SearchBrowseAboutContactDonate
Page Preview
Page 442
Loading...
Download File
Download File
Page Text
________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग १ ४ स्थानकाध्ययने उद्देशः ३ आहरणभेदाः ३३८ सूत्रम् કોઈપણ સુશિષ્યનો આશ્રય કરીને બીજાને પ્રતિબોધવા માટે દૃષ્ટાંતરૂપે જે કહેવું તે નિશ્રાવચન (૩) દોષ સહિત આહરણ ચાર પ્રકારે કહેલું છે, તે આ પ્રમાણે–૧. જે દૃષ્ટાંત કહેવાથી અધર્મની બુદ્ધિ ઉત્પન્ન થાય તે અધર્મયુક્ત, ૨. લુચ્ચા પ્રત્યે લુચ્ચાઈ કરવી 'શતં પ્રતિ શાચ” એમ દષ્ટાંતદ્વારા કહેવું તે પ્રતિલોમ, ૩. અન્યના મતને દૂષણ આપવા માટે જે ગ્રહણ કરેલ દૃષ્ટાંતદ્વારા સ્વમતને જ દૂષણ આપે છે તે આત્માનીત અને ૪. દુષ્ટ અથવા અશુદ્ધ વચનની યોજના જે દષ્ટાંતમાં કરાય છે તે દુરુપનીત. (૪) ઉપન્યાસોપનય ચાર પ્રકારે કહેલ છે, તે આ પ્રમાણે–૧. વાદીએ સ્થાપેલ જે સાધન (હેત) રૂપ વસ્તુ, તે જ વસ્તુ ઉત્તરરૂપ છે જેને વિષે તે તદ્દતુક, ૨. વાદીએ સ્થાપેલ વસ્તુથી અન્ય ઉત્તરભૂત વસ્તુ છે જેમાં તે તદન્ય વસ્તુક, ૩. વાદીએ કહેલ દૃષ્ટાંતના જેવું દૃષ્ટાંત ઉત્તર દેવા માટે કહેવાનું છે જેમાં તે પ્રતિનિભ અને ૪. જે ઉપન્યાસોપનમાં પૂછનારનો હેતુ છે તે જ હેતુ ઉત્તરરૂપે કહેવાય છે તે હતુ. (૫) હેતુ ચાર પ્રકારે કહેલ છે, તે આ પ્રમાણે–૧. વાદીના કાળની યાપના-વિલંબ કરે છે તે યાપક, ૨. વાદીએ સ્થાપેલ હેતુના સંદેશ હેતુને જે સ્થાપે છે તે સ્થાપક, ૩. શબ્દના છળ વડે જે બીજાને વ્યામોહ (ભ્રમ) ઉત્પન્ન કરે છે તે વ્યંસક અને ૪. ધૂર્ત વડે ગ્રહણ કરાયેલ વસ્તુને લૂંટી લે છે તે લૂસક. અથવા હેતુ ચાર પ્રકારે કહેલ છે, તે આ પ્રમાણે ૧. પ્રત્યક્ષ–આત્મા વડે જણાય તે પારમાર્થિક પ્રત્યક્ષ અને ઈદ્રિયાદિદ્વારા જણાય તે સાંવ્યવહારિક પ્રત્યક્ષ, . ૨. હેતુના જોવારૂપ સંબંધથી વ્યાતિના સ્મરણ પછી જે માન-જ્ઞાન થાય છે તે અનુમાન, જેમ ધૂમાડાને જોવાથી અગ્નિનું જ્ઞાન થાય છે, ૩. ઉપમા વડે સમાનપણાનું જે જ્ઞાન થવું અર્થાત્ બળદ જેવો રોઝ છે તે ઉપમાન, અને આપ્તપુરુષદ્વારા કહેવાયેલું વચન છે તે આગમ. અથવા હેતુ ચાર