SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १ १ स्थानाध्ययने सूत्र १७ से ४३ पर्यंतम् 'વેયા'ત્તિ પહેલા વેદના, સામાન્ય કર્મના અનુભવસ્વરૂપ કહેલી છે. અહિં તો પીડા સ્વરૂપ જ જાણવી. તે સામાન્યથી એક જ છે. II૩૩ આ પીડાના જ કારણ વિશેષના નિરૂપણ માટે કહે છે-'છેવળે'ત્તિ છેદનં–શરીરનું અથવા બીજાનું (કાષ્ઠાદિનું) ખડ્ગ, કુહાડા વગેરેથી છેદન કરવું. ૩૪॥ 'ત્રેયને'ત્તિ મેવનં–ભાલા, બરછી વગેરેથી ભેદન કરવું (ભોંકવું) અથવા છેદવું તે કર્મનો સ્થિતિઘાત અને ભેદન તો કર્મના રસનો ઘાત કરે તે. એકપણું તો વિશેષ સ્વરૂપની વિવક્ષા ન કરવાથી છે. I૩૫॥ વેદનાથી મરણ થાય છે આ કારણથી તે મરણ વિશેષ કહે છે-'ો મરાં' ફત્યાદ્રિ મૃતિઃ મરા, અન્તે ભવમન્તિમમ્છેલ્લું એવું શરીર તે અંતિમ શ૨ી૨, તેમાં થના૨ી–છેલ્લા શરીરમાં થનારી (વેદના). 'અહિં ઉત્તરપદમાં વૃદ્ધિ થયેલ છે. અથવા છેલ્લું શરીર છે જેઓને તે અંતિમશારીરિા અહિં દીર્ઘપણું પ્રાકૃતશૈલીથી થયેલ છે. અંતિમ શરીરમાં થનારી વેદનાવાળા અથવા છેલ્લા શરીરવાળા જીવોને એક મરણ છે કારણ કે સિદ્ધપણામાં પુનર્મરણનો અભાવ છે. II૩૬॥ ચરમશરીરવાળા જીવ સ્નાતક (નિથ) થઇને મરણ કરે છે, અતઃ સ્નાતકનું સ્વરૂપ કહે છે–'શે સંશુ≠' ઇત્યાદિ એક સંશુદ્ધ-કષાય રહિત હોવાથી નિર્મળ ચારિત્રવાળો. યથાભૂત-તાત્ત્વિક (કેવળી), પાત્રની જેમ અંતિશયવાળા જ્ઞાનાદિ ગુણરત્નોનું પાત્ર, અથવા જ્ઞાનાદિ ઉત્કૃષ્ટ ગુણને પ્રાપ્ત થયેલ તે એક છે. II૩૭॥ 'શે તુવે’–છેલ્લા ભવગ્રહણમાં થનારું એક દુઃખ છે જેને તે એક દુઃખ છે. 'હસ્તે'ત્તિ એ પાઠાંતરમાં તો એક પ્રકા૨ે જ આખ્યા—સંશુદ્ધ વગેરે કથન છે જેને પરંતુ અસંશુદ્ધ અને સંશુદ્ધાસંશુદ્ધ ઇત્યાદિ નથી અસંશુદ્ધાદિના નિમિત્તરૂપ કષાયાદિનો અભાવ હોવાથી તે (સંશુદ્ધ) એક પ્રકારે નામવાળો થાય છે. અથવા એક પ્રકારે છે જીવ જેને તે એકધાક્ષ, પ્રાણીઓને એકભૂત-આત્મા સમાન જાણે છે, કારણ કે કેવળહિતવૃત્તિપણું છે. ઘણા જીવો છતાં પણ તેઓનું સમસ્વભાવત્વ હોવાથી જીવનું એકપણું છે. અથવા 'શ્ને સંસુદ્ધ અહામૂર પત્તે' આ સૂત્રમાં આવેલ પત્તે શબ્દ, બીજા સૂત્ર સાથે સંબંધ ધરાવે છે, માટે પૂર્વે કહેલ અર્થવાળા સંશુદ્ધ શબ્દથી પત્તે શબ્દ અન્ય અર્થના સ્વરૂપને કહેનાર છે, તેમાં પ્રાકૃતપણાથી પત્તે શબ્દનો અર્થ પ્રત્યેક છે. જીવોને પોતાના ક૨ેલ કર્મના ભોક્તાપણાથી દરેકને દુઃખ એક છે. તે દુઃખ કેવું છે? તે કહે છે–પ્રાણીઓમાં એકભૂત–અનન્યપણે (અભેદપણે) રહેલું છે, પરંતુ સાંખ્યોની માફક બાહ્ય નથી અર્થાત્ પ્રતિબિંબસ્વરૂપ નથી. I૩૮ વળી અધર્મના અભિનિવેશ (કદાગ્રહ)થી દુઃખ થાય છે. આ હેતુથી અધર્મનું સ્વરૂપ કહે છે-'ૉ ઞજ્ઞમ્મે' ઇત્યાદિ, દુર્ગતિમાં પડતા જીવોને ધારણ કરે છે અથવા જીવોને સુગતિમાં સ્થાપે છે તેથી ધર્મ, કહ્યું છે કે→ ડુઽતિપ્રસ્તૃતાન્ નન્દૂન, યહ્માનાયતે તતઃ। બન્ને ચૈતાન શુને સ્થાને, તસ્માદ્ધમ્મ કૃતિ સ્મૃતઃ ।।૮।। [શ.વૈ.ટીજા] ‘દુર્ગતિમાં જનારા જંતુઓને જેથી ધારણ કરાય છે અને શુભસ્થાનમાં એ જીવોને સ્થિર કરે છે તેથી ધર્મ કહેવાય છે.’ (૮૩) તે ધર્મ, શ્રુત અને ચારિત્રસ્વરૂપ છે. તેનો પ્રતિપક્ષ તે અધર્મ છે. અધર્મ વિષયપ્રતિજ્ઞા, અથવા અધર્મમાં જે શરીર મુખ્ય તે અધર્મપ્રતિજ્ઞા, તે એક છે, કારણ કે બધી પ્રતિજ્ઞા અત્યંત દુઃખના કારણ વડે એકરૂપ છે. આ કારણથી જ કહે છે—ખ્ખું સે ઇત્યાદિ જે કારણથી તે પ્રતિજ્ઞાનો સ્વામી જીવ, અથવા અધર્મ પ્રતિજ્ઞાવાળો આત્મા રાગાદિ વડે બાધા પામે છે, સંક્લેશ પામે છે. અથવા 'નં સિ'ત્તિ આ પાઠાંતર છે, તેથી પ્રાકૃત વડે લિંગ (જાતિ)ના વિપર્યાસથી જે અધર્મ પ્રતિજ્ઞા છતે આત્મા ક્લેશ પામે છે તે એક જ છે. I૩૯|| એનાથી વિપરીત કહે છે–'ણે ધર્મો' ઇત્યાદિ પૂર્વવત્ એટલે ધર્મ શબ્દનો વ્યુત્પત્યર્થ વગેરે જે કહેલ છે તેની માફક 1. 'અંતમશારીીિ' એ શબ્દમાં શારીરિકી ઉત્તરપદ છે તેમાં ‘શ'નો ‘શા' વૃદ્ધિ થયેલ છે. 2. અંતિમશારીરિા અહિં '' નો 'જ્ઞ' પ્રાકૃતશૈલીથી દીર્ઘ થયેલ છે. 32
SR No.005767
Book TitleSthanang Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy