________________
४ स्थानकाध्ययने उद्देशः पत्राद्युपगचतुर्भगिका आश्वासचतुष्कं ३१३-३१४ सूत्रे श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग १ तंजहा-जत्थ णं सीलव्वत-गुणव्वत-वेरमणपच्चक्खाण, पोसहोववासाई पडिवज्जति तत्थ वि य से एगे आसासे पण्णत्ते १, जत्थ वि य णं समातितं देसावगासितमणुपालेति तत्थ वि य से एगे आसासे पण्णत्ते २, जत्थ वि य णं चाउद्दसट्टमुद्दिठ्ठपुनमासिणीसु पडिपुनं पोसहं सम्म अणुपालेति तत्थ वि य से एगे आसासे पण्णत्ते ३, जत्थ वि य णं अपच्छिममारणंतितसंलेहणाझूसणाझूसिते भत्तपाणडितातिक्खित्ते पाओवगते कालमणवकंखमाणे विहरति तत्थ वि य से एगे आसासे पन्नत्ते ४ ।। सू० ३१४।। (મૂળ) ચાર પ્રકારના વૃક્ષ કહેલ છે, તે આ પ્રમાણે—ઘણા પત્ર (પાંદડા) વાળું, ઘણા પુષ્પવાળું, ઘણા ફલવાળું અને ગાઢ
છાયાવાળું. એ દૃષ્ટાંતે ચાર પ્રકારના પુરુષો કહેલા છે, તે આ પ્રમાણે–૧. તથાવિધ ઉપકારને નહિ કરનાર પત્ર સહિત વૃક્ષ સમાન, ૨. સૂત્રદાન વગેરેથી ઉપકાર કરનાર તે પુષ્પ સહિત વૃક્ષ સમાન, ૩. અર્થદાન વગેરેથી મહાનું ઉપકાર તે લ સહિત વૃક્ષ સમાન અને ૪. અનર્થથી રક્ષણ કરનાર તે છાયા સહિત વૃક્ષ સમાન. ૩૧૭ll ભાર પ્રત્યે વહન કરનાર પુરુષને ચાર વિશ્રામ (વીસામા) કહ્યા છે, તે આ પ્રમાણે–૧. જે સમયે એક ખભાથી લઈને બીજા ખભા ઉપર ભાર મૂકે છે તે અવસરે તેને એક વિશ્રામ કહેલ છે, ૨. જે અવસરે ભાર ઉતારીને વડીનીત કે લઘુનીત કરે છે તે અવસરે તેને એક વિશ્રામ કહેલ છે, ૩. જે અવસરે નાગકુમારના આવાસ (દેવલ) માં અથવા સુપર્ણકુમારના મંદિરમાં રાત્રિએ વસે છે તે અવસરે તેને એક વિશ્રામ કહેલ છે અને ૪. જે અવસરે ભાર ઉતારીને પોતાને ઘેર માવજીવ પર્યત રહે છે તે અવસરે તેને એક વિશ્રામ કહેલ છે. એ દૃષ્ટાંતે શ્રમણોપાસકનેસાવઘવ્યાપારરૂપ ભારથી દબાયેલા ચાર વિશ્રામ કહેલા છે. તે પ્રમાણે–૧. જે અવસરે શીલ-સદાચાર, અણવત, ગુણવ્રતનું પાલન અને અનર્થદંડાદિથી નિવર્સનરૂપ વિરમણ, નવકારસી પ્રમુખ પ્રત્યાખ્યાન, પૌષધ સહિત ઉપવાસને ગ્રહણ કરે છે ત્યારે તેને એક વિશ્રામ કહેલ છે, ૨. જે અવસરે સામાયિક અને દેશાવગાસિકને સારી રીતે પાળે છે ત્યારે તેને એક વિશ્રામ કહેલ છે, ૩. જે અવસરે ચૌદશ, આઠમ, અમાવસ્યા અને પૂર્ણિમારૂપ તિથિઓને વિષે પરિપૂર્ણ પૌષધને સારી રીતે પાળે છે ત્યારે તેને એક વિશ્રામ કહેલ છે, ૪. જે અવસરે અપશ્ચિમ (છેલ્લી) મરણાંતિકરૂપ સંખનાને
સ્વીકારીને અને ભક્તપાનનું પ્રત્યાખ્યાન કરીને પાદપ-છેઠેલી વૃક્ષની ડાળની માફક સ્થિર થઈને કાલ (મરણ) ની - વાંછાને નહિં કરતો થકો વિચારે છે ત્યારે તેને એક વિશ્રામ કહેલ છે. ૩૧૪ll. (20) પત્ર-પાંદડાંને પ્રાપ્ત થાય છે તે પત્રો પગ અર્થાત્ ઘણા પત્રવાળો, એમ જ પુષ્પોપગ વગેરે જાણવા. લોકોત્તર અને લૌકિક પુરુષોની પત્રવાળા વગેરે વૃક્ષની સાથે સમાનતા તો ક્રમશઃ જાણવી, તે આ પ્રમાણે–૧. અભિલાષીઓને વિષે તથાવિધ ઉપકાર નહિ કરવા વડે પોતાના સ્વભાવમાં જ સમાપ્ત થવાથી, ૨. સૂત્ર ભણાવવું વગેરેથી ઉપકારક હોવાથી, ૩. સૂત્રના અર્થને આપવા વગેરે વડે મહાનું ઉપકારક હોવાથી અને ૪. જ્ઞાનાદિ કાર્યમાં પ્રવર્તાવવું અને દોષથી બચાવવું વગેરેથી નિરંતર સેવા કરવા યોગ્ય હોવાથી. /૩૧૩ - ભાર-ધાન્ય ભરવાના આધારભૂત (કોઠી વગેરે) ને એક સ્થાનથી બીજા સ્થાન પ્રત્યે વહન કરનાર-લઈ જનાર પુરુષને આશ્વાસો-વિશ્રામો કહેલા છે, તેઓના અવસરના ભેદ વડે વિશ્રામના ભેદો છે. ૧. જે અવસરમાં અંશ—એક સ્કંધથી બીજા સ્કંધ પ્રત્યે ભારને સંહરે છે-લઈ જાય છે તે અવસરમાં, રે' તે વહન કરનારને એક વિશ્રામ કહેલ છે, ૨. અરિષ્ટીપતિ’ ભાર તજી દઈને (એક સ્થાનકે થોડીવાર માટે મૂકીને) મૂત્રપુરુષાદિ ત્યાગ કરે છે તે બીજો વિશ્રામ, ૩. નાગકુમારના આવાસો વગેરે ઉપલક્ષણમાત્ર છે એથી બીજા આયતન (સ્થાન) ને વિષે પણ વાસને પ્રાપ્ત થાય છે અર્થાત્ રાત્રિએ વાસ કરે છે તે ૪. યાવતી_જ્યાં સુધી આ મનુષ્ય અથવા દેવદત્તાદિ છે એમ કથનરૂપ યાવત્ કથા વડે અર્થાત્ યાવજીવ સુધી તે રહે છે-વસે છે તે વિમેવે' ત્યાદિ એમજ દાષ્ટ્રતિક સૂત્ર છે. શ્રમ —સાધુઓની જે સેવા કરે છે તે શ્રમણોપાસક-શ્રાવક તેને (સાવદ્ય
397