પ્રકારે કહેલ છે, તે આ પ્રમાણે ૧. ધૂમાદિ દેતુરૂપ વસ્તુ છે તો અગ્નિ વગેરે સાધ્ય વસ્તુ છે, તે અસ્તિત્વઅસ્તિત્વ હેતુ, ૨. જો અગ્નિ વગેરે વસ્તુ છે તો તેથી વિરુદ્ધ શીત વગેરે વસ્તુ નથી તે અસ્તિત્વનાસ્તિત્વ હેત, ૩. અગ્નિ વગેરે નથી માટે શીતકાળમાં ઠંડી વગેરે છે તે નાસ્તિત્વઅસ્તિત્વ હેત અને ૪. વૃક્ષવાદિ નથી તેથી શાખા વગેરે પણ નથી તે નાસ્તિત્વનાસ્તિત્વ હતુ. /૩૩૮ (ટી.) પાંચ સૂત્રોની વ્યાખ્યામાં જે છતે દાષ્ટતક અર્થ જણાય છે તે જ્ઞાત-દષ્ટાંત, અહિં અધિકરણમાં ‘ક્ત પ્રત્યય કરવાથી ‘જ્ઞાત’ શબ્દ સિદ્ધ થાય છે. સાધન (હેતુ) ના સદ્ભાવમાં સાધ્યનો અવશ્ય સદ્ભાવ છે અથવા સાધ્યના અભાવમાં સાધનનો અવશ્ય અભાવ હોય છે. આ ઉપદર્શન લક્ષણ છે. કહ્યું છે કેसाध्येनानुगमो हेतोः साध्याभावे च नास्तिता । ख्याप्यते यत्र दृष्टान्तः स साधर्म्यतरो द्विधा ।।१९२॥ ___ [प्रमाणसमु० ४।२ त्ति] સાધ્ય વડે હેતુનો બોધ થાય છે અને સાધના અભાવમાં સાધનનો બોધ થતો નથી. જેમાં દષ્ટાંત કહેવાય છે તે સાધચ્ચે અને વૈધર્મરૂપ બે પ્રકારે છે. (૧૯૨) સાધર્મ દષ્ટાંત અહિં અગ્નિ છે, ધૂમથી જેમ મહાનસ-રસોડામાં અને વૈધર્મ દષ્ટાંત તો અગ્નિનો અભાવ છતે ધૂમાડો હોતો નથી, જેમ જલાશયમાં અગ્નિ હોતો નથી. અથવા આખ્યાનક-કથાનકરૂપ દૃષ્ટાંત તે ચરિત્ર અને કલ્પિતના ભેદથી બે પ્રકારે છે, તેમાં ચારિત્ર આ પ્રમાણે-નિદાન (નિયાણું) દુઃખને માટે છે, બ્રહ્મદત્ત ચક્રવર્તીની જેમ. કલ્પિત આ પ્રમાણે– પ્રમાદવાળાઓને યૌવનાદિ અનિત્ય છે એમ બતાવવું, જેમ પાંડ (ધોળા) પત્રે-પાંદડાએ કિશલય-કુમળાં પત્રોને કહ્યું, તે આ પ્રમાણે जह तुब्भे तह अम्हे, तुन्भेवि य होहिहा जहा अम्हे । अप्पाहेइ पडतं, पंडुयपत्तं किसलयाणं ॥१९३॥ [૩ત્તરાનિ- રૂ૦૭ ]િ . જેમ હમણાં તમે કિશલયભાવને અનુભવતા થકા ગર્વ કરો છો તેમ અમે પણ ભૂતકાળમાં તમારા જેવા હતાં. હમણાં અમે જેમ જીર્ણ-શુષ્કભાવને પ્રાપ્ત થયા છીએ તેમ તમે પણ ભવિષ્યમાં થશો-ઉક્તન્યાય વડે પડતા એવા પાંડુ (પાકી ગયેલા) 430
SR No.005767
Book TitleSthanang Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy