________________
४ स्थानकाध्ययने उद्देशः ३ आत्मंभरित्वादि चतुर्भङ्ग्यः ३२७ सूत्रम्
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग १ યાત્રિકો ઉપર કોપ થવાથી મારવા માટે તત્પર થયેલ દ્રમક (ભિખારી) ની જેમ, એમ બીજા ત્રણ ભાંગા જાણવા ૬, તમઅંધકારની જેમ તમઅંધકાર પહેલાં અજ્ઞાનરૂપ હોવાથી અથવા અપ્રકાશપણું–અપ્રસિદ્ધપણું હોવાથી પછી પણ અંધકારરૂપ જ આ એક, બીજા તો પ્રથમ તમરૂપ અને પછીથી જ્યોતિની જેમ જ્યોતિ, કેમકે જ્ઞાન મેળવવાથી અથવા પ્રસિદ્ધિ પામવાથી, શેષ બે ભંગ સુગમ છે ૭, તમ-કુકર્મનો કરનાર હોવાથી મલિન સ્વભાવવાળો, અને તમ–અજ્ઞાન છે બલ–સામર્થ્ય જેનું તે તમઃબલ અથવા તમઃઅંધકાર, એ જ બલ અથવા અંધકારમાં બલ છે જેનું તે તમઃબલ ખરાબ આચારવાળો અજ્ઞાની અથવા રાત્રિમાં ફરનાર ચોર વગેરે આ એક, તથા તમઃ પૂર્વવત્, જ્યોતિ–જ્ઞાનબલ છે જેનું તે જ્યોતિબલ અથવા સૂર્ય વગેરેનો પ્રકાશ, તે જ છે બલ અથવા તેમાં–પ્રકાશમાં બલ છે જેનું તે જ્યોતિબલ. આ અસદાચારી જ્ઞાનવાન અથવા દિવસમાં ફરનાર ચોર વગેરે, આ બીજો. જ્યોતિઃસત્કર્મને કરનાર હોવાથી ઉજ્વલ સ્વભાવવાળા અને તમોબલ પૂર્વની જેમ, આ સદાચારવાળો અજ્ઞાની અથવા કારણાવશાત્ રાત્રિમાં ગમન કરનાર, આ ત્રીજો ભંગ, ચતુર્થ ભંગ સુગમ છે. આ સદાચારવાળો જ્ઞાની અથવા દિવસમાં ગમન કરનાર ૮, તથા તમઃ પૂર્વવત્ 'તમવાપપ્નને' ત્તિ॰ તમઃ-મિથ્યાજ્ઞાન અથવા અંધકાર, તે જ બલ અથવા તેમાં છે બલ અર્થાત્ તમોબલમાં અથવા ઉક્તરૂપ તમમાં અને બલ–સામર્થ્યમાં 'પ્રગ્ન્યતે'—રતિ કરે છે તે તમોબલપ્રરંજન ૧, એવી રીતે જ્યોતિબલપ્રરંજન પણ જાણવા. વિશેષ એ કે–જ્યોતિ–સમ્યજ્ઞાન અથવા સૂર્ય વગેરેનો પ્રકાશ. એમ જ બીજા બે ભંગ પણ જાણવા. આ સૂત્રમાં પણ પૂર્વોક્ત સૂત્રોમાં કહેલા તે પ્રરંજન શબ્દ વડે વિશેષણવાળા પુરુષવિશેષો સમજવા અથવા તમઃ પૂર્વવત્ અથવા અપ્રસિદ્ધ, તમોબલ-અંધકારના બલ વડે ચાલતો થકો જે લજ્જાય છે તે તમોબલપ્રલજ્જન-પ્રકાશમાં ચાલનાર ૧, એમ જ બીજા ત્રણ ભાંગા પણ જાણવા. વિશેષ એ કે–બીજો પુરુષ અંધકારમાં ચાલનારો. ક્યાંક 'પન્નાને' ત્તિ પાઠ છે ત્યાં તમઃ અજ્ઞાનના બળ વડે અથવા અંધકારના બળ વડે અને