SearchBrowseAboutContactDonate
Page Preview
Page 408
Loading...
Download File
Download File
Page Text
________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग १ ४ स्थानकाध्ययने उद्देशः पत्राद्युपगचतुर्भंगिका आश्वासचतुष्कं ३१३-३१४ सूत्रे વગેરે ખેંચી ન શકાય અથવા કષ્ટ વડે ખેંચી શકાય (કાઢી શકાય) તે કર્મ (કાદવ). દીપક વગેરેની મેશના જેવો પગ વગેરેમાં લેપ કરનાર-ચોંટી જાય તેવો તે ખંજન, ક વિશેષ જ છે. વાલુકા (રેતી) પ્રસિદ્ધ છે, તે ભીંજેલી પગ વગેરેને લાગી હોય તો પણ પાણી સૂકાઈ જવાથી અલ્પ પ્રયાસે દૂર થાય છે માટે અલ્પ લેપ કરનારી છે. શૈલ એટલે કોમળ પાષાણો. તે પગ વગેરેને સ્પર્શ વડે જ કંઈક દુઃખ ઉપજાવે છે, પરંતુ તથાવિધ લેપને ઉત્પન્ન કરતા નથી. કાદવ વગેરેની પ્રધાનતાવાળા ઉદકો તે કર્દમોદક વગેરે કહેવાય છે. જીવન જે રાગાદિ પરિણામ તે ભાવ, તેનું કર્દમોદક વગેરેની સાથે સમાનપણે તેના સ્વરૂપને અનુસાર કર્મના લેપને અંગીકાર કરીને માનવું. ૩૧૧|| હમણાં જ ભાવનું સ્વરૂપ કહ્યું, હવે ભાવવાળા દષ્ટાંત સહિત પુરુષને 'વત્તારિ પી ’ ત્યાદિ સૂત્રથી લઈને , 'અત્યનિયમ' ત્તિ છેવટના સૂત્ર વડે કહે છે-તેનો ભાવ સ્પષ્ટ છે. વિશેષ એ કે-શબ્દ અને રૂપ બધા પક્ષીઓને હોય છે, અતઃ વિશિષ્ટ શબ્દ અને રૂ૫ ગ્રહણ કરવા યોગ્ય છે. ૧. રુતમનોજ્ઞ શબ્દ વડે સંપન્ન એક પક્ષી છે પરંતુ મનોજ્ઞ રૂપ વડે સંપન્ન નથી-કોકિલની જેમ, ૨. રૂપસંપન્ન છે પણ શબ્દસંપન્ન નથી–સામાન્ય શુક (પોપટ) વ૮, ૩. ઉભયસંપન્ન-મયૂરવત, ૪. અનુભસંપન્ન-શબ્દસંપન્ન અને રૂપસંપન્ન પણ નહિ-કાગડાની જેમ. અહિં પુરુષ યથાયોગ્ય યોજવો, તે આ પ્રમાણે પ્રિય બોલવા વડે મનોજ્ઞ શબ્દ અને સુંદર વેષ વડે રૂપસંપન્ન અથવા સાધુ, ચોક્કસ કરેલ સિદ્ધાંતમાં પ્રસિદ્ધ, શુદ્ધ ધર્મદેશનાદિ સ્વાધ્યાયના પ્રબંધવાળો (શબ્દસંપન્ન), લોચ વડે અલ્પ કેશવાળું ઉત્તમાંગપણું અર્થાત મસ્તકની સુંદરતા, તપ વડે કાયાની કૃશતા, મેલ વડે મલિન કાયા અને અલ્પ ઉપકરણપણું વગેરે લક્ષણ વડે સુવિહિત સાધુના રૂપને ધરનાર તે રૂપસંપન્ન છે. 