________________
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग १ ४ स्थानकाध्ययने उद्देशः ४ व्याधिचिकित्साचिकित्सकव्रणशल्यश्रेयः पापाख्यायकादि ३४२-३४४ सूत्राणि
એ દૃષ્ટાંતે ચાર પ્રકારના પુરુષો કહેલા છે. તે આ પ્રમાણે–૧. કોઈક પુરુષ અંદરથી દુષ્ટ છે પણ બહારથી દુષ્ટ નથીસૌમ્ય દેખાય છે. ૨. કોઈક પુરુષ કારણવશાત્ બહારથી દુષ્ટ દેખાય છે પણ અંદરથી દુષ્ટ નથી, ૩. કોઈક અંદર અને બહારથી દુષ્ટ છે અને ૪. કોઈક અંદર કે બહારથી દુષ્ટ નથી. (૪) ચાર પ્રકારના પુરુષો કહેલા છે, તે આ પ્રમાણે-૧, કોઈક પુરુષ શ્રેયાંસ-પ્રશંસાયોગ્ય ભાવવાળો છે અને સદનુષ્ઠાનવાળો છે-તે સાધુ, ૨. કોઈક પ્રશંસા યોગ્ય ભાવવાળો છે પણ અવિરતિપણાને લઈને પાપવાળો છે-તે સમકિતી, ૩. કોઈક મિથ્યાત્વી હોવાથી પાપવાળો છે પણ કારણવશાત્ સદનુષ્ઠાનવાળો છે-ઉદયી નૃપને મારનાર કપટી સાધુની જેમ અને ૪. કોઈ અપ્રશસ્ય ભાવવાળો, અને પાપ અનુષ્ઠાનવાળો છે-કાલસૌકરિકની જેમ. (૧) ચાર પ્રકારના પુરુષો કહેલા છે, તે આ પ્રમાણે-૧. એક પુરુષ ભાવથી શ્રેયાંસ છે અને દ્રવ્યથી બીજાને પ્રશંસવા યોગ્ય બુદ્ધિ ઉત્પન્ન કરવા વડે શ્રેયાંસ તુલ્ય છે, ૨, કોઈ પુરુષ ભાવથી શ્રેયાંસ છે પણ દ્રવ્યથી “આ પાપી છે” એવી બુદ્ધિ બીજાને ઉત્પન્ન કરવા વડે પાપાંશતુલ્ય છે, ૩. કોઈક ભાવથી પાપાંશ છે પણ દ્રવ્યથી શ્રેયાંસ તુલ્ય છે અને ૪. કોઈ ભાવથી પાપાંશ અને દ્રવ્યથી પણ પાપાંશ તુલ્ય છે. (૨) ચાર પ્રકારના પુરુષો કહેલા છે, તે આ પ્રમાણે–૧. કોઈક પુરુષ પ્રશંસવા યોગ્ય છે અને પોતાના આત્માને શ્રેષ્ઠ માને છે, ૨, કોઈક શ્રેષ્ઠ છે પણ પોતાના આત્માને પાપી માને છે–દઢપ્રહારી મુનિની જેમ, ૩. કોઈક પાપી છે. પણ પોતાના આત્માને શ્રેષ્ઠ માને છે-કુતીર્થિકવતું અને ૪. કોઈક પાપી છે અને પોતાના આત્માને પાપી માને છેસદ્ધોધવાળો હોવાથી. (૩) ચાર પ્રકારના પુરુષો કહેલા છે, તે આ પ્રમાણે–૧. કોઈક પુરુષ ભાવથી શ્રેષ્ઠ છે અને દ્રવ્યથી કંઈક શુભ ક્રિયાવાળો હોવાથી લોકો વડે શ્રેષ્ઠ તુલ્ય મનાય છે. ૨. કોઈક પુરુષ ભાવથી શ્રેષ્ઠ છે પણ લોકો વડે પાપી મનાય છે-કારણવશાત્ અસદનુષ્ઠાનવાળો હોવાથી, ૩. કોઈક ભાવથી પાપી છે પણ કંઈક સારું અનુષ્ઠાન કરતો હોવાથી લોકો વડે શ્રેષ્ઠ તત્ય મનાય છે અને ૪. કોઈક ભાવથી પાપી છે અને લોકો વડે પણ પાપી મનાય છે. (૪) ચાર પ્રકારના પુરુષો કહેલા છે, તે આ પ્રમાણે-૧, કોઈક પુરુષ પ્રવચનનો આગાયક-પ્રરૂપક છે પણ શાસનનો. પ્રભાવક નથી કેમ કે તે ઉદાર ક્રિયા રહિત છે, ૨. કોઈક પુરુષ શાસનનો પ્રભાવક છેપણ પ્રવચનનો પ્રરૂપક નથી, ૩. કોઈક પ્રરૂપક છે અને પ્રભાવક પણ છે અને ૪. કોઈક પ્રરૂપક નથી અને પ્રભાવક પણ નથી. (૫) ચાર પ્રકારના પુરુષો કહેલા છે, તે આ પ્રમાણે–૧. કોઈક પુરુષ સ્ત્રાર્થનો પ્રરૂપક છે પણ શુદ્ધ એષણામાં તત્પર નથી, ૨. કોઈક શદ્ધ એષણામાં તત્પર છે પણ શુદ્ધ પ્રરૂપક નથી, ૩. કોઈક શબ્દ પ્રરૂપક અને શદ્ધ એષણામાં તત્પર છે અને ૪. કોઈ શુદ્ધ પ્રરૂપક નથી તેમ શુદ્ધ એષણામાં તત્પર પણ નથી. (૬) ચાર પ્રકારે વૃક્ષની વિદુર્વણા કહેલી છે, તે આ પ્રમાણે
પ્રવાલ (નવા અંકુર) પણાએ, પત્રાણાએ, ફૂલપણાએ અને લપણાએ. /૩૪૪ો ' (ટી0) 'વવિદે ત્યાદિ સુગમ છે. વિશેષ એ કે-વાયુ છે નિદાન જે રોગનું તે વાતિક, એમ સર્વત્ર જાણવું. વિશેષ એ કેબે દોષઅથવા ત્રણ દોષનો સંયોગ તે સન્નિપાત. વાયુ વગેરેનું સ્વરૂપ આ પ્રમાણે–
तत्र रूक्षो १ लघुः २ शीतः ३ खरः ४ सूक्ष्म ५ श्वलो ६ ऽनिलः । पित्तं सस्नेह १ तीक्ष्णो २ ष्णं ३ लघु ४ विश्रं ५ सरं ६ द्रवम् ।।२१८।। कफो गुरु १ हिमः २ स्निग्धः ३ प्रक्लेदी ४ स्थिर ५ पिच्छिलः । सन्निपातस्तु सङ्कीर्णलक्षणो व्यादिमीलकः ।।२१९।। वातादीनां कार्याणि पुनरिमानिपारुष्यसङ्कोचनतोदशूलश्यामत्वमङ्गव्यथचेष्ट भङ्गाः ।
सुप्तत्वशीतत्वखरत्वशोषाः कर्माणि वायोः प्रवदन्ति तज्ज्ञाः।।२२०।। 1. વાત અને પિત્ત, વાત અને કફ, પિત્ત અને કફ એ દ્વિદોષ સન્નિપાત અને વાત, પિત્ત અને કફ ત્રણેનો મિલાપ તે ત્રિદોષ સન્નિપાત,
448