________________
१ स्थानाध्ययने सूत्र १७ से ४३ पर्यंतम्
श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १ જાણવું. નવાં-વિશેષ કહે છે-પર્યવો-જ્ઞાનાદિ વિશેષ ઉત્પન્ન થયેલ છે જેને તે પર્યવજાત થાય છે-વિશુદ્ધ થાય છે. આહિતાગ્નિ આદિ ગણથી “જાત” શબ્દને ઉત્તરપદપણુંછે. અથવા પર્યવોને અથવા પર્યવોને વિષે જે પ્રાપ્ત થયેલ છે તે પર્યવજાત, અગર તો વિંશિષ્ટ રક્ષા વા વિશિષ્ટ જ્ઞાન, તેને અથવા તેમાં પ્રાપ્ત થયેલ. lol.
ધર્મ અને અધર્મપ્રતિજ્ઞા ત્રણ યોગથી થાય છે તે કારણથી યોગનું સ્વરૂપ કહે છે-“ મને' ઇત્યાદિ ત્રણ સૂત્ર. તેમાં મન રૂતિ મનોયો-જે જે સમયમાં વિચારાય છે તે તે સમયમાં કાલવિશેષ મનયોગ એક જ છે. વીસાના નિર્દેશ વડે કોઈપણ સમયમાં બે વગેરે સંખ્યા તેની સંભવતી નથી. આ હેતુથી કહે છે–જીવોનું એક ઉપયોગ પણું હોવાથી મનનું એકપણું છે. શંકા(એક સમયમાં) એક જ ઉપયોગવાળો જીવ નહિં થાય? કારણ? એક સમયે તથાવિધ જુદા જુદા વિષયના ઉપયોગવાળા બે પુરુષની માફક શીત અને ઉષ્ણ સ્પર્શ વિષયનો અનુભવ બન્ને દેખાય છે અર્થાત્ બે ઉપયોગ થાય. અહિં સમાધાન કરે છે– જો કે આ શીત અને ઉષ્ણના બે ઉપયોગ પોતાના સ્વરૂપ વડે ભિન્ન કાલમાં હોવા છતાં પણ સમય અને મનની અતિ સૂક્ષ્મતા વડે એક સમયની જેમ પ્રતીત થાય છે, પરન્તુ તે એક સમયમાં જ શીત અને ઉષ્ણ બંનેની સાથે પ્રતીતિ થતી નથી. ભાષ્યકાર કહે છે– समयातिसुहुमयाओ, मनसि जुगवं च भिन्नकालं पि । उप्पलदलसयवेहं, व जइ व तमलायचक्कं ति ।।८४॥
[વિશેષાવ ૨૪૩૩] સમયનું અતિ સૂક્ષ્મપણું હોવાથી ભિન્ન ભિન્ન કાલ છતાં પણ એક સમયમાં તે સેંકડો કમલપત્રના વેધની માફક અથવા અલાતચક્રની જેમ (શીત અને ઉષ્ણ સ્પર્શનો અનુભવ) બન્ને માને છે. (૮૪)
વળી એક વિષયમાં જોડાયેલું મન જો બીજા વિષયનો પણ અનુભવ કરે તો બીજા વિષયમાં ગયેલ ચિત્તવાળો પુરુષ આગળ રહેલ હાથીને પણ કેમ જાણી શકતો નથી? ભાષ્યકાર કહે છે કેअमविणिउत्तमन्नं, विणिओगं लहइ जइ मणो तेणं । हत्थिं पि ठियं पुरओ, किमन्नचित्तो न लक्खेइ ।।५।।
[વિશેષાવશ્ય ર૪૩૬]. અન્ય અર્થમાં પ્રયુક્ત મન જો અન્ય અર્થમાં ઉપયોગ પામે, તો પછી અન્યમનસ્ક એવી વ્યક્તિ આગળ ઉભેલા હાથીને જ અણી શકતો નથી? (૮૫). કાર સહિં ઘણું કહેવાનું છે પણ તે સ્થાનાંતરથી જાણવું. અથવા સત્ય, અસત્ય, સત્યાસત્ય (મિશ્ર), અસત્યામૃષા (વ્યવહાર) અસર મનોયોગમાં કોઈપણ એક જ મનોયોગ એક વખતે હોય છે. અન્યોન્ય વિરોધ હોવાથી બે વગેરે મનોયોગોનો અસંભવ છે. હવે મનોયોગના સ્વામી કહે છે–દેવાસુરમyયા'ત્તિ તેમાં કાંતિવાળા ક્રીડા કરનારા તે દેવો-વૈમાનિક અને જ્યોતિષો, સુર નહિ તે અસુરો-ભવનપતિ અને વ્યંતરો, મનુથી ઉત્પન્ન થયેલ મનુજો-મનુષ્યો. તે દેવ, અસુર અને મનુષ્યોને મન એક સમયમાં એક છે; તથા વચનયોગ પણ દેવાદિકોને એક સમયમાં એક જ છે. તથાવિધ મનોયોગપૂર્વક તથાવિધ વચનયોગ હોવાથી અથવા સત્યાદિ ચાર વચનયોગમાં કોઈપણ એક વચનયોગ એક સમયે હોવાથી એક છે. તે સંબંધમાં સૂત્રકાર સ્વયં આગળ કહેશે-"છર્દિહિં સ્થિ નીવા ઠ્ઠી ફુવા નાવ પર રૂવા, તં નદી–નીવ્ર વા નીવં
Wયાર , મનીયં વા નીવં યાર ૨, સમvi યાવત્ રો પાસાનો માસિરા' તથા કાયવ્યાયામ-કાયયોગ દેવાદિને એક સમયે એક જ છે. સાત કાયયોગમાં કોઈપણ એક કાયયોગ એક સમયે હોય છે. શંકા-જ્યારે આહારક
1. નિષ્ઠા સૂત્રથી “જાતપર્યવ' પ્રયોગ ઉચિત છે, પણ તેનો બાધ કરીને આહિતાશિ આદિ ગણથી પર્યવજાત' થયેલ છે. 2. અલાતચક્ર એટલે ઉંબાડીયું–બળતું લાકડું, તે ભિન્ન ભિન્ન સમયે જુદી જુદી દિશાઓમાં ફરે છે તથાપિ સમય અને દિશાનો ભેદ જણાતો
નથી તેમજ સેંકડો કમલપત્રના વેધમાં પણ ભિન્ન ભિન્ન કાળે વેધ થાય છે. 3. ટીકાકારે આપેલ આ પાઠનો પ્રસ્તુત વિષયમાં એટલો જ ઉપયોગ છે કે એક સમયમાં બે ભાષા બોલવાની જીવોની શક્તિ નથી.
33