________________
४ स्थानकाध्ययने उद्देशः २ प्रकृतिबन्धादि २९६ सूत्रम्
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग १ ચાર પ્રકારે આહાર કહેલ છે, તે આ પ્રમાણે—અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ. ચાર પ્રકારે આહાર કહેલ છે, તે આ પ્રમાણે—ઉપસ્કરસંપન્ન-હિંગ વગેરેથી સંસ્કાર કરાયેલો આહાર, ઉપસ્કૃતસંપન્ન–અગ્નિ વડે પકાવેલો આહાર, સ્વભાવસંપન્ન–પચાવ્યા સિવાય સ્વભાવથી સિદ્ધ દ્રાક્ષ વગેરે તેમજ પરિયુષિતસંપન્ન–રાત્રિમાં રાખવા વડે બનેલા દહિંવડા વગેરે આહાર. ૨૯૫॥
(ટી0) 'વડગ્વિન્હે' ફત્યાવિ॰ સ્પષ્ટ છે. વિશેષ એ કે–સંસરવું તે સંસાર અર્થાત્ મનુષ્યાદિ પર્યાયથી નારકાદિ પર્યાયમાં જવું. નૈરયિકને યોગ્ય આયુ, નામ અને ગોત્રકર્મનો ઉદય થયે છતે જીવ નૈરયિક કહેવાય છે. કહ્યું છે કે—''નેરરૂપ ાં ભંતે! નેરફડ્યુ उववज्जइ अनेरइए नेरइएसु उववज्जइ ? गोयमा ! नेरइए नेरइएसु उववज्जइ नो अनेरइए नेरइएस उववज्जइ [ प्रज्ञापना० ૭।૨।૨૬।૧૦૦ ત્તિ]'' કૃતિ॰ હે ભગવન્! નૈયિક, નૈરયિકોમાં ઉત્પન્ન થાય છે કે અનૈયિક નૈરયિકોમાં ઉત્પન્ન થાય છે? ઉત્તર હે ગૌતમ! નૈયિક નૈયિકોમાં ઉત્પન્ન થાય છે પરંતુ અનૈરયિક નૈરયિકોમાં ઉત્પન્ન થતો નથી. તે હેતુથી નૈયિકનું સંસરણ– ઉત્પત્તિસ્થાનમાં જવું અથવા અન્ય અન્ય અવસ્થાને પામવું તે નૈયિકસંસાર. અથવા જીવો જેમાં સંસરે છે એટલે ભટકે છે તે ગતિચતુષ્ટયરૂપ સંસાર. તેમાં નૈરિયકનો અનુભવ કરાતો નરક ગતિ લક્ષણ અથવા પરંપરા વડે ચાર ગતિરૂપ સંસાર તે નૈરયિકસંસા૨. એમ તિર્યંચ સંસાર વગેરે જાણવા. ઉક્ત સ્વરૂપ સંસાર આયુષ્ય છતે હોય છે, માટે આયુઃ સૂત્ર છે. તેમાં જે આવે છે અને જાય છે તે આયુઃ—કર્મવિશેષ. જેના વડે નરકભવમાં પ્રાણીને ધારણ કરાય છે તે નિરયાયુઃ એમ ભવસૂત્ર છે, તે સ્પષ્ટ છે. માત્ર મવનં ભવઃ—થવું તે ભવ-ઉત્પત્તિ. નરકને વિષે ઉત્પત્તિ તે નરકભવ. મનુષ્યોને વિષે અથવા મનુષ્યોનો ભવ તે મનુષ્યભવ. એમ તિર્યંચભવ વગેરે પણ જાણવું. II૨૯૪૫
બધા ભવોને વિષે જીવો આહાર કરનાર હોય છે માટે બે આહારસૂત્ર કહે છે-તત્ર-આહારસૂત્રમાં, ગ્રહણ કરાય છે તે આહાર, ખવાય છે તે અશન-ચોખા વગેરે, પીવાય છે તે પાન–સૌવીર–કાંજી વગેરેનું પાણી, ખાવું એ જ પ્રયોજન છે જેનું (અર્થાત્ સંપૂર્ણરૂપે ક્ષુધા શાંત ન થાય) તે ખાદિમ-વિવિધ ફ્લ વગેરે, સ્વાદ એ જ પ્રયોજન છે જેનું તે સ્વાદિમતાંબૂલ વગેરે. જેના વડે સંસ્કા૨ ક૨ાય છે તે ઉપસ્કર-હીંગ વગેરે, તેનાથી યુક્ત આહાર તે ઉપસ્કરસંપન્ન, સંસ્કારવું તે ઉપસ્કૃત-પાક, તેના વડે બનેલ ભાત, પૂડલા વગે૨ે તે ઉપસ્કૃતસંપન્ન. પાઠાંતર વડે નોઉપસ્કરસંપન્ન-હીંગ વગેરેથી સંસ્કાર નહિં કરાયેલ ભાત વગેરે. સ્વાભાવિક–પાક વિના તૈયાર થયેલ દ્રાક્ષ વગેરે તે સ્વભાવસંપન્ન, 'પત્તિનુસિય’—–રાત્રિમાં રાખીને બનોવેલું તે પર્યુષિતસંપન્ન ઇઝુરિકાદિ (દહિંવડા વગેરે), કારણ કે દહિંમાં રાત્રિએ પલાળી રાખેલ ખાટા રસવાળા થાય છે અથવા પાલા (પરાલ) માં રાખેલા આમ્રફલ વગે૨ે જાણવા. II૨૯૫
હમણાં જ કહેલા સંસાર વગેરે ભાવો જીવોને હોય છે માટે ''પળ્વિદે વંધે' ત્યાદ્રિ કર્મપ્રકરણને 'વૃત્તાન્તર કા' એ હવે પછી આવનારા સૂત્રની પહેલાં કહે છે—
ચનવ્વિરે વંધે પન્નો, તનહા-પાતિબંધે,નિતીબંધે, અનુમાવવધે, પર્વતવંધા પડબિંદેડવામે પન્નત્તે, તંનહીંबंधणोवक्कमे, उदीरणोवक्कमे, उवसामणोवक्कमे विप्परिणामणोवक्कमे ।
बंधणोवक्कमे चउव्विहे पन्नत्ते, तंजहा - पगतीबंधणोवक्कमे, ठितिबंधणोवक्कमे, अणुभावबंधणोवक्कमे, पदेसबंधणोवक्कमे । उदीरणोवक्कमे चउव्विहे पन्नत्ते, तंजहा - पगतीउदीरणोवक्कमे, ठितीउदीरणोवक्कमे, अणुभावउदीरणोवक्कमे, पदेसउदीरणोवक्कमे । उवसामणोवक्कमे चउव्विहे पन्नत्ते, तंजहा - पगतिउवसामणोवक्कमे, ठितीउवसामणोवक्कमे, अणु- भावउवसामणोवक्कमे, पतेसुवसामणोवक्कमे । विप्परिणामणोवक्कमे चउव्विहे पन्नत्ते, तंजहा - पगतिविप्परिणामणोवक्कमे, ठितिविप्परिणामणोवक्कमे अणुभावविप्परिणामणोवक्कमे पतेसविप्परिणामणोवक्कमे ।
*
367