SearchBrowseAboutContactDonate
Page Preview
Page 380
Loading...
Download File
Download File
Page Text
________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग १ ४ स्थानकाध्ययने उद्देशः २ प्रकृतिबन्धादि २९६ सूत्रम् चउव्विहे अप्पाबहुए पन्नत्ते, तंजहा-पगतिअप्पाबहुए, ठितिअप्पाबहुए, अणुभावअप्पाबहुए, पतेसअप्पाबहुते। . चउविहे संकमे पन्नत्ते, तंजहा-पगतिसंकमे, ठितीसंकमे, अणुभावसंकमे, पएससंकमे । चउविहे णिधत्ते पन्नत्ते, तंजहा-पगतिणिधत्ते, ठितीणिधत्ते, अणुभावणिधत्ते, पएसणिधत्ते । चउव्विहे णिगातिते पन्नत्ते, तंजहा- . -पगतिणिगातिते, ठितिणिगातिते, अणुभावणिगातिते, पएसणिगातिते ।। सू० २९६।। (મૂળ) ચાર પ્રકારે બંધ કહેલા છે, તે આ પ્રમાણે–પ્રતિબંધ, સ્થિતિબંધ, અનુભાગબંધ અને પ્રદેશબંધ. ચાર પ્રકારે ઉપક્રમ બંધત્વાદિ વડે કર્મના પરિણામના હેતુભૂત જીવની શક્તિવિશેષ કહેલ છે, તે આ પ્રમાણે–૧. બંધનોપક્રમ-જીવના પ્રદેશો સાથે કર્મપુદ્ગલનો અન્યોન્ય સંબંધ કરવારૂપ, ૨. ઉદયકાળમાં નહિં આવેલ કર્મને ઉદયમાં લાવવારૂપ ઉદીરણોપક્રમ . ૩. ઉદય, ઉદીરણાદિ કરણને અયોગ્યપણે કર્મને સ્થાપવારૂપ ઉપશમનોપક્રમ અને ૪. દ્રવ્ય, ક્ષેત્રાદિ સાધન વડે વિવિધ અવસ્થાને પમાડવારૂપ-વિપરિણામનોપક્રમ. બંધનોપક્રમ ચાર પ્રકારે કહેલા છે, તે આ પ્રમાણે-પ્રકૃતિબંધનોપક્રમ, સ્થિતિબંધનોપક્રમ, અનુભાગબંધનોપક્રમ અને પ્રદેશબંધનોપક્રમ. ઉદીરણોપક્રમ ચાર પ્રકારે કહેલ છે, તે આ પ્રમાણેપ્રકૃતિઉદીરણોપક્રમ, સ્થિતિઉદીરણોપક્રમ, અનુભાગઉદીરણોપક્રમ અને પ્રદેશઉદીરણોપક્રમ. ઉપશમનોપક્રમ ચાર પ્રકારે કહેલ છે, તે આ પ્રમાણે—પ્રકૃતિઉપશમનપક્રમ, સ્થિતિઉપશમનોપક્રમ, અનુભાગઉપશમાનપક્રમ અને પ્રદેશઉપશમનોપક્રમ વિપરિણામનો ક્રમ ચાર પ્રકારે કહેલ છે, તે આ પ્રમાણે–પ્રકૃતિવિપરિણામનોપક્રમ, સ્થિતિવિપરિણામનોપક્રમ, અનુભાગવિપરિણામનોપક્રમ અને પ્રદેશવિપરિણામનોપક્રમ. ચાર પ્રકારે અલ્પબદુત્વ કહેલ છે, તે આ પ્રમાણે—પ્રકૃતિવિષયક અલ્પબહુત, સ્થિતિવિષયક અલ્પબદુત્વ, અનુભાગવિષયક અલ્પબદુત્વ અને પ્રદેશવિષયક અલ્પબદુત્વ. ચાર પ્રકારે સંક્રમ કહેલ છે, તે આ પ્રમાણે—બંધાતી સ્વજાતીય ઉત્તરપ્રકૃતિમાં બીજી પ્રકૃતિનું સંક્રમવું તે પ્રકૃતિસંક્રમ, એમ સ્થિતિનો સંક્રમ, અનુભાગ (રસ) નો સંક્રમ અને પ્રદેશનો સંક્રમ. ચાર પ્રકારે નિધત્ત (નિધાન) ની માફક કર્મને સ્થાપવું (અર્થાત્ ઉદ્ધના તથા અપવર્તાના સિવાય બીજા કરણ જેમાં ન પ્રવૃત્તિ શકે તેવું કરવું) કહેલ છે, તે આ પ્રમાણે–પ્રકૃતિનિધત્ત, સ્થિતિનિધત્ત, અનુભાગનિધત્ત અને પ્રદેશ નિધત્ત. ચાર પ્રકારે નિકાચિત્ત (જે કર્મ ભોગવ્યા સિવાય છૂટે જ નહિ) કહેલ છે, તે આ પ્રમાણે—પ્રકૃતિનિકાચિત, સ્થિતિનિકાચિત, અનુભાગનિકાચિત અને પ્રદેશનિકાચિત. /ર૯૬ll (ટી) આ સૂત્ર સ્પષ્ટ છે. વિશેષ એ કે-જીવને સકષાયપણાથી કર્મને યોગ્ય પગલોનું બંધન-ગ્રહણ થવું તે બંધ. તેમાં કર્મની પ્રકૃતિઓ (અંશો) ના જ્ઞાનારવણીય વગેરે આઠ ભેદો છે. પ્રકૃતિઓનો અથવા સામાન્યતઃ કર્મનો બંધ તે પ્રકૃતિબંધ, સ્થિતિપ્રકૃતિઓનું જ અવસ્થાન-રહેવારૂપ જઘન્યાદિ ભેદ વડે ભિન્ન રૂપ તે સ્થિતિનો બંધ-ઉત્પન્ન કરવું તે સ્થિતિબંધ, અનુભાવવિપાક અર્થાત્ તીવ્ર વગેરે ભેદવિશિષ્ટ રસરૂપ, તેનો બંધ તે અનુભાવબંધ, તથા જીવના પ્રદેશોને વિષે દરેક પ્રકૃતિ પ્રત્યે ચોક્કસ પરિણામવાળા અનંતાનંતકર્મપ્રદેશોનો બંધ–સંબંધ થવો તે પરિમિત પરિમાણવિશિષ્ટ ગોળ વગેરેના મોદકના બંધની જેમ પ્રદેશબંધ. વૃદ્ધ પુરુષો મોદકના દષ્ટાંતને આ પ્રમાણે વર્ણવે છે-જેમ ચોક્કસ મોદક, લોટ, ગોળ, ધૃત અને કટુભાંડ (સૂંઠ વગેરે) થી બાંધ્યો થકો કોઈક મોદક વાયુને હરનાર, કોઈક પિત્તને હરનાર અને કોઈક કફને હરનાર, કોઈક મારનાર, કોઈક બુદ્ધિની વૃદ્ધિ કરનાર અને કોઈક વ્યામોહ-ભ્રમિત કરનાર હોય છે. એવી રીતે કોઈક કર્મપ્રકૃતિ જ્ઞાનને આવનાર છે, કોઈક દર્શનને આવરણ કરે છે, કોઈક સુખ દુઃખ વગેરે વેદના અનુભવોને ઉત્પન્ન કરે છે. વળી જેમ તે જ મોદકના નાશ ન થવારૂપ સ્વભાવ વડે કાલની મર્યાદા રૂપ સ્થિતિ હોય છે એવી રીતે કર્મનો પણ તે સ્વભાવ વડે નિયતકાલ પર્યત રહેવું તે સ્થિતિબંધ છે. જેમ તે 1. સૂંઠથી મિશ્રિત મોદક વાયુ કરનાર, દ્રાક્ષાદિથી પિત્ત કરનાર, પીપર વગેરેથી કફ હરનાર, સોમલ વગેરેથી મારનાર, બ્રાહ્મી, વજ વગેરેથી બુદ્ધિ વધારનાર અને ધતુરાના બીજ વગેરેથી મિશ્રિત ભ્રમિત કરનાર બને છે. 368
SR No.005767
Book TitleSthanang Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy