SearchBrowseAboutContactDonate
Page Preview
Page 391
Loading...
Download File
Download File
Page Text
________________ १४ स्थानका ध्ययने उद्देशः २ द्वीपद्वाराणि अन्तरद्वीपाः पातालकलशाः घातकीविष्कंभादि ३०३ - ३०६ सूत्राणि श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग १ જઈને ત્યાં ચાર અંતરદ્વીપો છે, તે આ પ્રમાણે—અશ્વમુખદ્વીપ, હસ્તિમુખદ્વીપ, સિંહમુદ્રીપ અને વ્યાઘ્ર (વાઘ) મુખદ્વીપ. તે દ્વીપોને વિષે ચાર પ્રકારના મનુષ્યો દ્વીપના નામ પ્રમાણે કહેવા. તે દ્વીપોથી આગળ ચારે વિદિશાઓને વિષે લવણસમુદ્રમાં સાત સો સાત સો યોજન અંદર જઈએ ત્યાં ચાર અંતરદ્વીપો કહેલા છે, તે આ પ્રમાણે— અશ્વકર્ણદ્વીપ, હસ્તિકર્ણદ્વીપ, અકર્ણદ્વીપ અને કર્ણપ્રાવરણદ્વીપ. તે દ્વીપોને વિષે તે દ્વીપોના નામ પ્રમાણે મનુષ્યો કહેવા. તે દ્વીપોથી આગળ ચારે વિદિશાઓને વિષે લવણસમુદ્રમાં આઠ સો આઠ સો યોજન અંદર જઈએ ત્યાં ચાર અંતરદ્વીપો કહેલા છે, તે આ પ્રમાણે—ઉલ્કામુખદ્વીપ, મેઘમુખદ્વીપ, વિદ્યુત્સુખદ્વીપ અને વિદ્યુતદ્વીપ, તે દ્વીપોને વિષે તે.દ્વીપોના નામ પ્રમાણે મનુષ્યો કહેવા. તે દ્વીપોથી આગળ ચારે વિદિશાઓને વિષે લવણસમુદ્રમાં નવ સો નવ સો યોજન અંદર જઈએ ત્યાં ચાર અંતરદ્વીપો કહેલા છે, તે આ પ્રમાણે—ઘનદંતદ્વીપ, લષ્ટદંતદ્વીપ, ગૂઢદંતદ્વીપ અને શુદ્ધદંતદ્વીપ. તે દ્વીપોને વિષે ચાર પ્રકારના મનુષ્યો વસે છે, તે આ પ્રમાણે—નદંતો, લષ્ટદંતો, ગૂઢદંતો અને શુદ્ધદંતો. જંબુદ્રીપ નામના દ્વીપમાં મેરુપર્વતની ઉત્તર દિશાએ શિખરી નામના વર્ષધર પર્વતની ચારે વિદિશાઓને વિષે લવણસમુદ્રમાં ત્રણ સો ત્રણ સો યોજન અંદર જઈએ ત્યાં અંતરદ્વીપો કહેલા છે, તે આ પ્રમાણે—એકોરુકદ્વીપ, બાકી બધું તેમજ કહેવું યાવત્ શુદ્ધદંત નામના મનુષ્યો વસે છે અર્થાત્ પેલાના અઠ્યાવીશ અંતરદ્વીપોના નામો કહ્યા તે જ નામો અને વર્ણન પણ તે પ્રમાણે જ જાણવું. ૩૦૪॥ જંબૂદ્રીપ નામના દ્વીપની બહારની વેદિકાના અંતથી ચારે દિશાઓને વિષે લવણસમુદ્રમાં પંચાણું હજાર યોજન ઉલ્લંઘીને જઈએ ત્યાં અત્યંત મોટા અલંજર–ઉદકના કુંભ જેવા આકાર વડે રહેલા ચાર મહાપાતાલલશો કહેલા છે, તે આ પ્રમાણે—પૂર્વ દિશામાં વડવામુખ, દક્ષિણ દિશામાં કેતુક, પશ્ચિમ દિશામાં ચૂપક અને ઉત્તર દિશામાં ઈશ્વર છે. ત્યાં મહર્ષિક યાવત્ પલ્યોપમની સ્થિતિવાળા ચાર દેવો વસે છે, તે આ પ્રમાણે—કાલ, મહાકાલ, વેલંબ અને પ્રભંજન. જંબૂદ્રીપ નામના દ્વીપની બહારની વેદિકાના અંતથી ચારે દિશાઓને વિષે લવણસમુદ્રમાં બેંતાલીશ બેંતાલીશ હજાર યોજન ઉલ્લંઘીને જઈએ ત્યાં ચાર વેલંધર—સમુદ્રની વેલ (શિખા) ને ધરનારા નાગકુમાર જાતીય પ્રધાન દેવોના ચાર આવાસપર્વતો કહેલા છે, તે આ પ્રમાણે—ગોસ્તૂપ, ઉદકભાસ, શંખ અને ઉદકસીમ. ત્યાં ચાર દેવો મહર્ષિક યાવત્ પલ્યોપમની સ્થિતિવાળા વસે છે, તે આ પ્રમાણે—ગોસ્તૂપ, શિવક, શંખ અને મનઃશિલ, જંબૂદ્વીપ નામના દ્વીપની બહારની વેદિકાના અંતથી ઈશાનાદિ ચારે વિદિશાઓને વિષે લવણસમુદ્રમાં બેંતાલીશ બેંતાલીશ હજાર યોજન ઉલ્લંઘીને જઈએ ત્યાં ચાર અનુવેલંધર નાગકુમાર દેવોના આવાસપર્વતો છે, તે આ પ્રમાણે—કર્કોટક, વિદ્યુત્પ્રભ, કૈલાસ અને અરુણપ્રભ. ત્યાં ચાર મહર્ષિક દેવો યાવત્ પલ્યોપમની સ્થિતિવાળા વસે છે, તે આ પ્રમાણે-કર્કોટક, કમ્, કૈલાસ અને અરુણપ્રભ. લવણસમુદ્રને વિષે ચાર ચંદ્રો ભૂતકાલે પ્રકાશ્યા, વર્તમાનમાં પ્રકાશે છે અને ભવિષ્યમાં પ્રકાશ કરશે. ચાર સૂર્યો તપ્યા છે, તપે છે અને તપશે. કૃતિકા નક્ષત્રો ચાર છે યાવત્ અઠ્યાવીશમો નક્ષત્ર ભરણી પર્યંત દરેક ચાર ચાર નક્ષત્રો છે. કૃતિકા નક્ષત્રનો દેવ અગ્નિ છે યાવત્ ભરણી નક્ષત્રનો દેવ યમ છે. એમ દરેક નક્ષત્રના ચાર ચાર દેવો છે. ચાર અંગારક (મંગલ) ગ્રહો છે યાવત્ ચાર ભવકેતુ છે અર્થાત્ અઠ્યાસી ગ્રહો દરેક ચાર ચાર છે. લવણસમુદ્રના ચાર દરવાજા કહેલા છે, તે આ પ્રમાણે—વિજય, વૈજયંત, જયંત અને અપરાજિત. તે દરવાજાઓ ચાર યોજન પહોળાઈ વડે અને ચાર યોજન પ્રવેશ વડે છે. ત્યાં ચાર મહર્ષિંક દેવો યાવત્ પલ્યોપમના સ્થિતિવાળા વસે છે, તે આ પ્રમાણે વિજય, વૈજયંત, જયંત અને અપરાજિત. ૩૦૫/ ધાતકીખંડદ્વીપ, ચક્રવાલ વિધ્યુંભ (ગોળાઈના વિસ્તાર) વડે ચાર લાખ યોજનનો કહેલો છે. જંબુદ્રીપ નામના દ્વીપની બહાર ચાર ભરત અને ચાર ઐરવત ક્ષેત્રો છે. એવી રીતે જેમ શબ્દોદેશક બીજા સ્થાનકના ત્રીજા ઉદ્દેશકમાં કહ્યું છે તેમ અહિં પણ બધું વર્ણન કહેવું યાવત્ ચાર મેરુપર્વતની ચાર ચૂલિકા છે. I૩૦૬॥ 379
SR No.005767
Book TitleSthanang Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy