SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ १ स्थानाध्ययने सूत्र १७ से ४३ पर्यंतम् श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १ 'જો થવાયા:ત્તિ વયત તિ »ાયઃ- જેના વડે એકઠું કરાય છે તે કાય-શરીર, તેનો જે વ્યાપાર તે કાયવ્યાયામ. તે ઔદારિકાદિ શરીર વડે જોડાયેલ આત્માના વીર્યની પરિણતિવિશેષ છે. તે વળી દારિકાદિ ભેદ વડે સાત પ્રકારે પણ છે. જીવોના અનંતપણાથી અનંત ભેદે છે તો પણ કાયવ્યાયામના સમાનપણાથી એક જ છે. જે એક જીવને એક સમયમાં મન વગેરેનું એકપણું છે તે આગળના સૂત્રમાં જ 'જો મને દેવાસુર’ ઈત્યાદિ સૂત્રથી વિશેષ રૂપે કહેવાશે. અહિં સામાન્યના આશ્રયથી જ એકપણાનું કથન કર્યું છે. ર૧|| ‘Su'ત્તિ-પ્રાકૃતશૈલીથી ઉત્પાદ. તે એક સમયમાં એક પર્યાયની અપેક્ષાએ એક છે. તેનાં (પર્યાયનાં) એક સમયમાં બે વગેરે ઉત્પાદ થતા નથી. અથવા ઉત્પાદ વિશેષવાળા પર્યાયની અપેક્ષા સિવાય પદાર્થ (દ્રવ્યાર્થીપણાએ એક ઉત્પાદ છે. ll૨૨ 'વિય'ત્તિ-વિગતિ-નાશ. તે પણ ઉત્પાદની માફક એક છે. વિકૃતિ, વિકાર, વિગતિ ઇત્યાદિ ઉચિત બીજા વ્યાખ્યાનો જોડવા. અમોએ તો ઉત્પાદસૂત્રના અનુસરણથી વ્યાખ્યાન કર્યું છે. ર૩|| 'વિયવ'ત્તિ-વિગતિનો અર્થ આગળ કહેલ હોવાથી આ સૂત્રમાં વિગત શબ્દનો અર્થ નાશ પામેલ જીવન-મરેલનો એ અર્થ છે. તેની અર્ચા-શરીર તે વિગતાર્યા, અર્થાત્ મૃતકનું શરીર એક છે. પ્રાકૃત શૈલીથી વિગતાસ્ય અથવા “વિચચ્ચા' એવું રૂપ છે. વિવર્ચા-વિશિષ્ટ ઉત્પત્તિની રીતિ અથવા વિશિષ્ટ શોભા, તે સામાન્યથી એક છે. ર૪ll ' 'ન'ત્તિ-મરણ પછી મનુષ્યત્વાદિમાંથી નારકતાદિને વિષે જીવનું જવું તે ગતિ. તે એક જીવને એક વખત એક જ હોય છે. ત્રજુગતિ કે વક્રગતિ એક હોય, અથવા નરકગતિ વગેરેમાંથી એક ગતિ હોય, અથવા પુદ્ગલની (ગતિ) એક છે, અથવા સ્થિતિના માત્ર વૈલક્ષણ્યપણાથી એટલે 'ગમનસ્વરૂપ વડે સર્વ જીવ અને પુદ્ગલોની ગતિ એક છે. રિપી. 'મા'ત્તિ મા મનમતિ –આવવું તે આગતિ. નરકત્વાદિમાંથી પાછું આવવું, તેનું એકપણું ગતિની માફક જાણવું. ||૬|| . 'વ'ત્તિ વ્યવનં-અવન-વૈમાનિક અને જ્યોતિષ્કોનું મરણ, તે એક જીવની અપેક્ષાએ એક છે. નાના જીવોની અપેક્ષાએ પૂર્વની માફક જાણવું. l૨૭ll (૩વવા,'ત્તિ ૩૫૫તનમુપતિઃ-ઉત્પન્ન થવું તે ઉપપાત, તે દેવ અને નારકોનું જન્મ, તે ચ્યવનની માફક એક છે. ll૨૮|| - 'તા'ત્તિ તi ત–વિમર્શ (વિશેષવિચાર), અવાય (નિશ્ચય)થી પહેલા અને ઈહા (વિચારણા)થી પછી. પ્રાયઃ માથું ખંજવાળવું (ચેષ્ટાવિશેષ) વગેરે પુરુષના ધર્મો અહિં ઘટમાન થાય છે, એવી રીતે સંપ્રત્યયરૂપ-જ્ઞાન થવું, અહિં એકપણું પૂર્વની માફક છે. ૨૯ "સન્ન'ત્તિ સંજ્ઞાનં–સંજ્ઞા. સંજ્ઞા અર્થાત્ વ્યંજનાવગ્રહના ઉત્તરકાલમાં થનાર મતિવિશેષ છે. અથવા આહાર, ભય ઇત્યાદિ ઉપાધિવાળી ચેતના તે સંજ્ઞા, અથવા નામ તે સંજ્ઞા. ૩oll. 'મન્ન'ત્તિ-પ્રાકૃતશૈલીથી મનનંતિઃ -મનન કરવું તે મતિ-કંઈક અર્થનું જ્ઞાન થયે છતે પણ સૂક્ષ્મ ધર્મ (વસ્તુસ્વભાવ)ની આલોચનારૂપ બુદ્ધિ છે. કેટલાએક મતિનો અર્થ આલોચન કહે છે. અથવા માનનાર, માનવા યોગ્ય-સ્વીકાર આ અર્થ જાણવો. બન્ને સૂત્રમાં પણ સામાન્યથી એકપણું છે. ૩૧// ' 'I વિનૂ'ત્તિ-વિદ્વાનું અથવા વિજ્ઞ-વિશેષ જાણનાર. સમાન બોધપણું હોવાથી એક છે. “ઉત્પાદ' શબ્દની ઉપા શબ્દની માફક કતપણાથી સ્ત્રીલિંગે છે. અથવા ભાવ પ્રત્યયનો લોપ થવાથી વિદ્વત્તા-વિજ્ઞતા એક છે. ૩૨ 1. બાબવાળી પ્રતિમાં "વૈતવૈશ્વસ્વરૂપ” પાઠ છે જ્યારે આગમોદય સમિતિવાળી પ્રતમાં " વે પાર" એવો પાઠ ટીકામાં છે. 2, 'મયં સ્થાણુર્વા પુરુષો વા' આ હુઠો છે કે પુરુષ છે? આ ઈહા કહેવાય છે, ત્યારબાદ હસ્તાદિના ચલનથી આ સ્થાનું નથી એ વિમર્શ. 3. સંજ્ઞા, મતિજ્ઞાનનો પર્યાયવાચક છે. 31
SR No.005767
Book TitleSthanang Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy