SearchBrowseAboutContactDonate
Page Preview
Page 387
Loading...
Download File
Download File
Page Text
________________ ४ स्थानकाध्ययने उद्देशः २ मानुषोत्तरकूटाः दुष्षमसुषमावर्षादि ३००-३०२ सूत्राणि श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग १ વાયુકુમારેદ્રનું રત્નસંચયફૂટ, અપરના પ્રભંજન છે. એવી રીતે આ વ્યાખ્યા દ્વીપસાગરપ્રજ્ઞપ્તિ સૂત્રની સંગ્રહણી અનુસાર જણાવેલ છે. તેમાં કહ્યું છે કેदक्षिणपुव्वेण रयणकूडं गरुलस्स वेणुदेवस्स । सव्वरयणं च पुव्वुत्तरेण तं वेणुदालिस्स ॥११७।। દ્વિીપસાર ૨૬ ]િ. દક્ષિણ પૂર્વની વચમાં રત્નકૂટ અને ત્યાં ગરુડ જાતિના વેણુદેવનું નિવાસસ્થાન છે. અને પૂર્વ ઉત્તરની વચમાં સર્વરત્નકૂટ છે અને ત્યાં વેણદાલી દેવનું નિવાસસ્થાન છે. (૧૧૭) रयणस्स अवरपासे, तिन्नि वि समइच्छिऊण कूडाई । कूडं वेलंबस्स उ, विलंबसुहयं सया होइ ॥११८॥ [द्वीपसागर प्र० १७ त्ति] રત્નકૂટના પશ્ચિમ ભાગમાં દક્ષિણ દિશામાં રહેલા ત્રણ કૂટોને ઉલ્લંઘીને વેલંબ નામના દક્ષિણ દિશાના સ્વામી વાયુકુમારેંદ્રનું વલંબસુખદ નામનું કૂટ છે, ત્યાં તેની રાજધાની છે. (૧૧૮) सव्वरयणस्स अवरेण, तिनि समइच्छिऊण कूडाई । कूडं पमंजणस्स उ, पमंजणं आढियं होइ ।।११९।। દ્વિીપના પ૦ ૨૮ ત્તિ સર્વરત્નકૂટના પશ્ચિમ ભાગ વડે ઉત્તર દિશાના ત્રણ કૂટોને ઉલ્લંઘીને ઉત્તર દિશાના સ્વામી પ્રભંજન નામના વાયુકુમારેંદ્રનું પ્રભંજન નામનું કૂટ ઋદ્ધિવાળું છે, ત્યાં તેની રાજધાની છે. (૧૧) અહિં ચાર સ્થાનના અનુરોધથી માત્ર ચાર ફૂટો કહેલા છે, નહિંતર બીજા પણ બાર કૂટો છે. પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તર દિશામાં ત્રણ ત્રણ કૂટો છે અને તે બારે ફૂટો એકેક દેવ વડે અધિષ્ઠિત છે. કહ્યું છે કેपुव्वेण तिन्नि कूडा, दाहिणओ तिन्नि तिन्नि अवरेणं । उत्तरओ तिन्नि भवे, चउद्दिसिं माणुसनगस्स ।।१२०।। કિપસારy૦૬ 7િ]. માનુષોત્તર પર્વતની ચારે દિશામાં-પૂર્વ દિશામાં તીન, દક્ષિણ દિશામાં તીન અવર એટલે પશ્ચિમ દિશામાં તન અને ઉત્તર દિશામાં તીન એમ બાર ફૂટ બાર દેવોથી અધિક્તિ છે. (૧૨૦) II300 અનંતર માનુષોત્તર પર્વતમાં શિખરરૂપદ્રવ્યો કહ્યા, હવે તેના વડે અવરાયેલા ક્ષેત્રરૂપ દ્રવ્યોનું ચતુઃસ્થાનકના અવતારને નવુદ્દીત્યાદિના' અંબૂદ્વીપમાં ભરત એરવત ક્ષેત્રને વિષે ઇત્યાદિથી આરંભીને 'વત્તરિ મંડરવૂતિયાગો (ધાતકીખંડના બે અને પુષ્કરદ્વીપના બે મળી કુલ ચાર) મેરુપર્વત ઉપર ચાર ચૂલિકાઓ છે તે અંત્ય (છેવટના) ગ્રંથ વડે કહે છે. આ વર્ણન સ્પષ્ટ છે. વિશેષ એ કે-ચિત્રકૂટ વગેરે સોળ વક્ષસ્કાર પર્વતોનું સ્વરૂપ આ પ્રમાણે છે– पंचसए बाणउए, सोलस य सहस्स दो कलाओ य । विजया १ वक्खारं २ तरनईण ३ तह वणमुहायामो ॥१२१।। હિક્ષેત્ર ૬૪ ]િ ૧. વિજયો, ૨. વક્ષસ્કાર પર્વતો, ૩. અંતરનદીઓ અને ૪. સીતા તથા સીતોદા નદીના બન્ને પડખે રહેલા વનમુખોનો આયામ (લંબાઈ) સોળ હજાર પાંચસો બાણ યોજના અને બે કલા ૧૬૫૯૨ છે. (૧૨૧) जत्तो वासहरगिरी, तत्तो जोयणसयं समवगाढा । चत्तारि जोयणसए, उव्विद्धा सव्वरयणमया ॥१२२॥ जत्तो पुण सलिलाओ, तत्तो पंचसयगाउउव्वेहो । पंचेव जोयणसए, उव्विद्धा आसखंधणिमा ॥१२३।। વૃિદોર૦ રૂ૭૧-૭૨ ]િ બધા વક્ષસ્કાર પર્વતો રત્નમય છે અને તે જે દિશાએ નિષધ અને નીલવંત નામના વર્ષધર પર્વત છે તે દિશાએ તેની પાસે એક સો યોજન ભૂમિમાં ઊંડા અને ચાર સો યોજન ઊંચા છે. ત્યાંથી માત્રા વડે વૃદ્ધિ પામતા જે દિશાએ સીતા અને સીતાદા નદી છે તે દિશાએ તેની પાસે પાંચ સો ગાઉ (સવાસો યોજન) ભૂમિમાં ઊંડા અને પાંચ સો યોજન ઊંચા છે. આ - 375 -
SR No.005767
Book TitleSthanang Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy