SearchBrowseAboutContactDonate
Page Preview
Page 404
Loading...
Download File
Download File
Page Text
________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग १ ४ स्थानकाध्ययने उद्देशः २ नामसत्यादिआजीविकतपःसंयमः ३०८-३१० सूत्राणि વીતરાગ પરમાત્માએ કહેલા છે. (૧૬) बाहल्लपुहत्तेहि, गंडी पोत्थो उ तुल्लओ दीहो । कच्छवि अंते तणुओ, मझे पिहुलो मुणेयव्वो ॥१७०।। જાડાઈ, પહોળાઈ અને લંબાઈ વડે સમાન જે છે તે ગંડી પુસ્તક, બન્ને પડખાના ભાગમાં-છેડામાં ઝીણું, મધ્ય ભાગમાં પહોળું અને જાડાઈમાં થોડું હોય તે કચ્છપી પુસ્તક જાણવું. (૧૭૦) चउरंगुलदीहो वा, वट्टागिति मुट्ठिपोत्थओ अहवा । चउरंगुलदीहो च्चिय, चउरंसो होइ[सो उ] विनेओ ।।११।। ચાર આંગળ લાંબું અથવા વૃત્ત (ગોળાકાર) અથવા ચાર અંગુલ લાંબું અને પહોળું એટલે ચતુષ્કોણ (ચોખૂણાવાળું) તે મુષ્ટિ પુસ્તક. (૧૭૧) संपुडगो दुगमाइफलगा वोच्छं छिवाडि एत्ताहे । तणुपत्तूसियरूवा, होइ छिवाडी बुहा बेंति ।।१७२।। બે ફલક વગેરે જે પુસ્તકમાં હોય તે સંપુટલૂક પુસ્તક. હવે સૃપાટિકાનું સ્વરૂપ જણાવે છે-થોડા પત્ર (કાગળ) વડે કાંઈક ઊંચું હોય છે તેને પંડિતો સપાટિકા (છેદપાટિ) પુસ્તક કહે છે. (૧૭૨) दीहो वा हस्सो वा, जो पिहुलो होइ अप्पबाहल्लो । तं मुणियसमयसारा, छिवाडिपोत्थं भणतीह ॥१७३।। પહોળાઈમાં મોટું હોય કે નાનું હોય પણ જે પુસ્તક જાડાઈમાં થોડું હોય તેને સિદ્ધાંતના સારને જાણનાર પુરુષો છિવાડી. (છેદપાટિ) પુસ્તક કહે છે. (૧૭૩) વસ્ત્રપંચક, અપ્રત્યુપેક્ષિત અને દુષ્પત્યુપેક્ષિતના ભેદથી બે પ્રકારે છે– अप्पडिलेहियदूसे, तूलि उवहाणगं च नायव्वं । गंडुवहाणालिंगिणि, मसूरए चेव पोत्तमए ।।१७४।। જેનું સર્વથા પડિલેહણ ન કરી શકાય તે અપ્રત્યુપેક્ષિત વસ્ત્ર કહેવાય, તે પાંચ પ્રકારનું છે, તે આ પ્રમાણે–૧. ૩ થી અથવા આકડાના તેલ વગેરેથી ભરેલી તળાઈ-શધ્યા વિશેષ, ૨. હંસના રુંવાટા વગેરેથી ભરેલ ઓશીકું, ૩. ઓશીકા ઉપર રાખવાનું ગાલમસુરિયું, ૪. ઢીંચણ તથા કોણીની નીચે રાખવા માટે આલિંગિનિ અને ૫. લુગડામાં અથવા ચામડામાં ચીંથરાં ભરીને મોટું સીવેલું હોય તે ગોળ આસન-ચોકળો. (૧૭૪) , હવે દુત્યુપેક્ષિત-જેનું મુશ્કેલીથી પડિલેહણ કરી શકાય, તે પાંચ પ્રકારે છે, તે આ પ્રમાણે पल्हवि कोयवि पावार, नवतए तह य दाढिगालीओ । दुप्पडिलेहियदूसे, एयं बीयं भवे पणगं ॥१७५।। પલ્લવિ, કુતુપ, પ્રાવરક, નવત્વ અને દેઢગાલી–આ પાંચ પ્રકારના વસ્ત્રો દુપ્રત્યુપ્રેક્ષિત છે. (૧૭૫). पल्हवि हत्थुत्थरणं, तु कोयवो रूयपूरिओ पडओ । दढगालि धोयपोत्ती, सेस पसिद्धा भवे भेया ॥१७६।। ૧. હાથીની પીઠ ઉપર નાખવાનું આસ્તરણ વિશેષ, ઉપલક્ષણથી થોડા રોમથી અથવા ઘણા રોમથી ભરેલ, ઉંટ વગેરેની પીઠ ઉપર રાખવાનું વસ્ત્રવિશેષ તે પલ્હવી, ૨. રૂથી ભરેલું વસ્ત્ર તે કુતુપ, ઉપલક્ષણથી શાલ, દુશાલ અને કંબલ વગેરે, ૩. દશીઓ સહિત બ્રાહ્મણને પહેરવા યોગ્ય અબોટિયારૂપ ધોતિપોતિકા તે દૃઢગાલી. બાકીના બે ભેદ પ્રાવરક અને નવત્વમ્ પ્રસિદ્ધ છે, તે આ પ્રમાણે–૪. પ્રાવરક-રૂંછાળવાળું ઓઢવાનું વસ્ત્ર, તેને કોઈક મોટું કંબલ પણ કહે છે અને પ. નવત્વક્ બહુ જીર્ણ વસ્ત્ર. (૧૭૬) હવે તૃણપંચક કહે છે– तणपणगं पुण भणियं, जिणेहिं कम्मट्टगंठिमहणेहिं । साली वीही कोद्दव, रालग रन्ने तणाई च ॥१७७।। અષ્ટ કર્મરૂપ ગ્રંથિનું મંથન કરનાર જિનેશ્વરોએ પાંચ પ્રકારના તૃણો કહેલા છે, તે આ પ્રમાણે–૧. શાલીકલમશાલી પ્રમુખનો પરાળ, ૨. વ્રીહિ-સાઠી ચોખા વગેરેનો પરાળ, ૩. કોદ્રવાનો પરાળ, ૪. કાંગનો પરાળ અને પ. જંગલનો. શ્યામક વગેરે ઘાસ. (૧૭૭) 392
SR No.005767
Book TitleSthanang Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy