________________
४ स्थानकाध्ययने उद्देशः ३ आहरणभेदाः ३३८ सूत्रम्
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग १ પ્રાપ્તિની જેમ.તે બન્નેના મધ્યમાં પડેલા પત્રોને ઉભય (જલચર-સ્થલચરમિશ્રિત) રૂપનો પ્રસંગ આવશે; પરંત ઉભયસ્વરૂપ જીવો તો સ્વીકારેલ નથી. અથવા જીવ આકાશની જેમ અમૂર્તપણાથી નિત્ય છે. આવી રીતે વાદીએ કહ્યું છતે તેને ઉત્તર આપે છે-જીવ મૂર્ણપણાથી કર્મની માફક અનિત્ય જ થાઓ. તન્નવસ્થ’ ત્તિ અન્ય વડે સ્થપાયેલ વસ્તુથી ઉત્તરભૂત અન્ય વસ્તુ છે જે ઉપન્યાસઉપનયમાં તે ૨. તદજવસ્તુક. જેમ જલમાં પડેલાં પત્રો જલચર જીવો થાય છે એમ કહ્યું છતે, એનું નિરસન કરવાને માટે પતનથી અન્ય ઉત્તર કહે છે-જે પત્રોને પડાવીને ખાય છે અથવા લઈ જાય છે તે પાંદડાનું શું થશે? કયા રૂપમાં આવશે? કંઈ નહિ થાય. આ પણ જણાવનારાણાએ જ્ઞાત કહેલ છે. અથવા આ જ્ઞાત યથારૂઢ જ છે. તે કહે છે-જલ અને
પત્રો મનુષ્ય વગેરેથી આશ્રિતપત્રોની માફક જલચરદિ જીવોરૂપે સંભવતા નથી. અહિં આ અભિપ્રાય છે કે-જેમ જલાદિ વડે આશ્રિત થવાથી પત્રો જલચરાદિ પણે ઉત્પન્ન થાય છે તેમ મનુષ્યાદિ વડે આશ્રિત થવાથી મનુષ્યાદિથી ઉત્પન્ન થયેલ યૂકા (જૂ) આદિ સ્વરૂપે ઉત્પન્ન થાઓ; કારણ કે આશ્રિતપણાની સમાનતા હોય છે. પરંતુ તે પત્રો તેમ તે સ્વરૂપે સ્વીકારેલ નથી માટે જલ વગેરેમાં પડેલાં પત્રોનું પણ જલચરપણું વગેરેનો અસંભવ છે. નિ' ત્તિ જે ઉપન્યાસઉપનયમાં વાદીએ સ્થાપેલ વસ્તુની સમાન વસ્તુ ઉત્તર દેવા માટે સ્થાપન કરાય છે તે ૩. પ્રતિનિભ. જેમ કોઈ પણ પ્રતિજ્ઞા કરે છે કે-જે પુરુષ અને અપૂર્વ વસ્તુ સંભળાવે તેને એક લાખના મૂલ્યવાળો કટોરો આપું. તેને અપૂર્વ સંભળાવ્યું તો પણ તે અપૂર્વ નથી એમ સ્વીકારે છે. ત્યાર બાદ એક સિદ્ધપુત્રે કહ્યું કેतुज्झ पिया मज्झ पिउणो, धारेइ अणूणयं सयसहस्सं । जइ सुयपुव्वं दिज्जउ, अह न सुयं खोरयं देहि ॥२०७॥
દિશા નિ ૮૬ ]િ તારા પિતાએ મારા પિતા પાસેથી સંપૂર્ણ એક લાખ દ્રવ્ય લીધેલું છે, તે જો તે પૂર્વે સાંભળ્યું હોય તો લાખ દ્રવ્ય આપ, - અને ન સાંભળ્યું હોય તો આ અપૂર્વ છે માટે કટોરો આપ. (૨૦૭)
