧. અભિગ્રહિક, ૨.અનભિગ્રહિક, ૩. અભિનિવેશિક, ૪. અનાભોગિક અને ૫. સાંશયિક ભેદથી પાંચ પ્રકારે છે. અથવા ઉપાધિના ભેદથી અધિકતર ભેદ પણ છે. (૧૮). આ પ્રાણાતિપાતાદિ અઢાર પાપસ્થાનોનું ઉક્ત ક્રમ વડે અનેકપણું છતે પણ વધ વગેરેના સામ્યથી એકપણે જાણવું. ૪૮ અઢાર પાપસ્થાનકો કહ્યાં. હવે જો પાફિવાયવેરો' ઇત્યાદિ અઢાર સૂત્રો વડે તેના વિપક્ષોના એકપણાને કહે છે. આ સૂત્રો સુગમ છે. વિરમણ તે વિરતિ, તથા વિવેક તે ત્યાગ. ૪૯ 1. રતિમોહનીય કર્મના ઉદયથી રતિ થાય છે માટે અરતિ અને રતિનો વસ્તુતઃ ભેદ છે. 2. માનમૃષા, ક્રોધમૃષા વગેરે ઉપલક્ષણથી માયામૃષામાં અંતર્ભત છે. 3. મંથ-દડાકાર,
SR No.005767
Book TitleSthanang Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy