________________
४ स्थानकाध्ययने उद्देशः ३ संख्यानानि अन्यकारोद्योतकारकाः ३३८ सूत्रम् श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग १ चउव्विहे संखाणे पन्नत्ते, तंजहा-पडिकम्मं १ ववहारे २ रज्जू ३ रासी ४ । अहोलोगे णं चत्तारि अंधगारं करेंति, तंजहा–णरगा, णेरइया, पावाई कम्माइं, असुभा पोग्गला १, तिरियलोगे णं चत्तारि उज्जोतं करेंति, तंजहाचंदा, सूरा, मणि, जोती २। उड्डलोगे णं चत्तारि उज्जोतं करेंति, तंजहा-देवा, देवीओ, विमाणा, आभरणा ३ // સૂ ૨૨૮
॥चउट्ठाणस्स ततिओ उद्देसओ समत्तो । (મૂ9) ચાર પ્રકારે ગણિત કહેલ છે, તે આ પ્રમાણે–૧. પરિકર્મ–પાટીગણિત એક, દશ વગેરે, ૨. વ્યવહાર-તોલ, માપ . વગેરે, ૩. રજુ-ફૂટ, ગજ વગેરે અને ૪. રાશિ-ત્રિરાશિ વગેરે (૧) અધોલોકમાં ચાર વસ્તુ અંધકાર કરે છે, તે આ પ્રમાણેનરકવાસો, નરયિકો, પાપકર્મો અને અશુભ પુદ્ગલો (૨) તિરછાલોકને વિષે ચાર વસ્તુ ઉદ્યોત કરે છે, તે આ પ્રમાણે–ચંદ્રો, સૂર્યો, મણિ અને અગ્નિ (૩) ઊર્ધ્વલોકમાં ચાર વસ્તુ ઉદ્યોત કરે છે, તે આ પ્રમાણે–૧. દેવો, ૨.
દેવીઓ, ૩. વિમાનો અને ૪. આભરણો ૩૩૮ (ટી) વર્ષ્યાિ ત્ય૦િ સંખ્યા કરાય છે જેના વડે ગણાય છે તે સંખ્યાન અર્થાત્ ગણિત. તેમાં સંકલના (ગોઠવણ) વગેરે પાટી પ્રસિદ્ધ છે. એમ વ્યવહાર પણ મિશ્રક વ્યવહાર વગેરે અનેક પ્રકારે છે. રજુ-રજૂગણિત અર્થાત્ ક્ષેત્રગણિત. રાશિ'ત્રિરાશિ, પંચરાશિ વગેરે (૧) રજુ શબ્દથી ક્ષેત્રગણિત કહ્યું, ક્ષેત્રના સંબંધથી ત્રણ પ્રકારે વિભાગ કરાયેલ લોકરૂપ ક્ષેત્રની, અંધકાર અને ઉદ્યોતને આશ્રયીને ત્રણ સૂત્ર વડે, પ્રરૂપણા કહે છે–' ત્યાદિ સુગમ છે. વિશેષ એ કે-પૂર્વોક્ત લક્ષણવાળા અધોલોકને વિષે ચાર વસ્તુ અંધકાર કરે છે]-નરકાવાસો, નરયિકો આ બે કૃષ્ણસ્વરૂપ હોવાથી અંધકાર કરે છે તથા જ્ઞાનાવરણાદિ પાપકર્મો, મિથ્યાત્વ અને અજ્ઞાનરૂપ ભાવ અંધકારના કરનારા હોવાથી અંધકાર કરે છે એમ કહેવાય છે. અથવા અંધકારસ્વરૂપ અપોલોકને વિષે પ્રાણીઓને ઉત્પન્ન કરનારા હોવાથી પાપકર્મોને અંધકારનું કર્તુત્વ-કર્તાપણું છે તથા અશુભ પુદ્ગલો અંધકાર ભાવ વડે પરિણામને પામેલા છે. મળ' રિ૦ ચંદ્રકાંત વગેરે મણિઓ, ગોફ રિ૦ જ્યોતિ-અગ્નિ. T૩૩૮ો
// ચતુર્થ સ્થાનકના તૃતીય ઉદ્દેશકની ટીકાનો અનુવાદ સમાપ્ત
ચોર અને ચોરના પર્યાયવાચી નામો : (૧) ચોર (૨) ચોરી કરવાવાળો (૩) ચોરીનો માલ વેચવાવાળો (૪) ચોરને ભોજન વગેરે કરાવવાવાળો (૫) ચોરને સહાયતા દેનાર (૬) સલાહ આપવાવાળો (૭) આશ્રયદાતા. આ સાતેયને ચોરનાં રૂપમાં દર્શાવ્યા છે. (પ્રશ્ન વ્યાકરણ ૩ દ્વાર) ચોર તેને કહે છે કે જે પોતે ચોરી કરવા ન જાય પરત મુખી બનીને રહે બીજા નંબર ચોરી કરવાવાળા અલગથી આ અપેક્ષાથી બતાવ્યા છે. ચોરના અઢાર પર્યાયવાચી નામો પણ બતાવ્યા છે. (૧) મિલન (ચોરોને મળવાવાળો) (૨) કુશલ (૩) તજ (સાંકેતિક શબ્દ કારક) (૪) રાજભાગ (૫) અવલોકન (૬) અમાર્ગદર્શન (૭) શધ્યા (૮) પદભેગ (૯) વિશ્રામ (૧૦) પાદપતન (૧૧) આસનદાર (૧૨) ગોપન (૧૩) ખંડખાદન (૧૪) મોહરાજિક (૧૫) પદમ (સાબુ ગર પાણી દાતા) (૧૬) અગ્નિદાન (૧૭) ઉદકદાન (૧૮) દોરડાદિ દાન. એક વાત સ્પષ્ટ છે કે કોઈપણ પ્રકારે સહાયતા કરવાવાળો ચોર છે.
_
443