SearchBrowseAboutContactDonate
Page Preview
Page 463
Loading...
Download File
Download File
Page Text
________________ ४ स्थानकाध्ययने उद्देशः ४ व्याधिचिकित्साचिकित्सकव्रणशल्यश्रेयः पापाख्यायकादि ३४२-३४४ सूत्राणि श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग १ શ્રેષ્ઠ છે. એવી રીતે અન્ય ૩ ભાંગા પણ જાણવા. (૧) કોઈક ભાવથી અત્યંત શ્રેષ્ઠ છે અને દ્રવ્યથી તો શ્રેષ્ઠ અત્યંત પ્રશંસા કરવા યોગ્ય છે. આવા પ્રકારની બુદ્ધિ લોકને ઉત્પન્ન કરવા વડે સદેશક-અન્ય શ્રેષ્ઠ પુરુષ તુલ્ય છે પણ સર્વથા શ્રેષ્ઠ નથી આ એક, બીજો તો ભાવથી શ્રેષ્ઠ છે પણ દ્રવ્યથી અત્યંત પાપી છે. આવી રીતે લોકને બુદ્ધિ ઉત્પન્ન કરવા વડે અન્ય પાપી તુલ્ય છે, ત્રીજો તો ભાવથી અત્યંત પાપી છે પણ દ્રવ્યથી આકારને છુપાવવા વડે બીજા શ્રેષ્ઠ પુરુષ તુલ્ય છે, ચોથો તો સુજ્ઞાત છે. (૨) ૧. કોઈક સવૃત્તિવાળો હોવાથી અત્યંત શ્રેષ્ઠ છે અને પોતાના આત્માને શ્રેષ્ઠ માને છે. અથવા લોકો વડે શ્રેષ્ઠ મનાય છે કેમ કે નિર્મલ સદનુષ્ઠાનવાળો હોય છે. અહિં 'ત્રિજ્ઞ' ત્તિ વક્તવ્યમાં પ્રાકૃતશૈલી વડે 'મત્ર એમ કહ્યું. ૨. બીજો અત્યંત શ્રેષ્ઠ છે પણ પોતાના આત્માને વિષે અરુચિપરાયણ હોવાથી સ્વાત્માને અત્યંત પાપી માને છે અથવા પૂર્વના જાણેલ તેના દોષદ્વારા લોકો વડે તે પાપી મનાય છે–દઢપ્રહારીની જેમ. ત્રીજો મિથ્યાત્વાદિ વડે હણાયેલ હોવાથી અત્યંત પાપી છે પણ સ્વાત્માને શ્રેષ્ઠ માને છે-કુતીર્થિકની જેમ. ૪ અવિરતિક હોવાથી અત્યંત પાપી છે પણ સદ્ધોધવાળો હોવાથી સ્વાત્માને પાપી માને છે. અથવા સંયત લોકો વડે અસંયત મનાય છે. (૩) ૧. કોઈક ભાવથી અત્યંત શ્રેષ્ઠ છે અને દ્રવ્યથી તો કિંચિતું સદનુષ્ઠાનવાળો હોવાથી શ્રેષ્ઠ છે એમ (લોકોને) વિકલ્પ ઉત્પન્ન કરવા વડે બીજા અત્યંત શ્રેષ્ઠ તુલ્ય મનાય છે. મનુષ્ય વડે શ્રેષ્ઠ જણાય છે અથવા વિંભક્તિના પરિણામથી અન્ય શ્રેષ્ઠ પુરુષ સમાન પોતાના આત્માને માને છે. એમ બીજા ૩ ભાંગા પણ જાણવા. (૪) 'માયવર્ત'ત્તિ. ૧. કોઈએક પ્રવચનનો પ્રરૂપક છે પણ શાસનનો પ્રભાવક નથી, કારણ કે ઉદાર ક્રિયા અને પ્રતિભાદિ વડે રહિત હોય છે અથવા' પ્રવિભાજયિતા-સિદ્ધાંતના અર્થને નય અને ઉત્સર્નાદિ વડે વિવેચન કરનાર, અથવા આખાક-સૂત્રનો કહેનાર અને પ્રવિભાવયિતા કે પ્રવિભાજયિતા તે અર્થને કહેનાર. (૫) કોઈએક સૂત્રાર્થનો કહેનાર છે, પરંતુ ઉચ્છજીવિકાસંપન્ન-એષણા માટે તત્પર નથી. તે દુર્ભિક્ષાદિ પ્રસંગરૂપ આપત્તિમાં પ્રાપ્ત થયેલ સાધુ અથવા સંવિજ્ઞપાક્ષિક છે. કે કહ્યું છે કેहोज्ज हु वसणं पत्तो, सरीरदुब्बल्लयाए असमत्थो । चरणकरणे असुद्धे, सुद्धं मग्गं परूवेज्जा ।।२२७।। [निशीथ० ५४३५ त्ति] કોઈક સાધુ કષ્ટ પ્રાપ્ત થવાથી અથવા શરીરની દુર્બળતાથી સાધુના આચારરૂપ ચરણસિત્તરી અને કરણસિત્તરીને પાલવામાં અસમર્થ છે તો પણ શુદ્ધ સાધુના માર્ગની પ્રરૂપણા કરે, કારણ કે શુદ્ધ પ્રરૂપકનું આરાધકપણું હોય છે. (૨૨૭) ओसन्नोऽवि विहारे, कम्मं सिढिलेइ सुलहबोही य । चरणकरणं विसुद्धं, उववूहंतो परूवेंतो ॥२२८॥ [निशीथ०५४३६ ति] સાધુના આચાર પાળવામાં અસમર્થ છતાં પણ ચરણકમળ વડે વિશુદ્ધ સાધુના માર્ગની પ્રશંસા અને પ્રરૂપણાને કરતો થકો કર્મને શિથિલ કરે છે અને સુલભબોધિ થાય છે. (૨૨૮) બીજો યથાશ્ચંદક, ત્રીજો સાધુ અને ચોથો ગૃહસ્થ વગેરે. પૂર્વના સૂત્રમાં સાધુરૂપ પુરુષના આખ્યાયકત્વ અને એષણાશુદ્ધિવરૂપ ગુણની વિભૂષા કહી, હવે તેની સમાનતાથી વૃક્ષની વિભૂષાને કહે છે–'વાલ્વિદે ત્યા અથવા પૂર્વે ઉચ્છજીવિકાસંપન્ન સાધુપુરુષ કહ્યા તે વૈક્રિય લબ્ધિવાળા સાધુને તથા પ્રકારના પ્રયોજનને વિષે-વૃક્ષની વિદુર્વણા કરનારને જે પ્રકારે તેની વિફર્વણા થાય તે કહે છે—'વત્રિરે ત્યાદ્રિ સ્પષ્ટ છે. વિશેષ એ કે—'પ્રવાતત' તિ, નવીન અંકુરપણાએ એવો અર્થ છે. Iઉજા . આ પૂર્વે કહેલ આખ્યાયક વગેરે તીર્થિકો છે, માટે તેઓનું સ્વરૂપ કહે છે– 1. અહિં ફક્ત શબ્દના અર્થો કહેલા છે પરંતુ ભાંગા બતાવેલા નથી, તે આ પ્રમાણે–૧. કોઈએક સિદ્ધાંતનો પ્રરૂપક છે પણ નયાદિ વડે વિવેચક નથી, ૨. કોઈએક વિવેચન કરનાર છે પણ પ્રરૂપક નથી, ૩. કોઈક ઉભયયુક્ત છે તેમજ ૪. ઉભયશૂન્ય છે. અથવા ૧. કોઈક , સૂત્રનો વક્તા છે પણ અર્થનો કહેનાર નથી, ૨. સૂત્રવક્તા નથી પણ અર્થને કહેનાર છે, ૩, ઉભય યુક્તા છે, ૪. ઉભયશૂન્ય છે. 451
SR No.005767
Book TitleSthanang Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy