SearchBrowseAboutContactDonate
Page Preview
Page 462
Loading...
Download File
Download File
Page Text
________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग १ ४ स्थानकाध्ययने उद्देशः ४ व्याधिचिकित्साचिकित्सकव्रणशल्यश्रेयः पापाख्यायकादि ३४२-३४४ सूत्राणि લઈ આવ.” ત્યારે ધાવમાતાએ તેણીના માતાપિતાને વૃત્તાંત જણાવ્યું. તેઓએ વિચારીને સ્વપુત્રીને કહ્યું કે-“ધાન્યને કોઠારમાંથી કાઢીને સાફ કર.” ઇત્યાદિ અનેક કાર્યમાં જોડી આપવાથી શ્રમિત થયેલી તે રાત્રે સુખપૂર્વક સૂઈ જવા લાગી. એક વખત ધાવમાતાએ પૂછ્યું કે-“કોઈક પુરુષને લાવું?” ત્યારે તેણીએ કહ્યું કે-હું તો થાકી ગઈ છું, મને ઊંઘ આવે છે. એવી રીતે સાધુઓ પણ સૂત્રાર્થ દેવા વગેરેના કાર્યમાં વ્યગ્ર હોવાથી તેમને કામનો સંકલ્પ થતો નથી. ઉ૪all ચિકિત્સકો દ્રવ્યથી વરાદિ રોગો પ્રત્યે અને ભાવથી રાગાદિ પ્રત્યે, તેમાં આત્મ સંબંધી-જવરાદિની અથવા કામાદિની ચિકિત્સા કરનાર તે આત્મચિકિત્સક. હવે પોતાની ચિકિત્સા કરનારને ભેદથી ત્રણ સૂત્રો વડે કહે છે–'વત્તારી'ત્યાદિ સુગમ છે. વિશેષ એ કે-વ્રણ (દેહને વિષે રુધિરાદિ કાઢવા માટે ક્ષત-છિદ્ર) ને પોતે કરે છે તે વણકર, 'નો વ્રણને સ્પર્શ કરતો નથી એવા સ્વભાવવાળો તે નોવ્રણ પરિમર્શી–આ એક. બીજો તો બીજાએ કરેલ વ્રણને સ્પર્શ કરે છે પરંતુ વ્રણ કરતો નથી. એવી રીતે અતિચાર લક્ષણ ભાવવ્રણને કાયા વડે કરે છે પણ તે વ્રણને જ પુનઃ પુનઃ સંભારવા વડે સ્પર્શ કરતો નથી, બીજો તો અતિચારને : વારંવાર સંભારવા વડે સ્પર્શ કરે છે પરંતુ કાયાથી અભિલાષાને કરતો નથી કેમકે સંસારનો ભય વગેરે હોય છે. (૧) એક વ્રણ કરે છે પણ તેને પાટો વગેરે બાંધવા વડે સંરક્ષણ કરતો નથી, બીજો તો કરેલ વ્રણનું સંરક્ષણ કરે છે પરંતુ વ્રણને કરતો નથી. ભાવવ્રણને આશ્રયીને તો અતિચારને કરે છે પરંતુ અનુબંધને થનારો કુશીલાદિનો સંસર્ગ અને તેનું નિદાન-મૂલના પરિહારથી રક્ષણ કરતો નથી–આ એક અને બીજો તો પૂર્વે કરેલ અતિચારને નિદાનના પરિહારથી રક્ષણ કરે છે અને નવીન અતિચાર કરતો નથી. (૨) ઔષધાદિના દેવા વડે વણનો સંરોહ-અટકાવ કરતો નથી તે નોવ્રણસરોહી [અન્ય ઔષધાદિના દેવા વડે વણનો સંરોહ કરે છે–રૂઝાવે છે તે ત્રણસરોહી), ભાવવ્રણની અપેક્ષાએ તો પ્રાયશ્ચિત્તને નહિ સ્વીકારવાથી વ્રણસરોહી નથી, અન્ય પૂર્વે કરેલ અતિચાર સંબંધી પ્રાયશ્ચિત્તનો સ્વીકાર કરવા વડે વણસરોહીઅતિચારને ટાળનાર છે કેમકે નોવણકર-નવીન : અતિચારને કરનાર નથી. (૩) આત્મચિકિત્સકો કહ્યા, હવે ચિકિત્સા કરવા યોગ્ય વ્રણને દષ્ટાંતરૂપે કરીને પુરુષના ભેદોને કહે છે—'વત્તાની' ત્યા ચાર સૂત્રો સુગમ છે. વિશેષ એ કે-અંદર શલ્ય છે જેનું અર્થાત્ જોવામાં નહિ આવતું તે ૧ અંતઃશલ્ય. 