SearchBrowseAboutContactDonate
Page Preview
Page 453
Loading...
Download File
Download File
Page Text
________________ ४ स्थानकाध्ययने उद्देशः ३ संख्यानानि अन्यकारोद्योतकारकाः ३३८ सूत्रम् श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग १ વ્યામોહ [ભ્રમ) ઉત્પન્ન કરે છે તે શકટ અને તીતરને ગ્રહણ કરનાર ધૂર્તની જેમ યંસક છે. તેની કથા કહે છે-કોઈક પુરુષે રસ્તાના મધ્યમાં મળેલ મૃત તીતરયુક્ત શકટ (ગાડું) વડે નગરમાં પ્રવેશ કર્યો. તેને પૂર્વે કહ્યું કે આ 'શકટતીતર કેમ મળે છે? તે પુરુષ-આ શકટ સંબંધી તીતર માગે છે એમ વિચારીને કહ્યું કે_"તર્પIોડિયા' પાણી વગેરેથી મસળેલ સાથુઆ વડે મળે છે. ત્યાર પછી ધૂર્તે સાક્ષીઓને બોલાવીને તીતર સહિત શકટને ગ્રહણ કર્યું અને કહ્યું કે-આ બન્ને મારા છે, એણે જ શકટતીતર આપેલ છે. મેં તો શકટસહિત તીતર તે શકટતિત્તરી ગ્રહણ કરેલ છે. આ પ્રમાણે બનવાથી ગાડાવાળો ખેદ પામ્યો. કહ્યું છે કે-''સા સતત્તિરી યંસ મિ ફેમિ હોવું યત્રા'' શિર્વ. નિ. ૮૮ ]િ શકટ સહિત તીતરનું ઉદાહરણ ભંસક હેતુમાં કહેલ છે. તે આવી રીતે–"તિ નીવોતિ પટ "જીવ છે, ઘટ છે, એમ સ્વીકાર કર્યો છતે જીવ અને ઘટને વિષે અસ્તિત્વ સમાનપણાએ વર્તે છે તેથી તે બન્નેનું એકપણું થયું, અભિન્ન શબ્દનો વિષય હોવાથી બંસક હેતુ. ઘટ શબ્દનો વિષય ઘટના સ્વરૂપની જેમ. વળી અસ્તિત્વ જીવાદિમાં વર્તતું નથી, તેથી જીવાદિનો અભાવ થાય, કેમ કે અસ્તિત્વનો અભાવ હોવાથી બંસક હેતુ છે જેમકે તે પ્રતિવાદીને વ્યામોહ કરનાર છે. તથા 'તૂસપત્તિ વ્યસક વડે પ્રાપ્ત થયેલ અનિષ્ટ લૂંટે છે. અર્થાત્ ગયેલ વસ્તુને પાછી વાળે છે તે લૂષકહેતુ. તે જ શાકટિકે-ગાડાવાળાએ જેમ બીજા ધૂર્તે તેને શીખવ્યું ત્યારે તે ધૂર્ત પાસે જઈને માગ્યું કે-મને તર્પણાલોડિકા આપ. ત્યાર પછી તે પૂર્વે પોતાની સ્ત્રીને કહ્યું કે-આને સત્યુ (પાત્રવિશેષ વડે) મસળેલ પિંડ આપ. તેમ કરતી થકી–સાથુઆના પિંડને મસળતી એવી તેની ભાર્યાને ગ્રહણ કરીને તે ચાલતો થયો અને ધૂર્તને કહ્યું કેઆ સ્ત્રી મારી છે કેમ કે સત્યુ વડે જે મસળે છે તે તર્પણાલોડિકા છે અને તે તેં જ આપેલ છે. કારણ કે-અસ્તિત્વની વૃત્તિ વડે જીવ અને ઘટને વિષે તું એકત્વની સંભાવના કરે છે ત્યારે સર્વ ભાવોનું એકત્વ થશે. કારણ કે સર્વ ભાવોને વિષે પણ અસ્તિત્વવૃત્તિની સમાનતા છે, પરંતુ એમ થતું નથી. અહિં અસ્તિત્વવૃત્તિની સમાનતા હોવાથી આ લૂષક હેતુ છે, કેમ કે જીવ અને ઘને વિષે અભાવની આપત્તિરૂપ એકત્વના પ્રતિપાદક લક્ષણને અથવા બીજાએ ઉત્પન્ન કરેલ અનિષ્ટને લૂટેલ છે. ૧. 'હવે' તિપ્રકરાંતર વડે હેતુને જણાવનાર વિકલ્પ અર્થવાળો ‘અથવા” શબ્દ છે. "હિનોતિ' પ્રમેયરૂપ પદાર્થને જે જણાવે છે તે અથવા જેના વડે પદાર્થ જણાય છે તે હેત, અર્થાત્ પ્રમેયની પ્રમિતિ-નિર્ણય કરવામાં જે કારણ તે પ્રમાણ. તે સ્વરૂપ વગેરેના ભેદથી ચાર પ્રકારે છે. તેમાં પ d' ત્તિ અર્થો પ્રત્યે જે વ્યાપ્ત થાય છે તે અક્ષ-આત્મા. તે પ્રત્યે જે જ્ઞાન વર્તે છે. તે પ્રત્યક્ષ જ્ઞાન છે. નિશ્ચયથી અવધિ, મન:પર્યવ અને કેવળરૂપ છે. અથવા અક્ષ-ઇંદ્રિયો પ્રત્યે જે જ્ઞાન વર્તે છે તે વ્યવહારથી પ્રત્યક્ષ છે, અને તે ચક્ષુ વગેરેથી થયેલું છે. પ્રત્યક્ષનું લક્ષણ કહે છે– अपरोक्षतयाऽर्थस्य, ग्राहकं ज्ञानमीदृशम्। प्रत्यक्षमितरज् ज्ञेयं परोक्षं ग्रहणेक्षया ॥२०९।। [न्याया० ४] પદાર્થનું અપરોક્ષપણાએ ગ્રહણ કરનાર જે જ્ઞાન તે પ્રત્યક્ષ અને ઇંદ્રિયો વડે ગ્રહણની અપેક્ષાએ બીજું પરોક્ષ જાણવું. (૨૦૯) 'અનુ'–લિંગ (ચિહ્ન) નું દર્શન અને સંબંધના અનુસ્મરણ પછી 'મા'—જે જ્ઞાન તે ર અનુમાન છે, એનું લક્ષણ આ પ્રમાણે– साध्याविना मुवो लिङ्गात् साध्यनिश्चायकं स्मृतम् । अनुमानं तदभ्रान्तं प्रमाणत्वात् समक्षवद् ।।२१०।। [न्याया ०५] * સાધ્ય વિના હેતુથી ન થનાર અને સાધ્યનો નિશ્ચય કરાવનાર અનુમાન છે, કેમ કે પ્રમાણ હોવાથી પ્રત્યક્ષની માફક તે ભ્રાંતિ રહિત છે. (૨૧૦) આ સાધ્ય વિના ન થનાર હેતુથી ઉત્પન્ન થવા વડે પણ ઉપચારથી હેતુ છે. ૩ ઉપમાન તે ઉપમા, તે ઉપમ્પ, આથી રોઝના જેવો આ બળદ છે” એવી સમાનતાના નિર્ણયરૂપ છે. કહ્યું છે કે1. અહિં “શકટતીતર' શબ્દ વિભક્તિ રહિત હોવાથી ભ્રમજનક છે. 441
SR No.005767
Book TitleSthanang Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy