________________
४ स्थानकाध्ययने उद्देशः २ प्रकृतिबन्धादि २९६ सूत्रम्
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग १ જ મોદકનોસ્નિગ્ધ, મધુર વગેરે એકગુણ, દ્વિગુણાદિ ભાવ વડે રસ હોય છે તેમ જ કર્મનો પણ દેશઘાતિ, સર્વ ઘાતિ, શુભઅશુભ અને તીવ્ર-મંદાદિ અનુભાગબંધ હોય છે તથા જેમ તે જ મોદકને લોટ વગેરે દ્રવ્યોનું પરિણામપણું છે એવી રીતે કર્મના પુદગલોનું પણ ચોક્કસ પ્રમાણરૂપ પ્રદેશબંધપણું છે. જેના વડે કરાય છે તે ઉપક્રમ-બંધનપણું, ઉદીરણપણું વગેરેથી કર્મના પરિણમવાના હેતુભૂત જીવની શક્તિ વિશેષરૂપ. અન્ય સ્થલે ‘ઉપક્રમ” એ કરણ શબ્દથી રૂઢ થયેલ છે અથવા ઉપક્રમણ-બંધન વગેરેનો આરંભ તે ઉપક્રમ. કહ્યું છે કે–ામ ૩૫%મ'. તત્ર બંધન-કર્મપુદગલોના અને જીવના પ્રદેશોના પરસ્પર સંબંધરૂપ છે. આ સંબંધ, સૂત્રમાત્રથી બાંધેલ લોહની શલાકા (શલી)ના સંબંધરૂપ ઉપમાવાળું જાણવું. તેનો જે ઉક્તાર્થરૂપ ઉપાય તે બંધનોપક્રમ. અથવા ભિન્ન ભિન્ન અવસ્થામાં રહેલ કર્મ (કાર્ય)નું બંધનરૂપ કરવું તે જ ઉપક્રમ અર્થાત્ વસ્તુના સંસ્કારરૂપ બંધનોપક્રમ; કેમ કે વસ્તુના સંસ્કાર અને વિનાશરૂપ ઉપક્રમ પણ કહેલ છે, એમ જ બીજા ઉપક્રમ સંબંધી જાણવું. વિશેષ એ કે-કર્મના લોનો કાળ નહિં પ્રાપ્ત થયા છતાં તેિને] ઉદયમાં લાવવો તે ઉદીરણા કહેવાય છે. કહ્યું છે કેजं करणेणोकड्डिय, उदए दिज्जइ उदीरणा एसा । पगइ-ठिति-अणुभाग-प्पएस-मूलुत्तरविभागा ॥११३।।
વિર્ય પ્રસાત્તિ] યોગસંજ્ઞક વીર્ય વડે કષાય સહિત અથવા કષાય રહિત જીવ, જે પરમાણુઓવાળું દલિક, ઉદયાવલિકાની ઉપરની સ્થિતિથી આકર્ષીને, ઉદયાવલિકામાં પ્રવેશ કરાવે તે ઉદીરણા કહેવાય છે. તે પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ અને પ્રદેશ એમ ચાર પ્રકારે છે. વળી તે પ્રત્યેક મૂળ અને ઉત્તરભેદના વિભાગવાળા છે. (૧૧૩)
- તથા ઉદય, ઉદીરણાકરણ, નિધત્તકરણ અને નિકાચનાકરણના અયોગ્યપણાએ કર્મનું અવસ્થાપન તે ઉપશમના કહેવાય. કહ્યું છે કે—''વંવદૃ-મોવટ્ટ", સંમડુિં વ તિત્રિ વરVIછું' [વર્ષ બાદ ]િ ઉદ્વર્તન (સ્થિતિ અને રસની વૃદ્ધિ કરવારૂપ), અપવર્તન (સ્થિતિ અને રસની હાનિ કરવારૂપ) અને સંક્રમણ (પરપ્રકૃતિમાં પ્રક્ષેપવારૂપ) આ ત્રણ કરો (દેશ) ઉપશમના હોય છે. આ
તથા વિવિધ પ્રકાર–સત્તા, ઉદય, ક્ષય, ક્ષયોપશમ, ઉદ્વર્તન અને અપવર્તન વગેરે સ્વરૂપ વડે કર્મોનું પર્વત ઉપરથી પડતી નદી સંબંધી પત્થરના ન્યાયે અથવા દ્રવ્ય ક્ષેત્રાદિકે કરણ (જીવની શક્તિવિશેષ) વડે બીજી અવસ્થાને પમાડવું તે વિપરિણામના. અહિ વિપરિણામના બંધનાદિને વિષે અને તેથી અન્ય ઉદયાદિને વિષે હોય છે તે સામાન્યરૂપે હોવાથી વિપરિણામના જુદી કહી છે. બંધનોપક્રમ-બંધનકરણ ચાર પ્રકારે છે. તેમાં પ્રકૃતિબંધનનો ઉપક્રમ જીવનો યોગરૂપ પરિણામ છે, કેમ કે યોગ એ 'પ્રકૃતિબંધનો હેતુ હોય છે. સ્થિતિબંધનનો ઉપક્રમ તે જ અર્થાત્ જીવનો પરિણામ છે, પરંતુ તે કષાયરૂપ પરિણામ છે કેમ કે સ્થિતિનો કષાય હેતુ હોય છે. અનુભાગબંધનનો ઉપક્રમ પણ પરિણામ જ છે પરંતુ તે કષાયરૂપ છે. પ્રદેશબંધનનો ઉપક્રમ તો તે જ યોગરૂપ પરિણામ છે. કહ્યું છે કે–"નો II ડિપ, ફિકકુમાર સાયરો VI;” [વંધશતઃ ] રૂતિ નીવ યોગથી પ્રતિબંધ અને પ્રદેશબંધ કરે છે તથા કષાયથી સ્થિતિબંધ અને અનુભાગબંધ કરે છે. અથવા પ્રકૃતિ વગેરે બંધનોના [અંતર્મુહૂર્તન્યૂન અંતઃકોટી કોટી સાગરોપમરૂપ) આરંભો તે ઉપક્રમો. એવી રીતે બીજા ઉપક્રમોમાં પણ જાણવું. જે મૂલપ્રકૃતિ અથવા પ્રકૃતિના દલિઆ પ્રત્યે, જીવના વીર્યવિશેષ વડે આકર્ષીને ઉદયમાં પ્રાપ્ત કરાય છે તે પ્રકૃતિઉદીરણા, જે ઉદયમાં આવેલ રસની સાથે અપ્રાપ્ત (ઉદયમાં નહિં આવેલ) રસને (વીર્ય વડે આકર્ષનિ) જે ભોગવાય છે તે અનુભાગઉદીરણા. તથા ઉદયમાં આવેલ નિયત પરિણામવાળા કર્મપ્રદેશોની સાથે અપ્રાપ્ત-ઉદયમાં નહિં આવેલ નિયત પરિણામવાળા કર્મપ્રદેશનું જે ભોગવવું તે પ્રદેશઉદીરણા. અહિં પણ કષાય અને યોગરૂપ પરિણામ અથવા આરંભ એ ઉપક્રમ છે. પ્રકૃતિ, ઉપશમ અને 1. દેશઉપશમનાનો વિશેષ વિસ્તાર અત્યારે ઉપલબ્ધ નથી, સર્વઉપશમનાનો વિસ્તાર કમ્મપયડીમાં પ્રસિદ્ધ છે. 2. “મનહર્તાનાનઃ ટીટીપ' એવો પાઠ આગમોદય સમિતિવાળી પ્રતમાં નથી, બાબુવાળી પ્રતમાં છે, માટે તેટલો ભાગ [[] કૌસમાં આપેલ છે.
369