SearchBrowseAboutContactDonate
Page Preview
Page 452
Loading...
Download File
Download File
Page Text
________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग १ ४ स्थानकाध्ययने उद्देशः ३ संख्यानानि अन्यकारोद्योतकारकाः ३३८ सूत्रम् -શેય વસ્તુને જણાવે છે માટે હેતુ, અન્યથા અનુપપત્તિ લક્ષણરૂપ છે. કહ્યું છે કે अन्यथाऽनुपपन्नत्वं हेतोर्लक्षणमीरितम् तदप्रसिद्धि सन्देह विपर्यासैस्तदाभता ॥२०८।। [न्याया० २२ त्ति] અન્યથા હેતુનું અનુપપત્તિરૂપ લક્ષણ કહેલ છે તેની અપ્રસિદ્ધિ, સંદેહ અને વિપર્યાસ વડે હેત્વાભાસપણે કહેલ છે. (૨૦૮). પૂર્વે કહેલ હેતુ પ્રશ્નના ઉત્તરરૂપ ઉપપત્તિ (યુક્તિ) માત્ર છે. અને આ હેતુ તો સાધ્ય પ્રત્યે અન્વય અને વ્યતિરેકવાળો છે. તેવા પ્રકારના દૃષ્ટાંત વડે તદ્ભાવનું સ્મરણ થાય છે તે એક લક્ષણવાળો છે, પરંતુ કિંચિત્ વિશેષથી ચાર પ્રકારે છે. નાવા' . ત્તિ વાદીને કાળની યાપના-વિલંબ કરાવે છે. જેમ કોઈક અસતી સ્ત્રી ‘એકેક રૂપીયા વડે એકેક ઉંટનું લીંડું દેવું એવી રીતે પતિને શિખામણ આપીને તે લીંડાંને વેચવા માટે ઉજ્જયનીમાં મોકલવાના ઉપાય વડે વિટ (ઉત્કંઠ) પુરુષની સેવામાં કાલની યાપના કરતી હતી, આ ૧ યાપકત છે. કહ્યું છે કે "૩૦મામિયા મદિતા, ગાવામ તિહાર' શિર્વ૮૭ ઉત્ત] કુલટા સ્ત્રી જે યાપન કરે તે યાપક હેતુ. ઉદાહરણમાં ઊંટના લીંડાની કથા. અહિં વૃદ્ધોએ વ્યાખ્યાન કર્યું છે કે-પ્રતિવાદીને જાણીને તેવા તેવા વિશેષણ બહુલ હેતુ કરવા યોગ્ય છે કે જેથી કાળની થાપના (વિલંબ) થાય છે અને વાદી પ્રકૃત વિષયને જાણતો નથી. તે સંભાવના આવા પ્રકારે કરાય છે–પવનો ચેતનવાળા છે. અન્ય વડે પ્રેરણા થયે છતે તિરછો અને અનિયતપણાએ ગાયના શરીરની જેમ ગતિમાનું હોય છે. આ હેતુ, વિશેષણની બહુલતાએ બીજાને દુ:ખપુર્વક જાણવારૂપ હોવાથી વાદીને કાળની યાપના કરે છે. હેતના સ્વરૂપને ન જાણતો થકો વાદી જલ્દીથી અનેકાંતિકત્વ વગેરે દૂષણોને પ્રગટ કરવા માટે સમર્થ થતો નથી, માટે આ હેતથી વાદીને કાલની યાપના થાય છે. અથવા વ્યાતિની પ્રતીતિ ન થવા વડે બાપ્તિસાધક પ્રમાણાંતરની વિશેષ અપેક્ષા સહિત હોવાથી વાદી જલ્દીથી સાધ્યની પ્રતીતિ કરતો નથી, પરંતુ કાળક્ષેપ થાય છે. આ હેતુ સાધ્યની પ્રતીતિ પ્રત્યે વિલંબ કરાવનાર હોવાથી યાપક છે. જેમ વસ્તુ સત્ત્વ (છતાપણું) હોવાથી ક્ષણિક છે. બૌદ્ધના પક્ષમાં “સત્તાતુ” આ હેતુ છે, પરંતુ એમ શ્રવણ માત્રથી કોઈ અન્ય ક્ષણિકપણા પ્રત્યે પ્રતીતિ કરતા નથી, આથી બૌદ્ધ સત્ત્વ (છતાપણું) ક્ષણિકત વડે વ્યાપ્ત છે. આ વ્યાપ્તિને સાધવા માટે પ્રયત્ન કરે છે, તે બતાવે છે–નામનું અર્થક્રિયાકારીપણું જ સત્ત્વ છે અર્થાત્ ઘટ નામ જલાહરણ-પાણી લાવવું વગેરે ક્રિયા કરનાર થાય તો જ ઘટમાં અર્થક્રિયાકારીપણું છે; અન્યથા વંધ્યાના પુત્રને પણ સ (છતાપણા) નો પ્રસંગ આવશે. નિત્યનું એક સ્વરૂપ હોવાથી અર્થક્રિયા ક્રમ વડે નહિં થાય, અને યૌગપદ્ય-એકી સાથે પણ નહિ થાય; કેમ કે ક્ષણાંતર (અન્ય ક્ષણ) માં અકર્તાપણાનો પ્રસંગ થશે. આ હેતુથી અર્થક્રિયાલક્ષણરૂપ સત્ત્વ, અક્ષણિકથી નિવર્તમાન થયું થયું ક્ષણિક જ રહે છે. આવી રીતે કાળક્ષેપ વડે સાધ્ય અને સાધનને વિષે કાળની યાપના કરનાર હોવાથી ‘સર્વો’ લક્ષણ હેતુ યાપક છે. સ્થાપતિ’ વ્યાપ્તિ પ્રસિદ્ધ હોવાથી કાળક્ષેપ વિના પક્ષનું સમર્થન કરે છે. જેમ કોઈક ધૂર્ત પરિવ્રાજક એમ કહે છે-લોકના મધ્યભાગમાં આપેલું બહુફલવાળું થાય છે, તે મધ્યભાગને હું જ જાણું છું એમ માયા વડે દરેક ગામમાં ભિન્ન ભિન્ન લોકોના મધ્યભાગને પ્રરૂપતો હતો. તેનો નિગ્રહ કરવા માટે કોઈક શ્રાવકે કહ્યું કે-“લોકના મધ્યભાગનું એકપણું હોવાથી ઘણા ગામોને વિષે તેનો સંભવ કેવી રીતે હોય? આવી રીતે યુક્તિથી તારા વડે બતાવેલ ભૂલોકનો મધ્યભાગ થતો નથી. આ પ્રમાણે પક્ષ સ્થાપન કર્યું માટે ૨ સ્થાપકત છે. કહ્યું છે કે-"નોમિક્સના, થાવાદે સાદ" " [શર્વનિ૮૮–લોકના મધ્ય ભાગને હું જાણું છું. એ સ્થાપક હેતુનું ઉદાહરણ છે. ધૂમ હોવાથી અહિં અગ્નિ છે, વળી દ્રવ્ય અને પર્યાયથી વસ્તુ નિત્યાનિત્ય છે, તે પ્રમાણે પ્રતીય માનપણાથીચોકસ થતી આ બે હેતુની પ્રસિદ્ધ વ્યામિ વડે કાળક્ષેપ વિના સાધના સ્થાપનથી સ્થાપકપણું છે. તથા 'ચંતિ’ બીજાને જે 1. વત્ સત્ તત્ લામ્ તે વ્યકિ-બે સત્ છે તે ક્ષણિક છે, આ વ્યાક્ષિ છે. 440
SR No.005767
Book TitleSthanang Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy