________________
४ स्थानकाध्ययने उद्देशः २ केतनादि २९३ सूत्रम्
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग १
એ દાંતે ચાર પ્રકારનો માને કહેલ છે, તે આ પ્રમાણે–શૈલથંભ સમાન માન-અત્યંત અક્કડ સ્વભાવવાળો, અસ્થિસ્થંભ સમાન માન દુઃખે નમાવી શકાય એવો, કાષ્ટસ્થંભ સમાન માન થોડા પ્રયાસે નમાવી શકાય એવો અને નેતરના સ્થંભ (છડી) સમાન માન સહજ નમાવી શકાય એવો અનુક્રમે અનંતાનુબંધી વગેરે જાણી લેવો. શૈલથંભ સમાન માનમાં પ્રવિષ્ટ જીવ કાલ કરે છે તો નરયિકોમાં ઉપજે છે, એવી રીતે યાવત્ નેતરના સ્થંભ સમાન માનમાં પ્રવિષ્ટ જીવ કાલ કરે છે તો દેવોમાં ઉપજે છે. ચાર પ્રકારના વસ્ત્રો કહેલા છે, તે આ પ્રમાણે-મનુષ્યના લોહીમાં કૃમિ ઉપજે છે તેના રસથી મિશ્રિત રંગ વડે જે વસ્ત્ર રંગાય છે તે કૃમિરાગરક્ત, કાદવથી ખરડાયેલ વસ્ત્ર તે કઈમરાગરક્ત, દીપક વગેરેના મેલથી ખરડાયેલ વસ્ત્ર તે ખંજનાગરક્ત અને હલદરના રંગથી રગિત વસ્ત્ર તે હરિદ્રારાગરક્ત. એ દષ્ટાંતે ચાર પ્રકારનો લોભ કહેલ છે, તે આ પ્રમાણે—કૃમિરાગરક્ત વસ્ત્ર સમાન તે અનંતાનુબંધી, કઈમરાગરક્ત વસ્ત્ર સમાન તે અપ્રત્યાખ્યાનાવરણી, ખંજનાગરક્ત વસ્ત્ર સમાન તે પ્રત્યાખ્યાનાવરણી અને હરિદ્રારાગરક્ત વસ્ત્ર સમાન તે સંજ્વલની લોભ. કૃમિરાગરક્ત વસ્ત્ર સમાન લોભમાં પ્રવિષ્ટ જીવકાલે કરે તો નરયિકોમાં ઉત્પન્ન થાય છે
થાવત્ હરિદ્રારાગરક્ત વસ્ત્ર સમાન લોભમાં પ્રવિષ્ટ જીવ કાલ કરે છે તો દેવોમાં ઉત્પન્ન થાય છે. સૂ૦ ૨૯all (ટી.) *વારી'ત્ય પ્રગટ છે, વિશેષ એ કે-કેતન-સામાન્યથી વક્ર. વસ્તુ અથવા પુષ્પના કરંડીઆ સંબંધી મૂઠમાં ગ્રહણ કરવાનું સ્થાન વાંસ વગેરેના ખંડવાળું તે પણ વક્ર હોય છે, પરંતુ અહિં સામાન્યથી વસ્તુનું વકત્વ (વાંકાપણું) “કેતન' શબ્દ વડે ગ્રહણ કરાય છે. તેમાં વાંસના મૂળરૂપ જે કેતન તે વંશીમૂલકતન, એવી રીતે સર્વત્ર સમજવું. વિશેષ એ કે-મેંઢવિષાણ-ઘેટાનું શીંગડું, ગોમૂત્રિકા તો પ્રસિદ્ધ છે. 'અવળિય'ત્તિ છોલાયેલી વાંસની સળી વગેરેની જે પાતળી છાલ તે અવલેખનિકા. વંશમૂલ વગેરેના વક્રની સમાન માયાનું વક્રપણું તો માયાવાળાના અસરલ-વક્રપણાના ભેદથી છે, તે આ પ્રમાણે-જેમ વાંસનું મૂલ અત્યંત ગુપ્ત વક્ર છે એવી રીતે કોઈક જીવની માયા પણ અત્યંત ગુપ્ત વક્ર છે. એવી રીતે અલ્પ, અલ્પતર (તેથી થોડી) અને અલ્પતમ (તેથી પણ થોડી) અસરલતા વડે અન્ય માયા પણ વિચારવી. આ ચારે માયા અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનાવરણી, પ્રત્યાખ્યાનાવરણી અને સંજ્વલનીરૂપે અનુક્રમે જાણવી. અન્ય આચાર્યો કહે છે કે પ્રત્યેક અનંતાનુબંધી વગેરે માયામાં અત્યંત, અલ્પ, અલ્પતર અને અલ્પતમ એમ ચાર ભેદો હોય છે. તે કારણથી જ અનંતાનુબંધી માયાનો ઉદય છતે પણ દેવપણું વગેરે વિરુદ્ધ થતું નથી અર્થાત્ દેવાદિમાં ઉત્પન્ન થાય છે. એવી રીતે માન વગરે પણ જાણવા. વાચનાંતરમાં તો પ્રથમ ક્રોધ અને માનના સૂત્રો છે. ત્યાર બાદ માયાના સૂત્રો છે, તેમાં ક્રોધ સૂત્રો "વારિ રાફો પત્તામો તં નહીં–૫ર્બયા યુદ્ધવિરારૂં
પુરારું નત્તરારૂં, સ્વાવ પબિદે કોણે રૂત્યા૦િ ચાર પ્રકારની રાઈ-ફાટ કહેલી છે, તે આ પ્રમાણે-પર્વતની ફાટ, પૃથ્વીની ફાટ, રેણુ (વાલુકા)ની ફાટ અને જલની રેખા. એ દષ્ટાંતે ચાર પ્રકારનો ક્રોધ છે ઇત્યાદિ માયાસૂત્રોની જેમ કહેલ છે. લસૂત્રોમાં તો અનુપ્રવિષ્ટ-માયાના ઉદયમાં વર્તનાર. શિલાના વિકારરૂપ શૈલ, તે જ સ્થંભ અર્થાત્ શૈલથંભ. એવી રીતે બીજા સ્તંભો પણ જાણવા. વિશેષ એ કે-એક અસ્થિ (હાડ) અને દારુ (લાકડું) પ્રસિદ્ધ છે. તિનિશ એટલે વૃક્ષવિશેષની લતા (કંબા) તે તિનિશિલતા અર્થાત્ નેતરની છડી, તે અત્યંત કોમલ હોય છે. માનની પણ શૈલસ્તંભ વગેરેની સમાનતા છે કેમ કે માનવાલાને નમનના અભાવવિશેષથી સમાનતા જાણવી. માન પણ અનંતાનુબંધી વગેરે ક્રમથી જાણવું. તેનું લસૂત્ર સ્પષ્ટ છે. કૃમિ-રંગમાં વૃદ્ધસંપ્રદાય આ પ્રમાણે છે–મનુષ્યાદિનાં રુધિરને લઈને કોઈપણ યોગ (વસ્તુ) વડે સંયુક્ત કરીને ભાજનમાં રાખે છે, ત્યાર બાદ તેમાં કૃમિઓ ઉત્પન્ન થાય છે, તે કીડાઓ વાયુની ઇચ્છાવાળા થયા થકા છિદ્રોદ્વારા નીકળીને સમીપમાં ભ્રમણ કરતા થકા મુખથી લાળ મૂકે છે તે કૃમિસૂત્ર. કહેવાય છે, તે પોતાના સ્વાભાવિક રંગ વડે રંગિત જ હોય છે. બીજાઓ કહે છે કે-રુધિરમાં જે કૃમિઓ ઉત્પન્ન થાય છે તેઓને રુધિરમાં જ મસળીને, કચરાના ભાગને દૂર કરીને, તેના રસમાં કંઈક વસ્તુને 1. અનંતાનુબંધી ક્રોધ વગેરે પ્રત્યેકના ચાર ચાર ભેદ કરવાથી સોળ કષાયના ચોસઠ ભેદ થાય છે.
365