આ દષ્ટાંતની સદશતા આ પ્રમાણે કે-કોઈકે બધુંય કહ્યું છતે પણ મેં આ પ્રથમ સાંભળેલું છે એવી રીતે અસત્ય વચન બોલનારના નિગ્રહ માટે “તારા પિતાએ મારા પિતા પાસેથી લાખ દ્રવ્ય લીધેલ છે” આ પ્રકારે બે તરફથી બંધન સમાન અસત્ય વચનનું જ સ્થાપનપણું હોવાથી આ દૃષ્ટાંતથી પ્રતિનિભતા-સમાનપણું છે. યુક્તિમાત્રરૂપ આ પ્રતિનિભનું પણ અર્થને જણાવનાર હોવાથી જ્ઞાતપણું છે અથવા યથારૂઢ જ આ જ્ઞાત છે તે કહે છે. અહિં આ પ્રયોગ છે-મને કોઈ પણ શ્લોક વગેરે અશ્રુતપૂર્વ નથી અર્થાત્ બધુંય સાંભળેલું છે. આવા પ્રકારના અભિમાનરૂપ ધનવાળાને અમે ઉત્તર આપીએ છીએ કે તને અશ્રુતપૂર્વ-પૂર્વે નહિં સાંભળેલ વચન છે. તારો પિતા, મારા પિતાનો સંપૂર્ણ એક લાખ દ્રવ્યનો દેવાદાર છે. હેક' રિ૦ જે ઉપન્યાસઉપનયમાં પ્રશ્નો હેતુ ઉત્તરરૂપે કહેવાય છે તે ૪. હેતુ. કોઈક વડે કોઈક પ્રશ્ન પૂછાયો-શું તારા વડે યવ ખરીદાય છે? તે કહે છે કે-ફોકટ નથી મળતા માટે. વળી શા કારણથી તે બ્રહ્મચર્યાદિ અનુષ્ઠાન કરે છે? ઉત્તર-તપસ્યા નહિં કરનારાઓને નરકાદિને વિષે બહુ ભારે વેદના હોય છે માટે અનુષ્ઠાન કરું છું. આ પણ યુક્તિમાત્ર છે પરંતુ અર્થને જણાવનાર હોવાથી જ્ઞાતરૂપે કહેલ છે અથવા યથારૂઢ જ્ઞાત જ છે. તે કહે છે-આનો પ્રયોગ આ પ્રમાણે-શા કારણથી તારા વડે પ્રવજ્યા-ક્રિયા કરાય છે? એમ કોઈક વડે પૂછાયો થકો સાધુ કહે છે કે-પ્રવજ્યા સિવાય મોક્ષ થાય નહિં માટે ક્રિયા કરું છું. એનું સમર્થન કરવા માટે જ સાધુ તે પ્રત્યે કહે છે-અરે યવને ગ્રહણ કરનાર! શા માટે તારા વડે યવ ખરીદાય છે? તે કહે છે કે-મત નથી મળતા માટે. સાધુઓનો આ અભિપ્રાય છે-જેમ ફોકટ મળવાના અભાવથી તે યવોને ખરીદે છે એવી રીતે હું પણ પ્રવજ્યા વિના મોક્ષનો લાભ ન થવાથી સંયમ ક્રિયા કરું છું. અહિં ખરીદવામાં મફત યવના અલાભરૂપ હેતુને દષ્ટાંતરૂપે આપેલ હોવાથી હેતઉપન્યાસઉપનય જ્ઞાતતા છે. અહિં કિંચિત્ વિશેષણ વડે આવા પ્રકારના અન્ય જ્ઞાતભેદો પણ સંભવે છે, પરંતુ તે વિવક્ષિત નથી અથવા ગુરુઓ વડે કથંચિત્ અંતર્ભાવ વિવક્ષિત છે. પરંતુ અમે તેને સમ્ય જાણતા નથી. પ. હવે જ્ઞાત પછી દૃષ્ટાંતવાળા હેતુને સાધ્યસિદ્ધિનું અંગ હોવાથી તેના ભેદોને '' ઇત્યાદિ ત્રણ સૂત્ર વડે કહે છે આ સ્પષ્ટ છે. વિશેષ એ કે–હિનોતિ'
439