________________
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग १
४ स्थानकाध्ययने उद्देशः ३ मातापित्रादिसमाः श्रावकाः, वीरश्रावकदेवत्वं, देवागमानागमकारणानि ३२१-३२३ सूत्राणि
દશ પ્રકારના વૈયાવૃત્યમાંથી કોઈ પણ એક પ્રકારમાં પ્રિયધર્મીપણાને લઈને તરત ઉદ્યમને કરે છે પરંતુ દૃઢધર્મી ન હોવાથી પૈર્ય અને વીર્યબલ વડે કૃશ-નબળો હોઈને પરિપૂર્ણ નિર્વાહ કરી શકતો નથી, આ પ્રથમ ભંગ છે. (૧૮૭)
બીજો પુરુષ તો દઢધર્મી છે કેમકે અંગીકાર કરેલ કાર્યનું પાલન કરે છે પરંતુ પ્રિયધર્મી નથી કેમકે કષ્ટ વડે ધર્મને સ્વીકારે છે. તૃતીય અને ચતુર્થ ભંગ સ્પષ્ટ છે. કહ્યું છે– दुक्खेण उ गाहिज्जइ, बीओ गहियं तु नेइ जा तीरं । उभयंतो[उभयतो] कल्लाणो, तइओ चरिमो उ पडिकुट्ठो ॥१८८।।
[व्यवहार भा० ४५८८ त्ति] પ્રિયધર્મી ન હોવાથી જેને મહાકષ્ટ વડે ધર્મ ગ્રહણ કરી શકાય છે પરંતુ ગ્રહણ કરેલ ધર્મનું બરાબર પાલન કરતો હોવાથી દઢધર્મી તે બીજો. ત્રીજો ઉભય પ્રકાર વડે કલ્યાણરૂપ છે અને ઉભયથી પ્રતિકૂલ ચોથો પુરુષ છે. (૧૮૮)
આચાર્ય સૂત્રના ચોથા ભાંગામાં જે દીક્ષા વડે અને ઉત્થાપના વડે આચાર્ય નથી તે કોણ? તે સંબંધમાં કહે છે ધર્માચાર્યપ્રતિબોધક. કહ્યું છે કે
धम्मो जेणुवइट्टो, सो धम्मगुरू गिही व समणो वा । को वि तिहिं संपउत्तो, दोहि वि एक्केक्कगेणेव ।।१८९॥
જેણે ધર્મનો ઉપદેશ કરેલ છે તે ગૃહસ્થ અથવા સાધુ ધર્મગુરુ-ધર્માચાર્ય છે. કોઈક ત્રણ પ્રકારે–૧. ધર્માચાર્ય, ૨. દીક્ષાચાર્ય અને ૩. ઉપસ્થાપનાચાર્ય હોય છે. કોઈક બે પ્રકારે—ધર્માચાર્ય અને દીક્ષાચાર્ય અથવા દીક્ષાચાર્ય અને ઉપસ્થાપનાચાર્ય છે અથવા કોઈક ધર્માચાર્યાદિ એક એક પ્રકાર વડે આચાર્ય હોય છે. (૧૮૯).
ઉદેશન–અંગાદિ સૂત્રને ભણાવવામાં શિષ્યને અધિકારી કરવો તેમાં અથવા તેના વડે જે આચાર્ય-ગુરુતે ઉદેશનાચાર્ય. ઉભયશૂન્ય કોણ હોય? તે કહે છે ધર્માચાર્ય. અંતે-ગુરુની સમીપે વસવા માટે સ્વભાવ છે જેનો તે અંતેવાસી-શિષ્ય પ્રવ્રાજનાદીક્ષાવડે અંતેવાસી તે પ્રવ્રાજનાંતેવાસી અર્થાત્ દીક્ષિત શિષ્ય અને મહાવ્રતોનું આરોપણ કરવાથી શિષ્ય તે ઉપસ્થાપનાંતેવાસી કહેવાય છે. ચોથા ભાંગાવાળો કોણ? તે કહે છે ધર્મનો પ્રતિબોધ આપવાથી અથવા ધર્મની ઇચ્છાથી આવેલ શિષ્ય તે ધમતેવાસી. જે ઉદેશનાંતેવાસી પણ નહિં અને વાચનાંતેવાસી પણ નહિં તે ચોથા ભાંગાવાળો કોણ?.તે કહે છે-ધમતેવાસી. બાહ્ય અને અત્યંતર પરિગ્રહથી મુક્ત થયેલા તે નિગ્રંથ-સાધુઓ, ભાવથી જ્ઞાનાદિ રત્નો વડે વિચરે-વ્યવહાર કરે છે તે રાત્નિકદીક્ષા પર્યાય વડે જયેષ્ઠ શ્રમણ-નિગ્રંથ. સ્થિતિ વગેરેથી મહાનું અને તથાવિધ પ્રમાદાદિ વડે પ્રગટ જણાતાં કર્મો છે જેને તે મહાકર્મી (ભારેકમ), કર્મબંધના હેતુભૂત કાયિક્યાદિ મહાદિયાદિ છે જેને તે મહાક્રિયાવાળો, શીતાદિને સહન કરવારૂપ આતાપનાને જે નથી કરતો તે અનાતપી કેમ કે તે મંદશ્રદ્ધાવાળો હોય છે, આ હેતુથી પાંચ સમિતિ વડે અસમિત–આવા પ્રકારનો જ્યેષ્ઠ સાધુધર્મનો આરાધક થતો નથી. બીજો પર્યાયયેષ્ઠ મુનિ તો અલ્પકમ્મ, અલ્પક્રિય હોવાથી ધર્મના આરાધક થાય છે. ત્રીજો લઘુપર્યાયવાળો રાત્વિક તે અવમરાત્વિક (આ ત્રીજો ભાંગો પ્રથમ ભંગવત્ અને ચતુર્થ ભંગ દ્વિતીય ભંગવત્ જાણવો) આ રીતે નિર્ગથી (સાધ્વી), શ્રાવક અને શ્રાવિકાના 'વત્તારિ રામ' ત્તિ આ ત્રણ સૂત્રોમાં પણ ચાર ચાર આલાપકો થાય છે. ૩૨૦ चत्तारि समणोवासगा पन्नत्ता, तंजहा–अम्मापितिसमाणे, भातिसमाणे, मित्तसमाणे, सवत्तिसमाणे । चत्तारि समणोवासगा पन्नत्ता, तंजहा–अदागसमाणे, पडागसमाणे, खाणुसमाणे, खरकंटयसमाणे ४ ।। सू० ३२१।। समणस्सणं भगवतो महावीरस्स समणोवासगाणंसोधम्मे कप्पे अरुणाभे विमाणे चत्तारि पलिओवमाई ठिती પત્તા સૂર રરર चउर्हि ठाणेहिं अहुणोववन्ने देवे देवलोगेसु इच्छेज्जा माणुसं लोगं हव्वमागच्छित्तते, णो चेव णं संचातेति हव्वमागच्छित्तते, तंजहा-अहुणोववन्ने देवे देवलोगेसु दिव्वेसु कामभोगेसु मुच्छिते गिद्धे गढिते अज्झोववन्ने,
410.