________________
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग १ ४ स्थानकाध्ययने उद्देशः ३ सत्त्वप्रतिमाजीवस्पृष्टलोकस्पृष्टप्रदे शाग्रतुल्याः ३३०-३३४ सूत्रे चत्तारि सरीरगा जीवफुडा पन्नत्ता, तंजहा - वेडव्विए, आहारए, तेयए, कम्मए । चत्तारि सरीरगा कम्मुम्मीसगा પન્નત્તા, તંનહા-ગોરાન્તિ, વેડબિલ, આહારપ, તેયક્ ।। સૂ॰ ૩૩૨।।
चर्हि अत्थिकाहिं लोगे फुडे पन्नत्ते, तंजहा - धम्मत्थिकारणं, अधम्मत्थिकारणं, जीवत्थिकाएणं, पुग्गलत्थकारणं । चउर्हि बादरकातेर्हि उववज्जमाणेहिं लोगे फुडे पन्नत्ते, तंजहा - पुढविकाइएहिं आउ० [ાદિ] વાન॰ [ાર્દિ] નાસ્તાદ સૂ૦ ૩૩૩।।
चत्तारि पएसग्गेणं तुल्ला पन्नत्ता तंजहा - धम्मत्थिकाए, अधम्मत्थिकाए, लोगागासे, एगजीवे ॥ सू० ३३४ ॥ (મૂળ) ચાર પ્રકારના પુરુષો કહેલા છે, તે આ પ્રમાણે—ડ્રીસત્ત્વ-લાજથી પરિસહ અથવા સંગ્રામમાં ધૈર્ય ધરે છે. ડ્રીમનસત્ત્વલાજથી મનમાં જ ધૈર્યને ધરે છે પણ કાયાથી નહિં, ચલસત્ત્વ-પરિસહ વગેરે આવવાથી અસ્થિરસત્ત્વવાળો છે અને સ્થિરસત્ત્વ-પરિસહ વગેરેને સહન કરવામાં નિશ્ચલ સત્ત્વ-ધૈર્યવાળો છે. ૩૩૦
શય્યા સંબંધી ચાર પ્રતિમાઓ (અભિગ્રહવિશેષ) કહેલી છે, વસ્ત્ર સંબંધી ચાર પ્રતિમાઓ કહેલી છે, પાત્ર સંબંધી ચાર પ્રતિમાઓ કહેલી છે અને સ્થાન સંબંધી ચાર પ્રતિમાઓ કહેલી છે. I૩૩૧
ચાર શરીરો જીવ વડે સ્પર્શાયેલા છે અર્થાત્ જીવ વડે વ્યાપ્ત છે, તે આ પ્રમાણે—વૈક્રિય, આહારક, તૈજસ અને કાર્પણ. ચાર શરીરો કાર્મણ શરીરથી મિશ્ર કહેલ છે, તે આ પ્રમાણે—ઔદારિક, વૈક્રિય, આહારક અને તૈજસ, II૩૩૨/ ચાર અસ્તિકાય વડે લોક સ્પશાયેલ છે, તે આ પ્રમાણે—ધર્માસ્તિકાય વડે, અધર્માસ્તિકાય વડે, જીવાસ્તિકાય વડે અને પુદ્ગલાસ્તિકાય વડે. ચાર બાદરકાયો વડે લોક સ્પર્શાયેલ કહેલ છે, તે આ પ્રમાણે—પૃથ્વીકાય વડે, અસૂકાય વર્ડ, વાયુકાય વડે અને વનસ્પતિકાય વર્ડ. ૩૩૩॥
ચાર દ્રવ્યો પ્રદેશોના પ્રમાણ વડે સરખા કહેલા છે, તે આ પ્રમાણે—૧. ધર્માસ્તિકાય, ૨. અધર્માસ્તિકાય, ૩. લોકાકાશ
અને ૪. એક જીવ. I॥૩૩૪॥
(ટી૦) 'પત્તારી' ત્યાદ્રિ લજ્જા વડે સત્ત્વ-પરિહાદિને સહન ક૨વામાં અથવા રણાંગણને વિષે રહેવારૂપ બલ છે જેનું તે ડ્રીસત્ત્વ. ઉત્તમ કુલમાં ઉત્પન્ન થયેલ એવા મને (મારી ઉ૫૨) મનુષ્યો હસશે એમ મનમાં જ લજ્જા વડે પરંતુ શરીરમાં સત્ત્વ (ધૈર્ય) નહિં; કારણ કે રોમહર્ષ–રુંવાટી ઊભી થવારૂપ અને કંપ વગેરે ભયના ચિહ્ન દેખાવાથી કેવલ મન વડે જેનું સત્ત્વ છે તે ડ્રીમનસત્વ. પરિષહાદિની પ્રાપ્તિ (આવવા) માં બલનો નાશ થવાથી ચલ–અસ્થિર છે સત્ત્વ જેનું તે ચલસત્ત્વ, આ પ્રકારથી વિપરીત અર્થાત્ પરિષહાદિને વિષે સ્થિર (અડગ) રહેવાથી સ્થિરસત્ત્વ. I૩૩૦॥ .
હમણાં જ સ્થિર સત્ત્વવાળો કહ્યો, તે અભિગ્રહોને સ્વીકારીને પાળે છે માટે તે બતાવવા સારુ આ ચાર સૂત્રો 'વર્િ સિપ્ને' ત્યાર્િ॰ સુગમ છે. વિશેષ એ કે જેના ઉપર સૂવાય છે તે શય્યા—સંથારો, તેની પ્રતિમા–અભિગ્રહો તે શય્યાપ્રતિમાઓ. તેમાં ફલક (પાટિયું) વગેરેમાં કોઈપણ એક ઉદ્દિષ્ટ–ચોક્કસ કરેલ જ લઈશ, બીજું નહિ–આ પહેલી. જે પ્રથમ ચોક્કસ કરેલ છે તેને જ જ્યારે હું જોઈશ ત્યારે તે જ લઈશ, પણ બીજું નહિં–આ બીજી. તે પણ જો તે શય્યાતરના જ ઘરમાં હોય તો તેની પાસેથી લઈશ, પણ બીજે સ્થલેથી લાવીને તેની ઉપર શયન કરીશ નહિ–આ ત્રીજી, તે લક વગેરે જેમ જોઈએ તેમ જો પાથરેલું હોય તો તેની પાસેથી હું ગ્રહણ કરીશ, પણ બીજી રીતે નહિ–આ ચોથી. આ ચાર પ્રતિમાઓમાં પહેલી બે પ્રતિમાઓ ગચ્છથી નીકળેલા સાધુઓને ગ્રહણ કરવા યોગ્ય નથી. પાછલી બે પ્રતિમામાંથી કોઈપણ એક પ્રતિમાને વિષે અભિગ્રહ કરે. ગચ્છાંતર-અન્ય ગચ્છમાં ગયેલા સાધુઓને તો ચારે કલ્પે છે. વસ્ત્રના ગ્રહણવિષયમાં જે પ્રતિજ્ઞા તે વસ્ત્રપ્રતિમા. પ્રથમ ચોક્કસ કરેલ કોઈપણ એક કપાસ વગેરેનું વસ્ત્ર હું યાચીશ–આ પહેલી, જોયેલ વસ્ત્રને યાચીશ, પણ બીજું નહિ–આ બીજી, નીચે પહેરવા વડે શય્યાતરે પ્રાયઃ સારી રીતે (બહુ જ) વાપરેલ હોય એવા વસ્ત્રને હું ગ્રહણ કરીશ-આ ત્રીજી તેમજ ફેંકવા
426