SearchBrowseAboutContactDonate
Page Preview
Page 437
Loading...
Download File
Download File
Page Text
________________ ४ स्थानकाध्ययने उद्देशः ३ सत्त्वप्रतिमाजीवस्पृष्टलोकस्पृष्टप्रदे शाग्रतुल्याः ३३०-३३४ सूत्रे श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग १ યોજનના લાંબાપહોળા છે. લોકમાં ચાર વસ્તુ, દિશા અને વિદિશાએ સમાન કહેલી છે, તે આ પ્રમાણે—૧. પહેલી નરકભૂમિનો સીમંતક નામનો નરકાવાસ, ૨. સમયક્ષેત્ર (મનુષ્યલોક), ૩ સૌધર્મ દેવલોકનું ઉડુ નામનું વિમાન અને ૪. ઈષાભારા પૃથ્વી. આ દરેક પીસ્તાલીશ લાખ યોજનના લાંબાપહોળા છે. II૩૨૮ ઉર્ધ્વલોકમાં ચાર પ્રકારના જીવો બે શરીરવાળા કહેલા છે, તે આ પ્રમાણે—૧. પૃથિવીકાયિક, ૨.અાયિક, ૩. વનસ્પતિકાયિક અને ૪. સ્થૂલ ત્રસ જીવો; કેમ કે એક શરીર વર્તમાન ભવ સંબંધી અને બીજું જન્માંતરમાં થનારું મનુષ્ય સંબંધી, પછી મોક્ષમાં જવાથી કેટલાએકને ત્રીજું શરીર ન હોય. એવી રીતે અધોલોકમાં ચાર પ્રકારના પૂર્વોક્ત જીવો બે શરીરવાળા કહેલા છે. વળી તિર્યઞ્લોકમાં પણ એમ જ જાણવુ. ૩૨૮॥ (ટી) 'પત્તારી' ત્યાર્િ॰ બે સૂત્ર પ્રાયઃ ઉક્તાર્થ છે, તો પણ કંઈક કહેવાય છે. સાતમી નરકપૃથિવીમાં કાલાદિ પાંચ નકાવાસોના મધ્યમાં રહેલ અપ્રતિષ્ઠાન નામનો નરકાવાસ છે તે એક લાખ યોજનનો છે. પાલક દેવે બનાવેલું, સૌધર્મેદ્ર સંબંધી યાન (વાહન) રૂપ વિમાન અથવા જવા માટેનું વિમાન, તે યાન વિમાન પરંતુ તે શાશ્વત નથી. પાંચ અનુત્તર વિમોનોના મધ્યમાં સર્વાર્થસિદ્ધ નામનું વિમાન છે. લોકને વિષે ચાર વસ્તુ સમાન હોય છે. કેવી રીતે? તે કહે છે—'સંપવિ સડિવિસ' તિ॰ સમાન છે દિશાઓ જેને વિષે તે સપક્ષ (અહિં 'ફારી' પ્રાકૃતપણાને લઈને છે) તથા સમાન છે વિદિશાઓ જેને વિષે તે સપ્રતિદિક્ તે જેમ હોય છે તેમ સમાન હોય છે અથવા પક્ષો વડે સરખા તે સપક્ષ, અહિં અવ્યયીભાવ સમાસ છે. નીચે અને ઉપરના વિભાગ વડે રહેલ, વિસ્તારવાળા અને સાંકડા બે દ્રવ્ય પદાર્થોની અથવા વિષમતાએ રહેલા તુલ્ય પ્રમાણવાળા બે પદાર્થોની દિશા અને વિદિશાઓ હોતી નથી માટે અત્યંત સમાનતાને દેખાડવા સપક્ષ અને સપ્રતિદિપ બે વિશેષણ કહેલ છે. પ્રથમ નરકભૂમિમાં પહેલા પ્રસ્તર (પાથડા) ને વિષે પીસ્તાલીશ લક્ષ યોજનપ્રમાણ સીમંતક નામનો નરકાવાસ છે. સમયકાલ વડે જણાતું ક્ષેત્ર તે સમયક્ષેત્ર અર્થાત્ મનુષ્યક્ષેત્ર. સૌધર્મકલ્પમાં પ્રથમ પ્રસ્તટને વિષે જ ઉડુ નામનું વિમાન છે. રત્નપ્રભાદિ પૃથિવીની અપેક્ષાએ ઇષત્ (અલ્પ) છે પ્રાભાર ઊંચાઈ વગે૨ે જેણીમાં તે ઇષાભારા જાણવી. ।।૩૨૯॥ ઇષપ્રાક્ભારા પૃથિવી ઊર્ધ્વ લોકને વિષે હોય છે માટે ઊર્ધ્વ લોકના પ્રસ્તાવથી કહે છે—'૩' ત્યાદ્િ॰ બે છે શરીર જેઓને તે બે શરીરવાળા, પૃથિવીકાયિક વગેરેનું જ એક શરીર અને બીજું જન્માંતરમાં થનારું મનુષ્યનું શરીર. આ બે ઉપરાંત ત્રીજું શરીર કેટલાએક જીવોને થતું નથી; કારણ કે તે અંતર રહિત મોક્ષમાં જાય છે. 'ઓરાત તમ' ત્તિ॰—ઉદારા–સ્થૂલ દ્વીંદ્રિયાદિ જીવો, પરંતુ તેજસ્કાયિક અને વાયુકાયિકરૂપ 'સૂક્ષ્મ જીવો નહિં કેમ કે તેઓને બીજા ભવમાં મનુષ્યભવની પ્રાપ્તિ ન `થવાથી મોક્ષ થતો નથી, માટે અન્ય શરીરનો સંભવ હોય છે (તેથી બન્નેનો નિષેધ કરાયેલ છે) તથા ઉદાર ત્રસનું ગ્રહણ કરવા વડે ઢીંદ્રિયાદિનું પ્રતિપાદન છતે પણ અહિં બે શરીરપણાથી પંચેંદ્રિયો જ (ગર્ભજ) ગ્રહણ કરવા યોગ્ય છે, કારણ કે વિકલેંદ્રિયોને અંતર રહિત બીજા ભવમાં સિદ્ધિનો અભાવ હોય છે. કહ્યું છે કે—''વિાલા તમેખ્ખ વિરૂં 7 ટુ િિત્ત તમેખ્ખ સુહુમતસા’’–વિકલેંદ્રિયો અનંતર–મનુષ્યાદિભવમાં વિરતિને પ્રાપ્ત કરી શકે છે પરંતુ સૂક્ષ્મ ત્રસો–તેઉ, વાઉં અનંતર ભવમાં કંઈ પણ ન પામે–સમકિત પણ પામે નહિં. લોકના સંબંધથી પ્રાપ્ત થયેલ અધોલોક અને તિર્યક્લોક સંબંધી બે અતિદેશસૂત્ર ઉક્તાર્થ છે. ૩૨૯૦ તિર્યલોકના અધિકારથી તેમાં ઉત્પન્ન થયેલ સંયતાદિ પુરુષને ભેદો વંડે કહે છે— વત્તા પુરિસાયા પન્નત્તા, તંનહા—ફ્રિસિત્તે, દિમિત્તત્તે, વલસત્તે, થિસત્તે । સૂ॰ ૩૩૦ના चत्तारि सेज्जपडिमाओ पन्नत्ताओ, चत्तारि वत्थपडिमाओ पन्नत्ताओ, चत्तारि पातपडिमाओ पन्नत्ताओ, चत्तारि ठाणपडिमाओ पन्नत्ताओ || सू०३३१ || 1, અહીં સૂક્ષ્મ શબ્દ આપેક્ષિક છે માટે સૂક્ષ્મ અને બાદર બન્ને તેજો, વાયુ લેવા અર્થાત્ બીજા જીવોની અપેક્ષાએ સૂક્ષ્મ-ઝીણી કાયાવાળા, 2. તે અને વાઉનાં શરીરથી બહુ જીવોની હિંસા થતી હોવાથી તેઓને સમકિતની પ્રાપ્તિ પણ થતી નથી. 425
SR No.005767
Book TitleSthanang Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy