SearchBrowseAboutContactDonate
Page Preview
Page 392
Loading...
Download File
Download File
Page Text
________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग १ ४ स्थानकाध्ययने उद्देशः २ द्वीपद्वाराणि अन्तरद्वीपाः पातालकलशाः घातकीविष्कंभादि ३०३-३०६ सूत्राणि (ટી૦) પૂર્વાદિ ચારે દિશાઓમાં ક્રમશઃ વિજયાદિ દ્વારો છે. દ્વારની બે તરફની શાખનું જે અંતર તે વિષ્મભ–બન્ને શાખની વચ્ચેની પહોળાઈ ચાર યોજનની છે. પ્રવેશ–જગતીના કોટની બારશાખ–બન્ને બાજુની ભીંતની એકેક કોશની જાડાઈ અને આઠ યોજનની ઊંચાઈ છે. કહ્યું છે કે— चउजोयणवित्थिन्ना, अट्ठेव य जोयणाणि उव्विद्धा । उभओ वि कोसकोसं, कुड्डा बाहल्लओ तेसिं ॥१३०|| [ગૃહક્ષેત્ર ૧૭ ત્તિ] જગતીના દ્વાર ચાર યોજન પહોળા અને આઠ યોજન ઊંચા છે. દ્વા૨ની બન્ને ભીંતોનો ભાગ એક-એક ગાઉ પહોળો છે.(૧૩૦) पलिओवमट्ठिईया, सुरगणपरिवारिया सदेवीया । एएसु दारनामा, वसंति देवा महिड्डिया || १३१ ।। [बृहत्क्षेत्र० १९ त्ति ] આ ચાર દ્વા૨ોમાં દ્વારના નામવાળા, એક પલ્યોપમની સ્થિતિવાળા, ઘણા દેવોના પરિવારવાળા અને દેવીઓ સહિત મહર્દિક દેવો વસે છે. (૧૩૧) 'વ્રૂહિમવંતસ્સ' ત્તિ॰ મહાહિમવાનની અપેક્ષાએ નાનો હિમવાન, પૂર્વ અને પશ્ચિમના ભાગને વિષે તેની દરેકની બે બે શાખા છે માટે કહે છે—'વસુ વિવિસાસુ' ઈશાનકોણ વગેરે વિદિશાઓમાં લવણસમુદ્રને ત્રણ સો ત્રણ સો યોજન ઉલ્લંઘીને1 જે શાખા (દાઢા) રૂપ વિભાગો વર્તે છે 'થૅ'ત્તિ॰ આ શાખાવિભાગોને વિષે અંતરે–સમુદ્રના મધ્યમાં દ્વીપો અથવા અંતર–પરસ્પર વિભાગપ્રધાન દ્વીપો તે અંતરદ્વીપો. તેમાં ઈશાનકોણમાં એકોરુક નામનો દ્વીપ ત્રણ સો યોજનનો લાંબો અને પહોળો છે. એમ જ અગ્નિકોણમાં આભાષિક, નૈૠતકોણમાં વૈષાણિક અને વાયવ્યકોણમાં લાંગૂલિક દ્વીપ છે. સમુદાયની અપેક્ષાએ ચાર છે, પરંતુ એક એક વિભાગમાં ચાર ચાર નથી. અતઃ ક્રમ વડે દ્વીપો યોજવા યોગ્ય છે. દ્વીપના નામથી પુરુષોના નામો છે. તે પુરુષો તો સર્વ અંગોપાંગ વડે સુંદર અને જોવામાં સ્વરૂપથી મનોહર છે, પરંતુ એકોરુક વગેરે નથી અર્થાત્ એક ઉરુવાળા વગેરે નથી. આ દ્વીપોથી જ ચારસો યોજન ઉલ્લંઘીને પ્રત્યેક વિદિશાએ ચારસો યોજનના લાંબા પહોળા ચાર દ્વીપો છે. એમ જ જે દ્વીપોનું (બીજા ચાર દ્વીપોનું) જેટલું અંતર છે તેટલું તેઓનું લંબાઈ–પહોળાઈનું પ્રમાણ છે. યાવત્ ચારે દિશાઓના સાતમા અંતરદ્વીપોનું નવ સો યોજન અંતર છે, અને તેટલું જ તેઓનું લંબાઈ–પહોળાઈનું પ્રમાણ છે. બધા મળીને અંતરદ્વીપો અઠ્યાવીશ છે. આ દ્વીપોના મનુષ્યો જોડલે જન્મે છે. પલ્યોપમના અસંખ્યાત ભાગવિશિષ્ટ આયુષ્યવાળા અને આઠ સો ધનુષ્યના ઊંચા શરીરવાળા છે. ઐરવત ક્ષેત્રનો વિભાગ કરનાર શિખરી નામના પર્વતના પણ એમ જ ઈશાનકોણ વગેરે વિદિશાઓમાં ક્રમ વડે એ જ પૂર્વોક્ત નામવાળા અઠ્યાવીશ અંતરદ્વીપો છે. અંતદ્વીપના પ્રકરણ માટે સંગ્રહગાથાઓ જણાવે છે— चुल्लहिमवंत पुव्वावरेण विदिसासु सागरं तिसए। गंतूणंतरदीवा, तिन्नि सए होंति वित्थिन्ना ।।१३२।। [ગૃહક્ષેત્ર॰ રાષ ત્તિ] ક્ષુલ્લ હિમવંત પર્વતની પૂર્વ દિશાથી અને પશ્ચિમ દિશાથી વિદિશામાં ત્રણસો યોજન જઈએ ત્યાં ત્રણસો યોજન વિસ્તારવાળા અંતરદ્વીપો છે. (૧૩૨) अउणावन्न नवसए, किंचूणे परिहि तेसिमे नामा । एगूरुग आभासिय, वेसाणी चेव लंगूली (नंगली ) ॥१३३॥ [ગૃહક્ષેત્ર૦ ૨૫૬ ત્તિ] આ અંતરદ્વીપોની પરિધિ નવ સો ને ઓગણપચ્ચાસ યોજન કિંચિત્ ન્યૂન અને એકોરુક, આભાષિક, વૈષાણિક અને લાંગૂલિક નામના છે. (૧૩૩) 1. 'અવાઘ' આ પદનું દ્વિકર્મકત્વ હોવાથી કર્મમાં સક્ષમીના અર્થમાં દ્વિતીયા છે. અહિં દ્વિકર્મક ધાતુગણમાં જો કે 'ગાદુ' ધાતુ નથી પરંતુ દ્વિકર્મક ગણ પતિ ધાતુના અર્થના નિબંધનથી દ્વિકર્મક છે. આ ચિહ્નવાળો પાઠ બાબુવાળી પ્રતિમાં છે. 380
SR No.005767
Book TitleSthanang Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy