________________
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग १
४ स्थानकाध्ययने उद्देशः २ एक- कति सर्वशब्दस्वरूपम् २९७-२९९ सूत्राणि (મૂ0) ચાર, એક સંખ્યાવાળા કહેલા છે, તે આ પ્રમાણે—દ્રવ્ય એક, તે સચિત્તાદિ ત્રણ ભેદે છે. ઉત્પાદાદિ પદરૂપ માતૃકાપદ એક છે, પર્યાય એક તે વર્ણાદિને આશ્રયીને છે અને સમુદાયને આશ્રયીને એક વચનરૂપ સંગ્રહ એક છે. ।।૨૯૭॥ ચાર પ્રકારે કતી–કેટલા? એમ પ્રશ્નગર્ભિત સંખ્યાવાચી કહેલા છે, તે આ પ્રમાણે—૧. દ્રવ્ય કેટલા છે? ૨. માતૃકાપદ કેટલા છે? ૩. પર્યાય કેટલા છે? અને ૪. સંગ્રહતી–શાલી કેટલા છે? ઇત્યાદિ. ।।૨૮।।
ચાર સર્વપદ કહેલા છે, તે આ પ્રમાણે—૧. જે વસ્તુનું ‘સર્વ’ એવું નામ હોય તે નામસર્વ, ૨. આ ‘સર્વ’ છે એમ કલ્પના કરીને અક્ષ વગેરે દ્રવ્યને સ્થાપવું તે સ્થાપનાસર્વ, ૩. અધિક વસ્તુને વિષે અથવા મુખ્ય વસ્તુને વિષે ‘સર્વ’ નો વ્યવહાર કરવો તે આદેશસર્વ અને ૪. સમસ્તપણાએ જે કથન કરવું અર્થાત્ કોઈ પણ બાકી ન રહે, જેમ સર્વ દેવો અનિમેષ છે એમ કહેવું તે નિરવશેષસર્વ. ૨૯૯॥
(ટી૦) સ્વાર્થિક '' પ્રત્યયનું ગ્રહણ કરવાથી એક સંખ્યાવાળા દ્રવ્ય વગેરે એકૈક કહેવાય છે, તેમાં દ્રવ્ય જ એક તે દ્રવ્ય એક સચિત્ત વગે૨ે ભેદથી ત્રણ1 પ્રકારે છે. 'માઽપ' ત્તિ॰ માતૃકાપદ એક એટલે એક માતૃકાપદ, તે આ પ્રમાણે—'બન્ને રૂ વા' ઇત્યાદિ, અહિં દૃષ્ટિવાદરૂપ પ્રવચનને વિષે સમસ્ત નયના વાદને વિષે બીજભૂત માતૃકાપદો હોય છે, તે આ પ્રમાણે''૩૫ન્ને રૂ વા વિગમેન્ ફ્ વા ધ્રુવે રૂ વા ।'' અથવા ‘આ’ માતૃકાપદોની જેમ અ, આ વગેરે અક્ષરો, સમગ્ર શબ્દશાસ્ત્રના અર્થના વ્યાપાર વડે વ્યાપક હોવાથી માતૃકાપદો છે. પર્યાય એકૈંક તે એકપર્યાય. પર્યાય, વિશેષ અને ધર્મ આ શબ્દો એકાર્થવાચક છે. તે અનાદિષ્ટ–સામાન્યથી વર્ણાદિ અને આદિષ્ટ-વિશેષથી કૃષ્ણાદિ. સંગ્રહ એકૈક તે શાલિ. ભાવાર્થ આ પ્રમાણે જાણવોસંગ્રહ–સમુદાયને આશ્રયીને જેમ એકવચનપૂર્વક શબ્દની પ્રવૃત્તિ હોય છે તેમ એક પણ શાલિ (ચોખા) નો કણ શાલિ કહેવાય છે અને ઘણા શાલિના દાણા પણ શાલિ કહેવાય છે, કેમ કે લોકમાં તેમ જોવાય છે. 'વિષે ' ક્યાંક આ પાઠ છે ત્યાં વિષયભૂત દ્રવ્યને વિષે એકૈક ઇત્યાદિ વ્યાખ્યાન કરવું. ૨૯૭॥
'તીતિ’—કેટલા? અર્થાત્ પ્રશ્નપૂર્વક અચોક્કસની જેમ સંખ્યાવાચક બહુવચનાંત છે તેમાં દ્રવ્યો કેટલા? તે દ્રવ્ય કતિ અર્થાત્ કેટલા દ્રવ્યો છે? અથવા દ્રવ્યના વિષયવાળો 'રુતિ' શબ્દ તે દ્રવ્યકતિ, એમ જ માતૃકાપદ વગેરેને વિષે પણ જાણવું. વિશેષ એ કે–સંગ્રહ-શાલિ, યવ અને ઘઉં વગેરે. ૨૯૮॥
નામરૂપ જે કૈસર્વ તે નામસર્વ અથવા સચિત્ત વગેરે વસ્તુનો °સર્વ એવું જે નામ તે નામસર્વ અથવા નામ વડે સર્વ અથવા સર્વ એવું નામ છે જેનું એવા સમાસથી નામ શબ્દનો પૂર્વ નિપાત કરેલ છે અર્થાત્ સર્વનામને બદલે નામ સર્વ કહેલ છે. તથા સ્થાપનયા—આ સર્વ છે એવી કલ્પના વડે અક્ષ વગેરે દ્રવ્ય સર્વ તે સ્થાપનાસંર્વ છે. અથવા સ્થાપના જ અક્ષાદિ દ્રવ્યરૂપ સર્વ તે સ્થાપનાસર્વ છે. આવેશનમાવેશઃ—ઉપચારરૂપ વ્યવહાર તે અતિ ઘણી વસ્તુના વિભાગમાં અથવા મુખ્ય દેશવિભાગમાં પણ આદેશ-ઉપચાર કરાય છે. દા. ત. વિવક્ષિત (અમુક પ્રમાણવાળું) ધૃતને જોઈને ઘણું ખાધે છતે અને થોડું શેષ હોતે છતે પણ બધું ધૃત ખાધું એમ ઉપચાર કરાય છે. મુખ્યમાં પણ તેવો ઉપચાર કરાય છે. દા. ત. ગામના મુખ્ય માણસો બહારગામ ગયે છતે બધા ગામ ગયા એમ કહેવાય છે. આ કારણથી આદેશથી સર્વ તે આદેશસર્વ અર્થાત્ ઉપચારસર્વ છે. નિરવશેષપણાએ સમસ્ત વ્યક્તિના આશ્રય વડે જે સર્વ તે નિરવશેષસર્વ. દા. ત. સર્વ દેવો અનિમેષ છે–મટકું મારતા નથી. કોઈ પણ દેવ એવા નથી કે જે મટકું મારે. આ સૂત્રમાં સર્વત્ર ‘ક’ કાર સ્વાર્થમાં થયેલ છે. II૨૯૯
હમણાં જ સર્વ શબ્દની પ્રરૂપણા કરી તેના પ્રસ્તાવથી સર્વ મનુષ્યક્ષેત્ર પર્યંત રહેનાર પર્વતની બધી તિરછી દિશાઓમાં ફૂટશિખરોને કહે છે—
1. સચિત્તાદિ ભેદથી દ્રવ્ય ત્રણ પ્રકારે છતાં પણ દ્રવ્યત્વરૂપે એક જ કહેવાય છે. અર્થાત્ સચિત્ત દ્રવ્ય કહેવાય છે પરંતુ સચિત્ત દ્રવ્યો એમ ” બહુવચન વડે કહેવાતા નથી એમ દીપિકાકાર કહે છે.
2. સર્વ શબ્દનો અક્ષર ઉચ્ચાર કરવારૂપ, 3. વ્યક્તિની અપેક્ષાએ જેમ કોઈ પુરુષનું સર્વ એવું નામ હોય તેને સર્વ શબ્દથી બોલાય છે.
372