________________
४ स्थानकाध्ययने उद्देशः ३ संख्यानानि अन्यकारोद्योतकारकाः ३३८ सूत्रम्
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग १
गां दृष्ट्वाऽयमरण्येऽन्यं गवयं वीक्षते यदा । भूयोऽवयवसामान्यभाजं वर्त्तुकण्ठकम् ॥२११ ।। तस्यामेव त्ववस्थायां यद्विज्ञानं प्रवर्त्तते । पशुनैतेन तुल्योऽसौ गोपिण्ड इति सोपमा ॥ २१२ ॥
કોઈક પુરુષ બળદને જોઈને જંગલમાં ઘણા અવયવોની સમાનતા ધારણ કરનાર અને ગોળ કંઠવાળા અન્ય રોઝને જ્યારે જુએ છે ત્યારે તે જ અવસ્થામાં આ પશુના જેવો આ બળદ છે એવું જે જ્ઞાન પ્રવર્તે છે તે ઉપમાન છે. અથવા સાંભળેલ અતિદેશ વાક્યના સમાન અર્થની પ્રાપ્તિને વિષે સંજ્ઞા અને સંજ્ઞી (સંજ્ઞાવાળા) ના સંબંધનું જે જ્ઞાન તે ઉપમાન કહેવાય છે. (૨૧૧–૨૧૨)
'આમ્યતે' જેના વડે પદાર્થો જણાય છે તે જ આગમ અર્થાત્ આપ્તપુરુષના વચન વડે પ્રાપ્ત કરવા યોગ્ય અગમ્ય પદાર્થના નિર્ણયરૂપ છે. કહ્યું છે કે—
दृष्टेष्टाव्याहताद् वाक्यात् परमार्थाभिधायिनः । तत्त्वग्राहितयोत्पन्नं मानं शाब्दं प्रकीर्त्तितम् ॥२१३ ॥ आप्तोपज्ञमनुल्लङ्घ्यमदृष्टेष्टविरोधकम् ।। तत्त्वोपदेशकृत् सार्वं शास्त्रं कापथघट्टनम् ।।२१४।। [न्याया० ८।९ त्ति]
તત્ત્વના ગ્રહણ કરાવનારપણાએ દૃષ્ટબાધ અને ઇષ્ટબાધથી રહિત તેમજ પરમાર્થને કહેનાર વાક્ય વડે થતું જે જ્ઞાન તે શાબ્દ (આગમ) પ્રમાણ કહેલ છે. આપ્તપુરુષે કહેલું નહિં ઉલ્લંઘન કરવા યોગ્ય, દૃષ્ટ અને ઇષ્ટનું વિરોધ નહિં કરનારું, તત્ત્વનો ઉપદેશ કરનારું અને સમસ્ત શાસ્ત્ર છે. અહિં જેના વિના ઉત્પન્ન ન થવાય તે હેતુ વડે જન્ય હોવાથી અનુમાન જ છે, પણ કાર્યને વિષે કારણનો ઉપચાર કરવાથી હેતુ છે. (૨૧૩–૨૧૪)
તે ચતુર્ભૂગીરૂપ હોવાથી ચાર પ્રકારે છે. ૧. અસ્તિ-વિદ્યમાન છે તલિંગભૂત ધૂમ વગેરે વસ્તુ એમ કરીને 'અસ્તિ સઃ'–અગ્નિ વગેરે સાધ્ય પદાર્થ છે માટે આ હેતુ અનુમાન છે. વળી ૨. અગ્નિ વગેરે વસ્તુ છે, આને લઈને તેનાથી વિરુદ્ધ શીત વગેરે પદાર્થ નથી, આ હેતુ પણ અનુમાન છે. વળી ૩. અગ્નિ વગેરે વસ્તુ નથી, તેથી શીતકાલંને વિષે તે શીતાદિ પદાર્થ છે, આ હેતુ પણ અનુમાન છે. વળી ૪. વૃક્ષત્વાદિ નથી માટે શીશમના ઝાડ વગેરે વસ્તુ નથી, આ હેતુ પણ અનુમાન છે. અહિં ૧ શબ્દમાં કૃતકત્વનું અસ્તિપણું હોવાથી ઘટની જેમ અનિત્યપણું છે. તથા ધૂમના અસ્તિપણાથી અહિં મહાનસ–રસોડાની જેમ અગ્નિ છે ઇત્યાદિ સ્વ (પોતાના) ભાવનું અનુમાન અને કાર્યનું અનુમાન પ્રથમ ભંગ વડે સૂચન કરેલ છે. તથા ૨ અગ્નિનું અસ્તિત્વ હોવાથી અથવા ધૂમનું અસ્તિત્વ હોવાથી શીતનો સ્પર્શ નથી, ઇત્યાદિ વિરુદ્ધ ભાવની પ્રાપ્તિરૂપ અનુમાન અને વિરુદ્ધ કાર્યની પ્રાપ્તિરૂપ અનુમાન છે. અગ્નિનું અથવા ધૂમનું અસ્તિત્વ હોવાથી શીતના સ્પર્શનથી થયેલ દાંત, વેણી (કેશપાશ) અને રોમ (રુંવાડા) નું કંપન વગેરે મહાનસની જેમ પુરુષના વિકારો નથી, ઇત્યાદિ કારણથી વિરુદ્ધની પ્રાપ્તિનું અનુમાન અને કારણથી વિરુદ્ધ કાર્યની પ્રાપ્તિનું અનુમાન દ્વિતીયભંગ વડે કહેલ છે. તથા ૩ છત્રાદિનું અથવા અગ્નિનું નાસ્તિપણું હોવાથી કોઈક 'કાલાદિવિશેષમાં આતપ (તડકો) અથવા શીતનો સ્પર્શ છે—પહેલાં પ્રાપ્ત થયેલ પ્રદેશને વિષે આતપ અને શીતસ્પર્શની જેમ. ઇત્યાદિક વિરુદ્ધ કારણાનુપલંભઅનુમાન અને વિરુદ્ધાનુપલંભઅનુમાન તૃતીય ભંગ વડે સ્વીકારેલ છે. તથા જોવાની સામગ્રી છતે ઘટની પ્રાપ્તિના અભાવપણાથી વિવક્ષિત પ્રદેશની જેમ અહિં ઘટ નથી–ઇત્યાદિ સ્વાભાવાનુપલબ્ધિ અનુમાન. ધૂમના અભાવપણાથી સંપૂર્ણ ધૂમનો કારણસમૂહ નથી–અન્ય પ્રદેશની જેમ, ઇત્યાદિ કાર્યાનુપલબ્ધિઅનુમાન. વૃક્ષના અભાવથી શીશમનું વૃક્ષ નથી ઇત્યાદિ વ્યાપકાનુપલંભઅનુમાન તથા અગ્નિના અભાવથી ધૂમ નથી ઇત્યાદિ કારણાનુપલંભઅનુમાન ચતુર્થભંગ વડે કહેલ છે. આ જૈન પ્રક્રિયા નથી એમ કહેવું નહિં, કેમ કે સર્વત્ર જૈનદર્શનને અભિમત અન્યથા અનુપપન્નત્વરૂપ હેતુના લક્ષણનું વિદ્યમાનપણું છે. II૩૩૮।।
હમણાં જ હેતુ શબ્દ વડે જ્ઞાનવિશેષ કહ્યો, તેના અધિકારથી જ્ઞાનવિશેષનું નિરૂપણ કરવા માટે સૂત્રકાર કહે છે–
1. ઉન્હાળામાં છત્રના અભાવથી આતપનો અને શીયાળામાં અગ્નિના અભાવથી શીતનો સ્પર્શ છે.
442