જ્યોતિઃ–જ્ઞાનના બળ વડે અથવા પ્રકાશના બળ વડે 'પ્રવૃત્તતિ'—મદવાળો થાય છેં અર્થાત્ જે અહંભાવને કરે છે તે પ્રજ્વલન ૯, શપરિક્ષા વડે સ્વરૂપથી જાણેલા અને પ્રત્યાખ્યાનપરિક્ષા વડે છોડેલા છે કૃષિ વગેરે કર્મ જેણે તે પરિશાતકર્મા, અને આહા૨સંજ્ઞાદિને નથી જાણેલ તેમ નથી છોડેલ જેણે તે અપરિજ્ઞાતસંજ્ઞભાવ વિના દીક્ષા લીધેલ મુનિ અથવા શ્રાવક–આ એક ભંગ, રિજ્ઞાતસંજ્ઞ–સદ્ભાવના વડે ભાવિત હોવાથી આહા૨સંજ્ઞાદિથી રહિત, પણ ન પરિજ્ઞાતકર્મા–કૃષિ વગેરેથી નિવૃત્ત નહિં થયેલ શ્રાવક, આ બીજો ભંગ, ત્રીજો સાધુ અને ચોથો અસંયત છે ૧૦, પરિજ્ઞાતકર્મા–સાવદ્યકાર્યનું કરવું, કરાવવું અને અનુમોદવું તેથી નિવૃત્ત અથવા કૃષિ વગેરેથી નિવૃત્ત પણ ગૃહવાસને છોડેલ નથી તે અપ્રવજિત, આ એક, બીજો તો ગૃહવાસને છોડેલ છે પણ આરંભને છોડેલ નથી તે દુષ્ટ સાધુ, ત્રીજો સુસાધુ અને ચોથો અસંયત ૧૧, વિશિષ્ટ ગુણનું સ્થાનક હોવાથી સંજ્ઞાને છોડનાર, પણ ગૃહસ્થ હોવાથી ગૃહવાસને છોડેલ નથી–આ એક, બીજો તો યતિ હોવાથી ગૃહવાસને છોડેલ છે પણ સદ્ભાવના વડે ભાવિત નહિ હોવાથી આહારાદિ સંજ્ઞાને છોડેલ નથી—આ બીજો ભંગ. બન્નેને છોડેલ છે તે ત્રીજો અને બન્નેને છોડેલ નથી તે ચોથો ભંગ ૧૨, આ જન્મમાં જ અર્થ–ભોગસુખાદિ પ્રયોજન અથવા આસ્થા-‘એ જ સારું છે’ એવી છે બુદ્ધિ જેની તે ઈહાર્થ અથવા ઈહાસ્થ ભોગપુરુષ અથવા લોકમાં પ્રતિબંધ પામેલ, પરત્ર-જન્માંતરને વિષે જ પ્રયોજન અથવા આસ્થા છે જેને તે પરાર્થ અથવા પરાસ્થ તે સાધુ અથવા બાલતપસ્વી, ઉભય લોકને વિષે પ્રયોજન અથવા આસ્થા છે જેને તે સુશ્રાવક અથવા બન્ને લોકના સુખમાં બંધાયેલ ઉભયલોકના પ્રયોજનથી રહિત તે કાલસૌકરાદિ અથવા મૂઢ અથવા 'હેવ’—કોઈક વિવક્ષિત ગ્રામ વગેરેમાં જ રહે તે ઇહસ્થ, તેમાં બંધાયેલ હોવાથી ‘ન પરસ્થ’–૫૨માં ૨હેલ નથી ૧, બીજો તો પરત્ર–બીજે સ્થલે પ્રતિબદ્ધ હોવાથી પરસ્થ ૨, અન્ય તો ઉભય સ્થલમાં રહેનાર તે ઉભયસ્થ ૩ અને ચોથો તો સર્વત્ર અપ્રતિબદ્ધ હોવાથી અનુભયસ્થ–સાધુ ૧૩, કોઈક એક વડે–શ્રુત વડે વૃદ્ધિને પામે છે અને એકથી–સમ્યગ્દર્શનથી હીન થાય છે. કહ્યું છે કે—
1. આ દ્રમકની કથા ઉપદેશપ્રાસાદ ગ્રંથમાં છે.
423