SearchBrowseAboutContactDonate
Page Preview
Page 441
Loading...
Download File
Download File
Page Text
________________ ४ स्थानकाध्ययने उद्देशः ३ आहरणभेदाः ३३८ सूत्रम् श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग १ અનંતર જીવ અને પુદ્ગલનો ઈદ્રિયરૂપ દ્વાર વડે ગ્રાહક ગ્રાહ્યભાવ કહ્યો, હવે તે બન્નેના ગતિધર્મ પ્રત્યે ચિંતન કરતા થકા સૂત્રકાર કહે છે–'વહી' ત્યાદિ સુગમ છે. વિશેષ એ કે ધર્માસ્તિકાયાદિ દ્રવ્યોની ગતિ નથી માટે 'નવા ય પુજતા. વ' એમ કહ્યું, નો સંવાતિ' સમર્થ 'વણિય' રિ૦ લોકાંતથી બહાર અર્થાત્ અલોકને વિષે જવા માટે સમર્થ નથી, કારણ કે ગતિનો અભાવ છે લોકના છેડાથી આગળ ગતિલક્ષણ સ્વભાવનો અભાવ છે; જેમ દીપકની શિખા નીચે ન જાય તેમ તેઓ જઈ શકતા નથી. તથા નિરુપગ્રહપણાથી–ધમસ્તિકાયના અભાવને લઈને ગતિમાં સહાય કરનારો અભાવ હોવાથી ગાડી વગેરેથી રહિત પાંગળાની જેમ ગમન થતું નથી. વળી રુક્ષપણાથી-રેતીની મૂઠીની જેમ લોકના છેડાઓને વિષે પુલો, લખાશથી અવશ્ય એવી રીતે પરિણમે છે કે જેને લઈને આગળ જવા માટે સમર્થ થતા નથી. કર્મપુદ્ગલોનો પણ તથાભાવરુક્ષભાવ થયે છતે જીવોથી છૂટા પડી જાય છે. વળી સિદ્ધ પરમાત્માઓ નિરુપગ્રહતા વડે-ધમસ્તિકાયના અભાવને લઈને આગળ જતા નથી. લોકાનુભાવ-લોકની મર્યાદા વડે પોતાના વિષયક્ષેત્રથી બીજે સ્થળે સૂર્યમંડળની જેમ આગળ જઈ શકે નહિ. ૩૩૭. અનંતર અર્થો કહ્યા, કહેલ અર્થમાં દૃષ્ટાંતથી પ્રાયઃ પ્રાણીઓને વિશ્વાસ ઉત્પન્ન થાય છે માટે દષ્ટાંતના ભેદોનું પ્રતિપાદન કરવા માટે પાંચ સૂત્રો કહે છેचउव्विहे णाते पन्नत्ते तं जहा-आहारणे, आहरणतईसे, आहरणतद्दोसे, उवन्नासोवणते १। आहरणे चउव्विहे પત્ત, તંબા–મવાત, વાત, વાવ, કુવિધાની રા ગાહારલે વાલ્વિ પત્ત, સંનદા– अणुसिट्ठी, उवालंभे, पुच्छा, निस्सावयणे ३। आहरणतद्दोसे चउव्विहे पन्नत्ते, तंजहा–अधम्मजुत्ते, पडिलोमे, अंतोवणीते, दुरोवणीते ४। उवनासोवणए चउव्विहे पन्नत्ते, तंजहा–तव्वत्थुते, तदन्नवत्थुते, पडिनिभे, हेतू ५। વરબિદેપન્ન નહીં–નાવો, થાવ, વસંત, નૂતો અથવાદે વલ્વિપત્ત, સંનદા–પૂછ્યું, अणुमाणे, ओवम्मे, आगमे । अहवा हेऊ चउव्विहे पन्नत्ते, तंजहा–अत्थितं अत्थि सो हेऊ १, अत्थि तं णत्थि सो हेऊ २, णत्थि तं अस्थि सो हेऊ ३, णत्थि तं णत्थि सो हेऊ ४ ॥ सू० ३३८॥ (મૂળ) ચાર પ્રકારે જ્ઞાત-દષ્ટાંત કહેલ છે, તે આ પ્રમાણે–૧. આહરણ-જેના વડે વ્યાતિથી અપ્રસિદ્ધ અર્થને પ્રતીતિમાં લવાય છે, જેમ બ્રહ્મદત્તની માફક કરેલું પાપ દુઃખને માટે થાય છે એમ કહેવું તે, ૨. દેશઆહરણ-જેમ આ સ્ત્રીનું મુખ ચંદ્ર સદેશ છે એમ કહેવું તે અહિં ચંદ્રની સૌમ્યતારૂપ દેશનું સમાનપણું છે, ૩. દોષ સહિત આહરણ-જેમ કોઈક બુદ્ધિમાન ઈશ્વરાદિ વડે કરાયેલું આ જગત છે-ઘટપટાદિની માફક કહેવું તે, ૪. ઉપન્યાસીપન-કોઈક વાદી પોતાના પક્ષનું સ્થાપન કરે છે અને એ સ્થાપેલ પક્ષને દૂર કરવા માટે પ્રતિવાદીએ આપેલું દૃષ્ટાંત, જેમ વાદીએ કહ્યું કે-આત્મા આકાશની જેમ અમૂર્ત હોવાથી અકર્તા છે, તેનું નિરાકરણ કરવા માટે કહેવું કે-એમ આકાશની માફક આત્મા અભોક્તા પણ થશે. (૧), આહરણ ચાર પ્રકારે કહેલ છે, તે આ પ્રમાણે–૧. અપાય-અનર્થ-તે દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી એમ ચાર પ્રકારે છે, તેનાં ઉદાહરણો કહેવા તે, ૨. ઉપાય-પુરુષના વ્યાપારરૂપ સાધન વડે કાર્યની નિષ્પત્તિ થાય છે કે, તેના દ્રવ્યાદિ ભેદથી ઉદાહરણો કહેવા, ૩. જે દૃષ્ટાંતદ્વારા અન્યના મતને દૂષણ આપીને સ્વમતની સ્થાપના કરાય છે તે સ્થાપનાકર્મ, પુંડરીક અધ્યયનની માફક અને ૪. તત્કાલ ઉત્પન્ન થયેલ વસ્તુનો વિનાશ, તે દષ્ટાંતનું નિરૂપણ કરવા માટે જ્યાં કથનપણાએ હોય છે તે પ્રત્યુત્પન્નવિનાશી (૨), દેશઆહરણ ચાર પ્રકારે કહેલ છે, તે આ પ્રમાણે–૧. સગુણની સ્તુતિ વડે ગુણવાનના ગુણોની પ્રશંસા જ્યાં ઉપદેશાય છે તે અનુશાસ્તિ, ૨. અપરાધને વિષે પ્રવૃત્ત થયેલ મુનિને દૃષ્ટાંતદ્વારા જે ઉપાલંભ દેવાય છે તે ઉપાલંભ, ૩. જ્ઞાન વગેરેના નિર્ણયના અભિલાષીપણાથી ગુરુને પૂછવા યોગ્ય પ્રશ્નો કરવા વડે જેમાં દષ્ટાંતદ્વારા ઉપદેશાય છે તે પૃચ્છા તેમજ ૪. 429
SR No.005767
Book TitleSthanang Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy