________________
४ स्थानका ध्ययने उद्देशः ४ व्याधिचिकित्साचिकित्सकव्रणशल्य श्रेयः पापाख्यायकादि ३४२ ३४४ सूत्राणि श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग १ · परिस्रवस्वेदविदाहरागा वैगन्ध्यसङ्क्लेदविपाककोपाः ।
प्रलापमूर्च्छाभ्रमिपीतभावाः पित्तस्य कर्माणि वदन्ति तज्ज्ञाः ॥ २२१ ॥
श्वेतत्वशीतत्वगुरुत्वकण्डूस्नेहोपदेहस्तिमितत्त्वलेपाः ।
उत्सेधसम्पातचिरक्रियाश्च कफस्य कर्माणि वदन्ति तज्ज्ञाः ।। २२२ ।। इति ।
‘વાયુ-૧. રુક્ષ, ૨. લઘુ-હલકો, ૩. શીત, ૪. કર્કશ, ૫. સૂક્ષ્મ અને ૬. ગતિવાળો છે. પિત્ત-૧. સ્નેહલ (ચીકણું), ૨. તીક્ષ્ણ, ૩. ઉષ્ણ, ૪. લઘુ, પ. કાચા માંસના ગંધ જેવું, ૬. ફેલાઈ જનારું અને ૭. પ્રવાહી છે. (૨૧૮) કફ-૧. ભારી, ૨. અત્યંત ઠંડો, ૩. સ્નિગ્ધ-અતિશય ચીકાશવાળો, ૪. પ્રક્ષેદી–મંદ, પ. સ્થિર અને ૬. પિચ્છિલ ઘાટો (મલાઈના થર જેવો) છે. સન્નિપાત તો બે દોષ વગેરે મળવાથી મિશ્રલક્ષણવાળો છે. (૨૧૯) વળી વાત વગેરેના આ કાર્યો છે-૧. કઠણપણું, ૨. સંકોચન, ૩. પીડા, ૪. શૂલ, પ. શ્યામતા, ૬. હાથપગ વગેરે અંગમાં દુઃખાવો, ૭. ચેષ્ટાનો ભંગ, ૮. અંગોનું સૂઈ જવું–ખાલી ચડવી, ૯. શીતપણું, ૧૦. તીક્ષ્ણપણું અને ૧૧. શોષ-તૃષા લાગવી. આ કાર્ય વાત (વાયુ)ના છે. (૨૨૦) ૧. પાણી વગેરેનું ઝરવું, ૨. સ્વેદ (પરસેવો), ૩. બળતરા, ૪. રતાશ, ૫. દુર્ગંધપણું, ૬. ખેદ, ૭. પાચક, ૮. કોપ, ૯. પ્રલાપ, ૧૦. મૂર્છા, ૧૧. ભ્રમી–ચકરી અને ૧૨. પીળાપણું–આ કાર્યો પિત્તનાં છે એમ વૈદ્યો કહે છે. (૨૨૧) ૧. શ્વેતપણું, ૨. શીતપણું, ૩. ગુરુતાભારેપણું, ૪. ચળ–ખરજ, પં. ચીકાશ, ૬. સોજો, ૭. સ્થિરપણું ૮, લેપ–ચોટવું, ૯ ઉત્સેધ–ઊંચો અને સંતાપ–નીચો શ્વાસ લેવો વગે૨ે લાંબા કાળે ક્રિયાનું થવું–આ કાર્યો કફનાં છે. એમ વૈદ્યો કહે છે. (૨૨૨) અનંતર વ્યાધિ કહ્યો, હવે વ્યાધિની જ ચિકિત્સા અને ચિકિત્સકોને બે સૂત્ર વડે કહે છે-'પબિંદે' ત્યા॰િ સુગમ છે. વિશેષ એ કે–ચિકિત્સા એટલે રોગનો પ્રતિકાર, તેનું કારણના ભેદથી ચતુર્વિધપણું છે. બીજાઓએ [અન્ય શાસ્ત્રકારોએ] પણ આ સૂત્રને મળતું કથન કહેલું છે,
જેમકે—
भिषग् १ द्रव्याण्यु २ पस्थाता ३ रोगी ४ पादचतुष्टयम् । चिकित्सितस्य निर्द्दिष्टम्, प्रत्येकं तच्चतुर्गुणम् ॥२२३॥ दक्षो १ विज्ञातशास्त्रार्थो २ दृष्टकर्म्मा ३ शुचि ४ भिषक् । बहुकल्पं १ बहुगुणम् २ सम्पन्नं ३ योग्यमौषधम् ॥२२४॥ अनुरक्तः १ शुचि २ र्दक्षो ३ बुद्धिमान् ४ परिचारकः । आढ्यो १ रोगी भिषग्वश्यो २ ज्ञापकः ३ सत्त्ववानपि ।। २२५ ।। ] કૃતિ ।
[
૧. વૈદ્ય, ૨. ઔષધ, ૩. સેવા ક૨ના૨ અને ૪. રોગી આ ચિકિત્સાના ચાર ચરણો ચિકિત્સાના કરાવનારને માટે કહેલ છે અને તે દરેકના ચાર ગુણો છે. (૧) ૧. ચતુર, ૨. શાસ્રના અર્થને જાણનારો, ૩. જોયેલ વૈદ્યક ક્રિયાવાળો અને ૪. પવિત્ર આચારવાળો – ચાર વૈદ્યના ગુણો છે. (૨) ૧. બહુકલ્પવાળું, ૨. બહુ ગુણવાળું, ૩. ઔષધના ગુણથી સંપન્ન અને ૪. યોગ્ય આ ચાર ઔષધના ગુણો છે. (૩) ૧. પ્રીતિવાળો, ૨. પવિત્ર, ૩. દક્ષ અને ૪. બુદ્ધિમાન આ ચાર સેવા કરનારના ગુણો છે, અને (૪) ૧. પૈસાવાળો, ૨. વૈદ્યના કહેવા પ્રમાણે વર્તનારો, ૩. રોગને જણાવનાર અને ૪. હિમ્મતવાળો–આ ચાર રોગીના ગુણો છે. (૩) (૨૨૩–૨૨૫)
આ દ્રવ્યરોગની ચિકિત્સા કહી પરંતુ મોહરૂપ ભાવરોગની ચિકિત્સા તો આ પ્રમાણે જાણવી— निव्विगइ निब्बलोमे, तवउद्धद्वाणमेव उब्मामे । वेयावच्चाहिंडण, मंडलि कप्पट्ठियाहरणं ॥ २२६॥ [ निशीथ० ५७४ त्ति ]
૧. નિર્વિકૃતિ-વિગય ત્યાગ કરે, ૨. વાલ, ચણા વગેરે નિર્બલ આહાર કરે, ૩. ઊણોદરી કરે, ૪. આયંબિલ વગેરે તપ કરે, ૫. કાયોત્સર્ગ કરે, ૬. ભિક્ષાચર્યા કરે, ૭. વૈયાવૃત્ત્વ કરે, ૮. ભિન્ન દેશોને વિષે વિહાર કરે અને ૯. સૂત્રાર્થની મંડલીમાં પ્રવેશ કરે. (૨૨૬) આ પ્રમાણે મોહ રોગની ચિકિત્સા છે.
આ સંબંધમાં કોઈએક કુલપુત્રીનું ઉદાહરણ છે. કોઈક શેઠની પુત્રી કંઈપણ કર્યા સિવાય સુખપૂર્વક ઘરમાં રહે છે. તેનો પતિ દેશાંતરમાં ગયેલ છે. તેણી સ્નાનાદિ શૃંગારપરાયણ હોવાથી વિષયવાળી થઈ તેથી ધાવમાતાને કહ્યું કે–“કોઈક પુરુષને
449