'વા િસત્ત' ત્તિ જે શલ્ય વ્રણની અંદર અલ્પ છે અને બહાર તો ઘણું છે એટલે અંદર અલ્પ અને બહાર બહુ શલ્ય છે જેનું તે બાહ્યશલ્ય કહેવાય છે. જો વળી સર્વથા વ્રણથી બહાર હોય તો શલ્યપણું જ ન હોય, અથવા શલ્યનો ઉદ્ધાર કર્યો છતે પણ ભૂતકાળનું શલ્ય ભવિષ્યમાં પણ હોય. જે વ્રણમાં અંદર ઘણું શલ્ય છે અને બહાર પણ દેખાય છે તે ૩ ઉભયશલ્ય અને ચતુર્થ ભંગ શૂન્ય છે અર્થાત્ અંતર્બાહ્ય શલ્ય નથી. (૧) ગુરુની સમક્ષ આલોચના કરવા વડે અતિચારરૂપ અંતશલ્ય છે જેને તે અંતઃશલ્ય, આલોચના કરવા વડે બહાર શલ્ય છે જેને તે ર બહિશલ્ય, આલોચના કરવા વડે અને ન કરવા વડે અંતઃ અને બાહ્ય શલ્ય છે જેને તે ૩ અંતઃબહિશલ્ય, ચતુર્થ ભંગ શૂન્ય છે-શલ્ય રહિત છે. (૨) ભૂતાદિરોગના દોષથી જે વ્રણ છે તે અંતર્દષ્ટ વ્રણ છે-રતાશ વગેરેના અભાવને લઈને સૌમ્યપણું હોવાથી બાહ્ય દુષ્ટ નથી. (૩) પુરુષ તો શઠતાથી અંતરમાં દુષ્ટ છે પણ આકારને છુપાવવાથી બહાર દુષ્ટ નથી આ એક, બીજો તો કારણવશાત્ વચનનું કઠોરપણું વગેરે દેખાડવાથી બહારથી દુષ્ટ છે (પણ અંતર્દષ્ટ નથી). (૪) પુરુષના અધિકારથી તેના ભેદોનું પ્રતિપાદન કરવા માટે છ સૂત્રો છે અને તે સરળ છે, પરંતુ ૧ કોઈએક અત્યંત પ્રશસ્ય શ્રેયાનેક-પ્રશંસા કરવા યોગ્ય છે–સદ્ધોધવાળો હોવાથી પ્રશસ્ય ભાવવાળો છે. વળી પ્રશસ્ત અનુષ્ઠાન કરવાથી શ્રેષ્ઠ છે–સાધુની જેમ, ૨ બીજો તો પૂર્વની જેમ પ્રશસ્ય ભાવવાળો છે પણ અવિરતિપ અનુષ્ઠાન કરનાર હોવાથી અત્યંત પાપી છે, ૩ ત્રીજો તો મિથ્યાત્વાદિ વડે હણાયેલ હોવાથી ભાવથી અત્યંત પાપી છે અને કારણવશાત્ સારા અનુષ્ઠાનનો કરનાર હોવાથી શ્રેષ્ઠ છે-ઉદાયીનૃપ-મારકવતું, ચોથો તો તે જ નૃપને મારવાથી પાપનો કરનારો કૃત્રિમ સાધુ, અથવા ૧ ગૃહસ્થપણામાં અત્યંત શ્રેષ્ઠ કે દીક્ષા લેવાના સમયમાં, વળી પ્રવ્રજ્યામાં કે વિહારના સમયમાં 1. અહિં એક ભંગ કહ્યો, તદનુસાર શેષ ત્રણ ભંગ મૂલ અનુવાદમાં આપેલ છે તે પરથી સમજી લેવા. 450.
SR No.005767
Book TitleSthanang Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy