________________
४ स्थानकाध्ययने उद्देशः ३ यान-युग्यसारथिप्रभृतिचतुर्भगीका ३२० सूत्रम् श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग १
ઉભૂયસંપન્ન છે અને ૪. એક ઉભયસંપન્ન નથી. (૧), ચાર પ્રકારના પુરુષ કહેલા છે, તે આ પ્રમાણે–૧. એક જાતિસંપન્ન છે પણ બલસંપન્ન નથી, ૨. એક બળસંપન્ન છે પણ જાતિસંપન્ન નથી, ૩. એક ઉભયસંપન્ન છે અને ૪. એક ઉભયસંપન્ન નથી. (૨), એવી રીતે જાતિથી રૂપની સાથે ચતુર્ભાગી કરવી (૩), એમ જ જાતિથી શ્રુતની સાથે ચતુર્ભાગી (૪), એમ જ જાતિથી શીલની સાથે ચતુર્ભાગી (૫), એમ જાતિથી ચારિત્રની સાથે ચતુર્ભગી (૬), એમ કુલથી બલની સાથે ચતુર્ભગી (૭), કુલ અને રૂપની સાથે ચતુર્ભાગી (૮), કુલ અને શ્રુતની સાથે ચતુર્ભગી (૯), કુલ
અને શીલની સાથે ચતુર્ભગી (૧૦), કુલ અને ચારિત્રની સાથે ચતુર્ભાગી (૧૧), ચાર પ્રકારના પુરુષ કહેલા છે, તે . આ પ્રમાણે–એક પુરુષ બલસંપન્ન છે પણ રૂપસંપન્ન નથી, એમ બલ અને રૂપની ચતુર્ભાગી જાણવી. (૧૨), એમ બલ અને શ્રુતની સાથે ચતુર્ભાગી (૧૩), એક બલ અને શીલની સાથે (૧૪), એમજ બલ અને ચારિત્રની સાથે ચતુર્ભગી કહેવી. (૧૫) ચાર પ્રકારના પુરુષ કહેલા છે, તે આ પ્રમાણે-એક પુરુષ રૂપસંપન્ન છે પણ શ્રત (જ્ઞાન) સંપન્ન નથી, એમ રૂપ અને શ્રુતની ચતુર્ભગી (૧૬), એમ રૂપ અને શીલની સાથે ચતુર્ભગી (૧૭), રૂપ અને ચારિત્રની સાથે ચતુર્ભગી (૧૮), ચાર પ્રકારના પુરુષ કહેલા છે, તે આ પ્રમાણે—એક પુરુષ શ્રુતસંપન્ન છે પણ શીલસંપન્ન નથી, એમ શ્રુત અને શીલની ચતુર્ભાગી (૧૯), એમ શ્રત અને ચારિત્રની ચતુર્ભગી (૨૦), ચાર પ્રકારના પુરુષ કહેલા છે, તે આ પ્રમાણે—એક પુરુષ શીલસંપન્ન છે પણ ચારિત્રસંપન્ન નથી, એમ શીલ અને ચારિત્રની ચતભેગી કરવી (૨૧). આ બધા મળીને ૨૧ ભાંગાઓ (ચતુર્ભગીરૂપ) કહેવા. ચાર પ્રકારના ફલો કહેલા છે. તે આ પ્રમાણ–૧, કોઈ એક ફૂલ આમળાના જેવું મધુર છે, ૨. કોઈક દ્રાક્ષના જેવું મધુર છે, ૩. કોઈક દૂધના જેવું મધુર છે અને ૪. કોઈક ખાંડના જેવું મધુર છે. આ દૃષ્ટાંતે ચાર પ્રકારના આચાર્યો કહેલા છે, તે આ પ્રમાણે-૧. કોઈક આચાર્ય આમળાના ફલ સમાન મધુર અર્થાત્ કંઈક મધુર વચન અને ઉપશમાદિ ગુણવાન છે, ૨. કોઈક દ્રાક્ષ સમાન મધુર અર્થાત્ અધિક મિષ્ટવચન અને ઉપશમાદિ ગુણવાન છે, ૩, કોઈક આચાર્ય દૂધ સમાન મધુર અર્થાત્ અધિકતર મિષ્ટ વચન અને ઉપશમાદિ ગુણવાન છે અને ૪. કોઈક આચાર્ય ખાંડ સમાન મધુર અથત અધિકતમ મિષ્ટ વચન અને ઉપશમાદિ ગુણસંપન્ન છે. ચાર પ્રકારના પુરુષ કહેલા છે, તે આ પ્રમાણ–૧, કોઈક પુરુષ–સાધુ, આહારાદિ વડે પોતાની વૈયાવચ્ચ કરે છે પણ બીજાની કરતો નથી–તે આળસુ અથવા અસંભોગી સાધુ, ૨. કોઈક સાધુ બીજાની વૈિયાવચ્ચ કરે પણ પોતાની કરતો નથી-તે પરોપકારી સાધુ, ૩. કોઈક પોતાની અને પરની વૈયાવચ્ચ કરે છે તે
વિકલ્પી સાધુ અને ૪. કોઈક પોતાની કે પરની વૈયાવચ્ચ કરતો નથી–તે અનશન વિશેષ કરનાર સાધુ, ચાર પ્રકારના પુરુષો કહેલા છે, તે આ પ્રમાણે–૧. કોઈક પુરુષ–સાધુ અન્ય મુનિની વૈયાવચ્ચ કરે છે પણ પોતે નિઃસ્પૃહ હોવાથી પોતાની ઈચ્છતો નથી, ૨. કોઈક સાધુ પોતે વૈયાવચ્ચ ઇચ્છે છે પરંતુ અન્યની વૈયાવચ્ચ કરતો નથી-તે ગ્લાન સાધુ અથવા આચાર્ય, ૩. કોઈક અન્યની વૈયાવચ્ચ કરે છે અને પોતે પણ ઇચ્છે છે-તે સ્થવિરકલ્પી મુનિ તેમજ ૪. કોઈક અન્યની વૈયાવચ્ચ કરતો નથી અને પોતાની ઈચ્છતો પણ નથી-તે જિનકલ્પી મુનિ. ચાર પ્રકારના પુરુષ કહેલા છે, તે આ પ્રમાણે–૧. કોઈક પુરુષ અર્થકર-રાજાદિને દિગયાત્રાદિના પ્રસંગમાં હિતની પ્રાપ્તિ અને અહિતનો પરિહાર વગેરે કરે છે પણ માન કરતો નથી તે મંત્રી અથવા નૈમિત્તિક, ૨, કોઈક માનને કરે છે પણ અર્થકર નથી, ૩. કોઈક અર્થને પણ કરે છે અને માનને પણ કરે છે તેમજ ૪. કોઈક અર્થકર પણ નથી અને માનકર પણ નથી. ચાર પ્રકારના પુરુષો કહેલા છે, તે આ પ્રમાણે–૧, કોઈક પુરષ–સાધુ ગણ-સાધુસમુદાયના અર્થ-કાર્યને કરે છે તે ગણાર્થકર છે, પરંતુ માન કરતો નથી, ૨, કોઈક માન કરે છે પણ સાધુસમુદાયના કાર્યને કરતો નથી, ૩. કોઈક સાધુસમુદાયના કાર્યને અને માનને પણ કરે છે અને ૪. કોઈક સાધુ બન્ને કરતો નથી. ચાર પ્રકારના પુરુષો કહેલા છે, તે આ પ્રમાણે–૧. કોઈક સાધુ ગણસંગ્રહકર-ગચ્છને માટે આહારાદિ અને જ્ઞાનાદિ વડે સંગ્રહ કરે છે
405