________________
४ स्थानकाध्ययने उद्देशः ३ यान-युग्यसारथिप्रभृतिचतुर्भगीका ३२० सूत्रम् श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग १ તે સંગ્રહ માટે કહે છે–પસંહાર' ત્તિ આહારાદિ વડે અને જ્ઞાનાદિ વડે ગ૭ સંબંધી સંગ્રહને કરે તે ગણસંગ્રહકર. બાકીનું પૂર્વની માફક જાણવું. કહ્યું છે કેसो पुण गच्छस्सऽहो उ, संगहो तत्थ संगहो दुविहो । दव्वे भावे निउमाउ, होंति आहार-णाणादी ।।१८५।।
[व्यवहार भाषा० ४५७१ त्ति] ગચ્છને માટે સંગ્રહ દ્રવ્ય અને ભાવથી બે પ્રકારનો કહેલ છે. તેમાં દ્રવ્યથી આહાર, ઉપાધિ અને શય્યા તથા ભાવથી જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ સંગ્રહ કરે છે પરંતુ માન કરતો નથી. (૧૮૫).
ગચ્છને નિર્દોષ સાધુની સામાચારીમાં પ્રવર્તાવવા વડે અથવા વાદી, ધર્મકથી, નૈમિત્તિક, વિદ્યા અને સિદ્ધ' વગેરેપણાથી ગચ્છની શોભા કરવાના સ્વભાવવાળો તે ગણશોભાકર છે પણ માનને કરતો નથી કેમકે પ્રાર્થનાનો અભિલાષી હોતો નથી અથવા મદનો અભાવ હોય છે. ગણને યથાયોગ્ય પ્રાયશ્ચિત્ત વગેરે દેવાથી શોધિ-શુદ્ધિને જે કરે છે તે ગણશોધિકર અથવા આહારાદિને વિષે દોષની શંકા થયે છતે ગૃહસ્થના કુલમાં (વરે) જઈને તેની પ્રાર્થના સિવાય જે આહારની શુદ્ધિ કરે છે તે પ્રથમ પુરુષ, જે માનથી શુદ્ધિને માટે જતો નથી તે દ્વિતીય, ગૃહસ્થની પ્રાર્થનાથી જે જાય તે તૃતીય અને જે પ્રાર્થનાની અપેક્ષા પણ કરતો નથી અને જતો પણ નથી તે ચતુર્થ. રૂપસાધુના વેષને કારણવશાત્ છોડે છે પણ ચારિત્રલક્ષણ ધર્મને છોડતો નથી, બોટિકમતમાં રહેલ મુનિવતું, બીજો તો ધર્મને છોડે છે પણ વેષને છોડતો નથી તે નિદ્ભવવતું, ત્રીજો બન્નેને છોડે છે તે દીક્ષાને છોડનારની જેમ અને ચોથો બન્નને છોડતો નથી તે સુસાધુની જેમ. કોઈક જિનાજ્ઞારૂપ ધર્મને છોડે છે પણ સ્વચ્છમાં કરાયેલી મર્યાદા રૂપ ગણની સંસ્થિતિને છોડતો નથી. અહિં કેટલાએક આચાર્યોએ તીર્થકરના ઉપદેશ વિના ગચ્છની વ્યવસ્થા આ પ્રમાણે કરેલી કે-અતિશયવાળું મહાકલ્યાદિ ધૃત અન્ય ગચ્છવાળાઓ માટે આપણે આપવું નહિં. આ મર્યાદાને લઈને જે અન્ય ગણવાળા (યોગ્ય સાધુ)ને શ્રત ન આપ્યું તેથી જિનાજ્ઞાનું પાલન ન કરવાથી ધર્મને છોડે છે પણ ગણની સ્થિતિને છોડતો નથી, કેમ કે તીર્થકરનો ઉપદેશ એ છે કે બધા યોગ્ય મુનિઓને શ્રુત આપવું-આ પ્રથમ પુરુષ. જે યોગ્યને શ્રુત આપે છે તે દ્વિતીય, જે અયોગ્ય પુરુષોને આપે છે તે તૃતીય અને શ્રુતનો નાશ ન થાય તે માટે શ્રુતની રક્ષા (ગ્રહણ) કરવામાં સમર્થ અન્ય ગચ્છના શિષ્યને સ્વકીયદિગબંધ (પોતાના ગચ્છની ક્રિયા) કરીને અર્થાત્ તેને પણ ભણાવનારના ગચ્છની ક્રિયાનું પાલન કરવું પડે એ પ્રમાણે વિધિ કરીને શ્રુતને આપે છે, તેથી ધર્મ અને ગચ્છની મર્યાદાને છોડતો નથી તે ચતુર્થ. કહ્યું છે કે. · सयमेव दिसाबंध, काऊण पडिच्छगस्स जो देइ । उभयमवलंबमाणं, कामं तु तयंपि पूएमो ॥१८६।।
[વ્યવહાર ના ૪૧૮૪ 7િ] ‘જો અન્ય ગચ્છવાળાને શ્રુત નહિં આપીએ તો શ્રુતનો નાશ થશે એમ વિચારીને કોઈક અન્ય ગચ્છના બુદ્ધિમાન સાધુને જોઈને પોતાની મેળે જ તેને દિગબંધ (આચ્છોટન પ્રચ્છોટનાદિ ક્રિયારૂપ સ્વગચ્છની વિધિ) કરીને શ્રુતને આપે છે. તે સ્વગચ્છની મર્યાદાનો તેમજ જિનાજ્ઞાનો પણ પાલક હોવાથી તેને અમે વિશેષતઃ પૂજીએ છીએ. (૧૮૬). - ધર્મમાં પ્રીતિને લઈને અને સુખપૂર્વક ધર્મ સ્વીકારેલ હોવાથી પ્રિય છે ધર્મ જેને તે પ્રિયધર્મો છે પણ દઢધમ્મ નથી, કેમકે આપદામાં પણ ધર્મના પરિણામથી ચલાયમાન ન થાય અર્થાત્ ક્ષોભ ન પામે તે દઢધર્મો હોય છે. તેવો ન હોવાથી દઢધમ્મ નથી ૧. કહ્યું છે કે___दसविहवेयावच्चे, अन्नतरे खिप्पमुज्जम कुणति । अच्चतमणेव्वाणि, धिइविरियकिसो पढमभंगो ॥१८७।।
[व्यवहार भा० ४५८७ त्ति] 1, અંજન, ચૂર્ણ વગેરે પ્રયોગ વડે સિદ્ધ . 2. અયોગ્યને આપવું તે જિનાજ્ઞા નથી તેથી ધર્મ અને ગચ્છની મર્યાદાને ઉલ્લંધે છે.
409