________________
४ स्थानकाध्ययने उद्देशः २ एक-कति सर्वशब्दस्वरूपम् २९७ - २९९ सूत्राणि
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग १ તેમાં પ્રકૃતિનો સંક્રમ, સામાન્ય લક્ષણથી જ જાણવા યોગ્ય છે. મૂલપ્રકૃતિની અથવા ઉત્તરપ્રકૃતિની સ્થિતિનું જે ઉત્કર્ષણવૃદ્ધિ અથવા અપકર્ષણ એટલે હાનિ અથવા બીજી પ્રકૃતિની સ્થિતિમાં લઈ જવું એમ ત્રણ પ્રકારે સ્થિતિસંક્રમ છે. કહ્યું છે કે—
ठितिसंकमो त्ति वुच्चइ, मूलुत्तरपगतीओ उ जा हि ठिती ।
उव्वट्टिया व ओवट्टिया व, पगई[ई]णिया वऽन्नं ।। ११५ ।।
[ર્મ પ્ર૦ ૨૮ fi]
મૂલ ઉત્તર પ્રકૃતિઓની સ્થિતિને ઉત્કર્ષણ અને અપકર્ષણ દ્વારા બીજી પ્રકૃતિની સ્થિતિમાં લઈ જવું તેને સ્થિતિસંક્રમ કહે છે. (૧૧૫)
અનુભાગ રસનો સંક્રમ પણ એમ જ–સ્થિતિસંક્રમની જેમ છે. કહ્યું છે કે
तत्थट्ठपयं उव्वट्टिया व ओवट्टिया व अविभागा । अणुभागसंकमो एस, अन्नपगई णिया वावि ॥ ११६ ॥
[कर्म ०२४६]
અનુભાગનું સંક્રમના સ્વરૂપનું નિર્ધારણ કહે છે–અનુભાગો-ઉદ્ધત્તન કરાયેલા રસના અંશો અર્થાત્ થોડા રસવાલાને ઘણા રસવાલા કરાયેલા, અપવર્તન કરાયેલા-ઘણા રસવાલાને થોડા રસવાલા કરાયેલા, અથવા બીજી પ્રકૃતિમાં રસના અંશોને લઈ જઈ તદ્રુપે કરાયેલા, એમ ત્રણ પ્રકારે અનુભાગસંક્રમ છે. (૧૧૬)
જે કર્મદ્રવ્ય (દલીઆ) અન્ય પ્રકૃતિના સ્વભાવ વડે પરિણમન કરાય છે અર્થાત્ ત ્રૂપ કરાય છે તે પ્રદેશસંક્રમ છે. કહ્યું છે કે—''નું વલિયમન્નપારૂં, પિપ્નદ્ સો સંક્રમો પસલ્સ'' [ર્ન પ્ર૦ ૨ા૬૦ ત્તિ] ઉક્તાર્થ છે. નિપાતથી ભાવમાં કે કર્મમાં 'જ્ઞ' પ્રત્યય કીધે છતે નિધત્ત પદનું નિધાન અને નિહિત એવું રૂપ થાય છે. ઉર્દૂન અને અપવર્તનરૂપ બે કરણ સિવાય શેષ બે (ઉદીરણાદિ) કરણોના અયોગ્યપણે કર્મનું સ્થાપવું અર્થાત્ ઉદીરણાદિ થઈ શકે નહિં તે નિધત્ત કહેવાય છે. નિ—અત્યંત ાવન-બાંધવું તે નિકાચિત અર્થાત્ બધાય કરણના અયોગ્યપણાએ સ્થાપવું તે નિકાચિત કર્મ કહેવાય છે. બન્નેના સમર્થનરૂપે કહ્યું છે કે—''સંમપિ નિહન્નીğ, જાસ્થિ એસાળિ [વૃત્તિ] વૃત્તિ ચરÇ''[ર્મપ્ર૦ ૬ાર્ ત્ત] નિધત્તપણામાં સંક્રમણ અને ઉદીરણાદિકરણ પ્રવર્તતા નથી પરંતુ ઉદ્યત્તન અને અપવર્તનકરણ હોય છે, પરન્તુ નિકાચિતમાં કોઈ પણ કરણ હોતું નથી. અથવા પૂર્વે બાંધેલ કર્મને અગ્નિ વડે તપાવવાથી મળેલી લોહની શલાકા (શળી) ના સંબંધની જેમ નિધત્ત છે અને તપાવવાથી મળેલી અને ઘણથી ફૂટેલી લોહની શલાકાના સંબંધના જેવું જે કર્મ તે નિકાચિત છે અર્થાત્ નિકાચિત કર્મ ભોગવ્યા સિવાય છૂટી શકતું નથી. નિધત્ત અને નિકાચિતને વિષે પ્રકૃતિ, સ્થિતિ વગેરેનું વિશેષ સ્વરૂપ, સામાન્ય લક્ષણને અનુસારે જાણવું. વિશેષથી બંધનાદિ સ્વરૂપના જિજ્ઞાસુએ કર્મપ્રકૃતિ ગ્રંથ (કમ્મપયડી) ની સંગ્રહણી અનુસરણ કરવા યોગ્ય છે અર્થાત્ તે વાંચવી. ૨૯૬॥
અહિં હમણાં જ અલ્પબહુત્વ કહ્યું, તેમાં અત્યંત અલ્પ, એક છે શેષ તે અપેક્ષાએ બહુ છે. આવી રીતે અલ્પબહુત્વને કહેનાર એક, કતિ, સર્વ, રૂપ શબ્દોને ચોથા સ્થાનમાં અવતારતા થકા 'વૃત્ત' રૂત્યાર્િ॰ ત્રણ સૂત્રોને કહે છે— ચત્તરિ પધા પદ્મત્તા, તંના-વિયાય, માયા, પદ્મને, સંદેર્ । [વિ તે માનપ્ તે पज्जवे एक्कते संग एक्कते ] ।। सू० २९७ ।।
વત્તાર વતી પન્નુત્તા, તંનહા-વિતતી, માઙવતી, પદ્મવતી,સાહતી । સૂ॰ ૨૬૮।।
પત્તાર સવ્વા પન્નત્તા, તંનહા-નામતબ્બતે, વાતબ્બતે, બાવેતતબ્બતે, નિરવણેસબતે । સૂ॰ ૨૧૧/
1. તવસા નિષ્ઠાવંવિ—તીવ્ર તપ વડે નિકાચિતકર્મની પણ સ્થિતિરસની હાનિ પ્રાયઃ થાય છે, એમ અન્યત્ર કહેલ છે. કયાંક નિકાચિતના પણ બે ભેદ વાંચવામાં આવેલ છે. - સંપાદક
371