'રિય' તિ, સ્વાર્થિક “ક” પ્રત્યયનું ગ્રહણ કરવામાં પણ પ્રીતિ એ જ પ્રીતિક, રૂઢિથી નપુંસકપણું જાણવું. ૧. હું પ્રીતિ કરું અથવા હું વિશ્વાસ કરું એવા પરિણામવાળો થયો થકી પ્રીતિને અથવા વિશ્વાસ કરે છે, કેમ કે સ્થિર પરિણામવાળો અથવા . ઉચિત પ્રવૃત્તિ કરવામાં ચતુર કે સૌભાગ્યવાળો હોય છે. ૨. બીજો તો પ્રીતિ કરવામાં પરિણત થયો થકો પણ અપ્રીતિને જ કરે છે, કેમ કે સ્થિરપરિણામાદિ ગુણથી વિપરીત હોય છે. ૩. ત્રીજો અપ્રીતિમાં પરિણત થયો થકી પ્રીતિને જ કરે છે, કેમ કે ઉત્પન્ન થયેલા પૂર્વના પરિણામથી નિવૃત્ત થવાથી અથવા બીજાની અપ્રીતિનો હેતુ છતાં પણ પ્રીતિની ઉત્પત્તિના સ્વભાવવાળો હોવાથી પ્રીતિને કરે છે. ૪. ચોથો પુરુષ તો સુગમ છે. ૧. કોઈક પુરુષ ભોજન, વસ્ત્રાદિ વડે પોતાના આત્માને પ્રીતિ-આનંદ ઉત્પન્ન કરે છે, કેમ કે સ્વાર્થમાં તત્પર હોવાથી બીજાને આનંદ ઉત્પન્ન કરતો નથી, ૨. બીજો પરમાર્થમાં તત્પર હોવાથી બીજાને આનંદ આપે છે પણ પોતાને નહિ, ૩. ત્રીજો બન્ને (સ્વપર) ને આનંદ આપે છે, કેમ કે સ્વાર્થ અને પરમાર્થ બન્નેમાં તત્પર હોય છે, તેમજ ૪. ચોથો-સ્વપરને આનંદ ઉપજાવતો નથી. કેમ કે સ્વાર્થ–પરમાર્થમા શૂન્ય હોય છે. કોઈક પુરુષ પોતાનો વિશ્વાસ કરે છે પણ બીજાનો કરતો નથી ઇત્યાદિ ચતુર્ભગીની વ્યાખ્યા કરવી. 'ત્તિયં પવેસેમિ' ત્તિ આ પુરુષ મારા ઉપર પ્રતિ અથવા વિશ્વાસ કરે છે, આ પ્રમાણે બીજાના ચિત્તમાં હું ઠસાવું-ખાત્રી કરાવું. એવી રીતે પરિણામવાળો થયો થકો તે જ પ્રમાણે બીજાના ચિત્તમાં પ્રીતિ કે વિશ્વાસને કરાવે છે. બાકીનું (ત્રણ ભંગ) સૂત્ર અને અનંતર સૂત્ર પૂર્વની જેમ જાણવું..૩૧૨ી चत्तारि रुक्खा पन्नत्ता, तंजहा–पत्तोवर, पुप्फोवर, फलोवर, छायोवए । एवामेव चत्तारि पुरिसजाया पन्नत्ता, तंजहा–पत्तोवारुक्खसामाणे, पुष्फोवारुक्खसामाणे, फलोवारुक्खसामाणे, छातोवारुक्खसामाणे II સૂ૦ રૂરૂા. भारंणं वहमाणस्स चत्तारि आसासा पन्नत्ता, तंजहा-जत्थ णं अंसातो अंसंसाहरति तत्थ विय से एगे आसासे पण्णत्ते १,जत्थ वि य णं उच्चारं वा पासवणं वा परिहवेति तत्थ वि य से एगे आसासे पण्णत्ते २, जत्थ वि य णं णागकुमारावासंसि वा सुवनकुमारावासंसि वा वासं उवेति तत्थवि य से एगे आसासे पन्नत्ते ३, जत्थ वि य णं आवकधाते चिट्ठति तत्थ वि य से एगे आसासे पन्नत्ते ४ । एवामेव समणोवासगस्स चत्तारि आसासा पन्नत्ता, 396.
SR No.005767
Book TitleSthanang Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy