SearchBrowseAboutContactDonate
Page Preview
Page 436
Loading...
Download File
Download File
Page Text
________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग १ ४ स्थानकाध्ययने उद्देशः ३ लोके समा द्विशरीराश्च ३२८-३२९ सूत्रे जह जह बहुस्सुओ संमओ य सीसगणसंपरिवुडो य । अविणिच्छिओ य समए, तह तह सिद्धंतपडिणीओ ॥१९॥ [सम्मति० ३।६६ इत्येकः] જેમ જેમ બહુ શાસ્ત્રનો જ્ઞાતા હોય, ઘણા લોકો વડે સમ્મત હોય, તથા શિષ્યના સમુદાય વડે સારી રીતે પરિવૃત્ત હોય, પણ સિદ્ધાંતના તત્ત્વમાં અનિશ્ચિત-અજાણ હોય તો તે સિદ્ધાંતનો પ્રત્યેનીક-વૈરી થાય છે. આ એક. બીજો એક વડે-શ્રત વડે વૃદ્ધિને પામે છે અને બેથી (સમ્યગ્દર્શન તથા વિનયથી) હીન થાય છે. ત્રીજો બે વડેશ્રત અને અનુષ્ઠાન વડે વૃદ્ધિ પામે છે પણ એકથી-સમ્યગદર્શનથી હીન થાય છે. ચોથો બેથી–શ્રુત અને અનુષ્ઠાનથી વૃદ્ધિ પામે છે પણ બેથી સમ્યગદર્શન અને વિનયથી હીન થાય છે અથવા જ્ઞાન વડે વૃદ્ધિ પામે છે અને રાગદ્વેષ-બથી હીન થાય છે, ત્રીજો જ્ઞાન અને સંયમ વડે વૃદ્ધિ પામે છે અને રાગથી હીન થાય છે, ચોથો જ્ઞાન અને સંયમથી વૃદ્ધિને પામે છે અને રાગ-દ્વેષ ઉભયથી હીન થાય છે અથવા ક્રોધ વડે વધે છે અને માયા વડે ઘટે છે. આ એક. બીજો ક્રોધ વડે વધે છે અને માયા તથા લોભ વડે ઘટે છે. ત્રીજો ક્રોધ અને માન વડે વધે છે અને માયાથી ઘટે છે. ચોથો ક્રોધ તથા માન વડે વધે છે અને માયા-લોભથી ઘટે છે ૧૪, પ્રકંથકો અથવા પાઠાંતરથી કંથકો તે અશ્વવિશેષો, આકીર્ણ-વેગ વગેરે ગુણોથી પૂર્વે પણ વ્યાસ અને પછી પણ તેવો જ, આ પ્રથમ ભેદ, બીજો તો પ્રથમ આકીર્ણ પણ પાછળથી ખાંક-ગલિયો અવિનીત, ત્રીજો પ્રથમ ખલુંક પણ પાછળથી આકીર્ણ-વેગાદિ ગુણવાળો, ચોથો પૂર્વે અને પછી પણ ખલેક-ગળિઓ ૧૫, આકીર્ણ-ગુણવાન અને આકીર્ણપણા વડે વિનયવેગાદિ ગુણવાનપણાએ વહે છે-પ્રવર્તે છે. પાઠાંતરમાં વિદરતી' ત્તિ છે-વિચરે છે. બીજો આકીર્ણ, પણ આરોહણચડાવના દોષ વડે ખલુંકપણાએ-ગલિઆપણાએ વહે છે. ત્રીજો ખલુંક છે પણ આરોહક-સ્વારના ગુણથી આકીર્ણ ગુણપણાએ વહે છે. ચોથો તો સુગમ છે ૧૬, બન્ને સૂત્રમાં પણ દાષ્ટ્રતિકરૂપ પુરુષો જોડવા. સૂત્રમાં તો ક્યાંક નથી કહ્યા, કેમ કે સૂત્રની ગતિ વિચિત્ર હોય છે. ૧૭–૧૮, જાતિ ૪, કુલ ૩, બલ ૨, રૂપ અને જય ૧-એ પાંચ પદને વિષે ક્રિકસંયોગી દશ ભંગ વડે પ્રકંથકના દૃષ્ટાંતરૂપ દશ ચતુર્ભગી સૂત્રો છે. ૨૮. તે પ્રત્યેક સૂત્રને જ અનુસરણ કરતા સતા દાષ્ટ્રતિકરૂપ દશ પુરુષસૂત્રો થાય છે ૩૮, અર્થાત્ જાતિ અને કુલ-બલ-રૂપ-જય પદથી ચાર, કુલ અને બલરૂપ-જય પદથી ત્રણ, બલ અને રૂપ-જય પદથી બે તથા રૂપ અને જય પદથી એક એવી રીતે બ્રિકસંયોગી દશ ભાંગા થાય છે. વિશેષ એ કે-જય બીજાનો પરાજય કરવોબીજાને જીતવું. સિંહપણાએ-શૌર્યપણાએ ગૃહવાસથી નીકળેલ-દીક્ષિત થયેલ તેમજ ઉદ્યત (તત્પર) વિહાર વડે વિચરે છેશીયાળપણાએ-દીનવૃત્તિથી વિચરે છે. ૩૯. ૩૨૭ પૂર્વે જાત્યાદિ ગુણ વડે અશ્વાદિથી પુરુષોની સમાનતા કહી, હવે અપ્રતિષ્ઠાન વગેરેની સમાનતાને પ્રમાણથી કહે છેचत्तारि लोगे समा पन्नत्ता, तंजहा-अप्पतिद्वाणे नरए १ जंबुदीवे दीवे २ पालते जाणविमाणे ३ सव्वदृसिद्धे महाविमाणे ४ । चत्तारि लोगे समा सपक्खि सपडिदिसिं पन्नत्ता, तंजहा-सीमंतए नरए १ समयक्खेत्ते २ उडुविमाणे ३ ईसीपब्भारा पुढवी ४ ।। सू० ३२८।। उड्डलोगे णं चत्तारि बिसरीरा पन्नत्ता, तंजहा-पुढविकाइया आउ० [काइया] वणस्सइ० [काइया] उराला तसा पाणा, अहो लोगे णं चत्तारि बिसरीरा पन्नत्ता, तंजहा–एवं चेव, एवं तिरियलोए वि ४ ।। सू० ३२९।। (મૂO) લોકને વિષે ચાર વસ્તુ સમાન કહેલ છે, તે આ પ્રમાણે–૧. સાતમી નરકનો અપ્રતિષ્ઠાન નામનો નરકાવાસ, ૨. જંબૂઢીપ નામનો દ્વીપ, ૩. પાલક નામનું યાન વિમાન અને ૪. સર્વાર્થસિદ્ધ નામનું મહાવિમાન. આ દરેક એક લાખ 1. "यथा यथा बहुश्रुतः सम्यगपरिभावितार्थानेकशास्त्रश्रवणमात्रतः तथाविधाऽपराऽविदितशास्त्राभिप्रायजनसम्मतश्च शास्त्रज्ञत्वेन अत एव श्रुतविशेषानभिज्ञैः शिष्यगणैः समन्तात् परिवृत्तश्च अविनितश्च समये तथाविधपरिवारदात् समयपर्यालोचनेऽनादृतत्वात् तथा तथा सिद्धान्तप्रत्यनीकः यथावस्थितवस्तुस्वरूपप्रकाशकाहदागमप्रतिपक्षः निस्सारप्ररूपणया अन्यागमेभ्योऽपि भगवदागममधः करोति" ३६६ (श्री जंबूविजयजी संपादित स्थानांग) 424
SR No.005767
Book TitleSthanang Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy