________________
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग १
४ स्थानकाध्ययने उद्देशः ३ यान - युग्यसारथिप्रभृतिचतुर्भंगीका ३२० सूत्रम्
પણ માનને કરતો નથી, ૨. કોઈક માન કરે છે પણ ગચ્છને માટે સંગ્રહ કરતો નથી, ૩. કોઈક સંગ્રહ પણ કરે છે અને માન પણ કરે છે અને ૪. કોઈક ગણસંગ્રહ કે માન બન્ને કરતો નથી. ચાર પ્રકારના પુરુષો કહેલા છે, તે આ પ્રમાણે—૧. કોઈક સાધુ નિર્દોષ સાધુસામાચારી વગેરેથી ગચ્છની શોભા કરે છે પણ માન કરતો નથી, ૨. કોઈક માન કરે પણ ગચ્છની શોભા કરતો નથી, ૩. કોઈક ગચ્છની શોભા અને માન બન્ને કરે છે અને ૪. કોઈક બન્ને કરતો નથી. ચારપ્રકારના પુરુષો કહેલા છે, તે આ પ્રમાણે—૧. કોઈક સાધુ ગણશોધિકર અર્થાત્ યથાયોગ્ય પ્રાયશ્ચિત્ત આપવું વગેરેથી ગચ્છની શુદ્ધિ કરે છે, પણ માન કરતો નથી, ૨. કોઈક માન કરે છે પણ ગચ્છની શુદ્ધિ કરતો નથી, ૩. કોઈક ઉભય કરે છે અને ૪. કોઈક ઉભય કરતો નથી. ચાર પ્રકારના પુરુષો કહેલા છે, તે આ પ્રમાણે—૧. કોઈક સાધુ કારણવશાત્ રૂપ–સાધુના વેષને છોડે છે પણ ચારિત્રલક્ષણ ધર્મને છોડતો નથી–વેષ છોડીને ભણવા માટે બૌદ્ધમતમાં ગયેલ હરિભદ્રસૂરિના શિષ્યની જેમ, ૨. કોઈક ચારિત્રરૂપ ધર્મને છોડે છે પણ વેષને છોડતો નથી, જમાલી પ્રમુખ નિર્ભવવત્, ૩. કોઈક સાધુ વેષને પણ છોડે છે અને ધર્મને પણ છોડે છે–તે દીક્ષા છોડીને ઘેર ગયેલ કંડરીક વગેરેની જેમ તેમજ ૪. કોઈક બન્નેને છોડતો નથી તે સુસાધુની જેમ. ચાર પ્રકારના પુરુષો કહેલા છે, તે આ પ્રમાણે—૧. કોઈક સાધુ જિનાજ્ઞાલક્ષણ ધર્મને છોડે છે પણ ગણસ્થિતિ–સ્વગચ્છની મર્યાદાને છોડતો નથી, ૨. કોઈક ગચ્છની મર્યાદાને છોડે છે પણ ધર્મને છોડતો નથી, ૩. કોઈક બન્નેને છોડે છે અને ૪. કોઈક બન્નેને છોડતો નથી. ચાર પ્રકારના પુરુષો કહેલા છે, તે આ પ્રમાણે—૧. કોઈક પુરુષ પ્રિયધર્મી છે પણ દૃઢધર્મી નથી–કષ્ટ પડવાથી ધર્મને છોડી દે છે, ૨. કોઈક દૃઢધર્મી છે પણ પ્રિયધર્મી નથી કેમકે કષ્ટ પડવાથી ધર્મને સ્વીકારે છે. ૩. કોઈક પ્રિયધર્મી છે અને દૃઢધર્મી પણ છે. ૪. કોઈક પ્રિયધર્મી નથી તેમજ દંઢધર્મી પણ નથી. ચાર પ્રકારના આચાર્યો કહેલા છે, તે આ પ્રમાણે—૧. કોઈક પ્રવ્રાજનાચાર્ય-દીક્ષા આપનાર છે પણ ઉપસ્થાપનાચાર્ય નથી કેમકે સ્વયં સર્વ સિદ્ધાંતના યોગને વહન કરેલ ન હોવાથી મહાવ્રતોનું આરોપણ કરાવતા નથી. ૨. કોઈક ઉપસ્થાપનાચાર્ય છે પણ પ્રવ્રાજનાચાર્ય નથી, ૩. કોઈક પ્રવ્રાજનાચાર્ય છે અને ઉપસ્થાનાપચાર્ય પણ છે તેમજ ૪. કોઈક પ્રવ્રાજનાચાર્ય પણ નથી અને ઉપસ્થાપનાચાર્ય પણ નથી પરંતુ ધર્માચાર્ય છે અર્થાત્ જેમની પાસેથી બોધ પ્રાપ્ત થયો હોય તે સાધુ અથવા શ્રાવક, ચાર પ્રકારના આચાર્યો કહેલા છે, તે આ પ્રમાણે−૧. કોઈક આચાર્ય અંગ વગેરે સૂત્રને ભણવામાં શિષ્યને અધિકારી કરનાર છે તે ઉદ્દેશનાચાર્ય છે પણ વાચનાચાર્ય નથી અર્થાત્ વાચના આપતા નથી, ૨. કોઈક વાચનાચાર્ય છે—ભણાવે છે પણ ઉદેશનાચાર્ય નથી, ૩. કોઈક બન્ને રીતે આચાર્ય છે અને ૪. કોઈક બન્ને રીતે આચાર્ય નથી પરંતુ ધર્માચાર્ય છે. ચાર પ્રકારના અંતેવાસી (શિષ્ય) કહેવાય છે, તે આ પ્રમાણે—૧. કોઈક પ્રવ્રાજના શિષ્ય-જેને દીક્ષા આપેલ હોય તે, પરંતુ ઉપસ્થાપના શિષ્ય નથી અર્થાત્ વડીદીક્ષા આપેલ નથી, ૨. એક ઉપસ્થાપના વડે શિષ્ય છે પણ પ્રવ્રાજના વડે શિષ્ય નથી, ૩. એક ઉભયપ્રકારે શિષ્ય છે અને ૪. કોઈક ઉભયપ્રકારે શિષ્ય નથી પણ ધર્મશિષ્ય છે અર્થાત્ તેને પ્રતિબોધેલ છે. ૧. એક ઉદ્દેશન વડે શિષ્ય છે અર્થાત્ તેને સૂત્ર ભણાવવામાં અધિકારી કરેલ છે પણ વાચના શિષ્ય નથીતેને વાચના આપી નથી, ૨. એક વાચના વડે શિષ્ય છે પણ ઉદ્દેશન વડે શિષ્ય નથી, ૩. કોઈક ઉભય પ્રકારે શિષ્ય છે અને ૪. કોઈક ઉભય પ્રકારે શિષ્ય નથી, ધર્મશિષ્ય છે—પ્રતિબોધેલ છે. ચાર પ્રકારના નિગ્રંથો કહેલ છે, તે આ પ્રમાણે—૧. એક રાત્મિક [દીક્ષાપર્યાયથી જ્યેષ્ઠ] શ્રમણ-નિગ્રંથ, મહાકર્મવાળો, કાયિકી વગેરે મહાક્રિયાવાળો, આતાપનાને નહિં લેનારો અને સમિતિ રહિત તે ધર્મનો આરાધક થતો નથી. ૨. એક રાત્વિક શ્રમણ-નિગ્રંથ, લઘુકર્મી, કાયિકી વગેરે અલ્પ ક્રિયાવાળો, આતાપનાને લેનારો અને સમિતિયુક્ત છે તે ધર્મનો આરાધક થાય છે. ૩. એક લઘુરાત્વિક (દીક્ષાપર્યાયમાં લઘુ) શ્રમણ-નિગ્રંથ, મહાકર્મવાળો, મહાન્ ક્રિયાવાળો, આતાપનાને નહિં લેનારો અને સમિતિ રહિત છે તે ધર્મનો આરાધક થતો નથી અને ૪. એક લઘુરાત્વિક શ્રમણ-નિગ્રંથ, લઘુકર્મી, અલ્પ
.
406