________________
४ स्थानकाध्ययने उद्देशः ३ क्रोधः पक्षिदृष्टान्तः ३११ - ३१२ सूत्रे
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग १
તે મનુષ્યમાં ઉત્પન્ન થાય છે અને ઉદકની રેખા સમાન સંજ્વલન ક્રોધમાં પ્રવિષ્ટ થયેલ જે જીવ કાલ ક૨ે છે તે દેવમાં ઉત્પન્ન થાય છે. ચાર પ્રકારે ઉદક-પાણી કહેલ છે, તે આ પ્રમાણે—કાદવવાળું પાણી, ખંજન–મેશ જેવું પાણી, ધૂળવાળું પાણી અને કાંકરાવાળું પાણી. આ દૃષ્ટાંતે ચાર પ્રકારના ભાવ (જીવના પરિણામ) કહેલા છે, તે આ પ્રમાણે—કર્દમ ઉદક સમાન, ખંજન ઉદક સમાન, વાલુકા ઉદક સમાન અને શૈલ ઉદક સમાન. કર્દમ ઉદક સમાન ભાવ (પરિણામ) ને પ્રાપ્ત થયેલ જે જીવ કાળ કરે છે તે નૈરયિકને વિષે ઉત્પન્ન થાય છે, ખંજન ઉદક સમાન ભાવને પ્રાપ્ત થયેલ જે જીવ કાળ કરે છે તે તિર્યંચયોનિકમાં ઉત્પન્ન થાય છે, વાલુકા ઉદક સમાન ભાવને પ્રાપ્ત થયેલ જે જીવ કાલ કરે છે તે મનુષ્યને વિષે ઉત્પન્ન થાય છે અને શૈલ ઉદક સમાન ભાવને પ્રાપ્ત થયેલ જે જીવ કાળ કરે છે તે દેવને વિષે ઉત્પન્ન થાય છે. I૩૧૧
ચાર પ્રકારના પક્ષી કહેલા છે, તે આ પ્રમાણે–કોઈ એક પક્ષી શબ્દસંપન્ન-મનોહર સ્વરવાળો છે પણ રૂપસંપન્ન નથી– કોકિલની જેમ, કોઈક રૂપસંપન્ન છે પણ શબ્દસંપન્ન નથી (મનોહર શબ્દ નથી)–અભણ પોપટની જેમ, કોઈક પક્ષી શબ્દસંપન્ન છે અને રૂપસંપન્ન પણ છે–મોરની જેમ, કોઈક શબ્દસંપન્ન પણ નથી અને રૂપસંપન્ન પણ નથી–કાગડાની જેમ, આ દૃષ્ટાંતે ચાર પ્રકારના પુરુષો કહેલા છે, તે આ પ્રમાણે-કોઈએક પુરુષ મિષ્ટ વચનસંપન્ન છે પણ રૂપસંપન્ન નથી અર્થાત્ કાળો કે કૂબડો છે, કોઈક રૂપસંપન્ન છે પણ મનોજ્ઞ શબ્દસંપન્ન નથી, કોઈક ઉભય સંપન્ન છે અને કોઈક ઉભય સંપન્ન નથી. ચાર પ્રકારના પુરુષો કહેલા છે, તે આ પ્રમાણે—૧. કોઈક પુરુષ એમ ચિંતવે કે—હું અમુકની સાથે પ્રીતિ કરું અને પ્રીતિ કરે છે, ૨. કોઈક પ્રથમ એમ ચિંતવે કેહું આની સાથે પ્રીતિ કરું પણ પછી કરે નહિં, ૩. કોઈક પ્રથમ એમ ચિંતવે કેહું અમુક સાથે અપ્રીતિ કરું પણ પછી પ્રીતિ કરે છે, ૪. કોઈક એમ ચિંતવે કેહું આની સાથે અપ્રીતિ કરું અને અપ્રીતિને કરે છે. ચાર પ્રકારના પુરુષો કહેલા છે, તે આ પ્રમાણે—૧. કોઈક પુરુષ ભોજન વગેરેથી પોતાના આત્માને આનંદ ઉપજાવે છે, પણ બીજાને નહિં, ૨. કોઈક બીજાને ઉપકાર કરે છે પણ પોતાને નહિ કેમ કે બીજા પર ઉપકાર કરવામાં રસિક હોય છે, ૩. કોઈક પોતાને અને બીજાને પણ આનંદ ઉપજાવે છે અને ૪. કોઈક પોતાને કે પરને પણ આનંદ ઉપજાવતો નથી. ચાર પ્રકારના પુરુષો કહેલા છે, તે આ પ્રમાણે—૧. કોઈક પુરુષ એમ ચિંતવે કે–હું પરના ચિત્તમાં પ્રીતિ કે વિશ્વાસ ઉપજાવું અને તેમજ વિશ્વાસ ઉપજાવે છે, ૨. કોઈક એમ ચિંતવે કે– હું બીજાને વિશ્વાસ ઉપજાવું પણ વિશ્વાસ ઉત્પન્ન કરી શકે નહિ, ૩. કોઈક એમ ચિંતવે કે–હું વિશ્વાસ ઉપજાવી શકીશ નહિ પણ વિશ્વાસ ઉત્પન્ન કરે, અને ૪. કોઈક એમ ચિંતવે કેહું વિશ્વાસ ઉપજાવી શકીશ નહિ અને ઉપજાવે પણ નહિ. ચાર પ્રકારના પુરુષો કહેલા છે, તે આ પ્રમાણે—૧. કોઈક પુરુષ પોતાના આત્મામાં વિશ્વાસ ઉપજાવે છે, પરંતુ બીજાને વિષે વિશ્વાસ ઉપજાવતો નથી, ૨. કોઈક, બીજાને વિષે વિશ્વાસ ઉપજાવે છે પણ પોતાના આત્મામાં વિશ્વાસ ઉપજાવતો નથી, ૩. કોઈક પુરુષ પોતાના તથા બીજાના આત્મામાં પણ વિશ્વાસ ઉપજાવે છે અને ૪. કોઈક પોતાના કે પરના આત્મામાં વિશ્વાસ ઉપજાવતો નથી. II૩૧૨/
(ટી૦) 'પત્તારી’ત્યાદ્રિ॰ આ સૂત્રનો આ પ્રમાણે સંબંધ છે. પૂર્વે ચારિત્ર કહ્યું, તેનો પ્રતિબંધ કરનાર ક્રોધાદિ ભાવ છે, માટે ક્રોધના સ્વરૂપનું નિરૂપણ કરવા માટે આ સૂત્ર કહેવાય છે. આ પ્રમાણે સંબંધવાળા આ દૃષ્ટાંતભૂત વગેરે સૂત્રની વ્યાખ્યા કરાય છે—'રાની' રેખા. ક્રોધનું બાકીનું વ્યાખ્યાન માયા વગેરેની જેમ જાણવું. માયાદિના પ્રકરણ (વિષય) થી અન્યત્ર ક્રોધનો વિચાર કરવામાં આવેલ છે કારણ કે સૂત્રની ગતિ વિચિત્ર હોય છે. બીજું સૂત્ર પણ સુગમ છે. આ ક્રોધ ભાવવિશેષ જ છે માટે ભાવની પ્રરૂપણા ક૨વા માટે દૃષ્ટાંત વગેરે બે સૂત્રને કહે છે—'ચત્તારી' ત્યાર્િ॰ પ્રસિદ્ધ છે. વિશેષ એ કે-જેમાં ખૂંચેલ પગ 1. ચોથા ઠાણાના બીજા ઉદ્દેશકમાં માયા વગેરે ત્રણ કષાયનું સ્વરૂપ કહેલ છે.
395