________________
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग १
४ स्थानकाध्ययने उद्देशः २ केतनादि २९३ सूत्रम् છે તે પ્રત્યુત્પનંદી અથવા નંદ નંતિ–આનંદ, લાભ વડે આનંદ છે જેને તે પ્રત્યુત્પનંદી, તથા પ્રાણૂર્ણક (પ્રાણુણા) સાધુનો, શિષ્ય વગેરેનો અથવા પોતે, ગચ્છ વગેરેમાંથી નીકળવા વડે જે આનંદ પામે છે અથવા આનંદ છે જેને તે નિસરણનંદી. પાઠાંતર વડે તો પ્રત્યુત્પન્ન-જેમ પ્રાપ્ત થયું તેમ સેવે છે, પરંતુ અનુચિતને પૃથક-જુદો કરતો નથી તે પ્રત્યુપત્રસેવી છે (૧), બનત્ત'ત્તિ એક સેના શત્રુના બલને જીતે છે જેત્રી પરંતુ ન પરાજેત્રી-શત્રુના બલથી હારતી નથી, બીજી સેના પરાજેત્રી અર્થાત્ બીજાથી હાર પામનારી છે. આથી જ જીતનારી નથી, ત્રીજી સેના કારણવશાત્ ઉભય સ્વભાવવાળી છે, ચોથી સેના તો જીતવાની ઇચ્છાવાળી ન હોવાથી જીતનારી પણ નથી તેમ હારનારી પણ નથી (૨), પુરુષ–સાધુ, પરીષહોને જીતનાર તે જેતા, પરંતુ તેથી (મહાવીર પરમાત્મા પરાજય ન પામ્યા તેમ) પરાજય પામનાર નહિં, આ એક. બીજો કંડરીકવત, ત્રીજો કદાચિ જીતનાર અને કદાચિત્ કર્મવશાત્ હારનાર શૈલક રાજર્ષિવત્ તેમજ ચોથો તો નહિ ઉત્પન્ન થયેલ પરીષહવાળો (૩), એક વખત શત્રુના બળને જીતીને પુનઃ ફરીથી જીતે છે. એક પ્રથમ જીતે છે પછી પરાભવને પામે છે. એક પ્રથમ પરાભવ પામે છે અને પછી પાછી તે સેના જીતે છે. અને ચોથા પ્રકારની સેના તો પ્રથમ પણ પરાજય પામે છે અને પાછી બીજીવાર પણ પરાભવ પામે છે. આ પ્રમાણે પુરુષોને પણ પરીષહ આદિમાં વિચારવું.
અહિં તત્ત્વથી કષાયોને જ જીતવાના હોવાથી હવે કષાયોનું સ્વરૂપ દર્શાવવા સૂત્રકાર કહે છે– चत्तारि केतणा पन्नत्ता, तंजहा–वंसीमूलकेतणते, मेंढविसाणकेतणते, गोमुत्तिकेतणते, अवलेहणितकेतणते। एवामेव चउविधा माया पन्नत्ता,तंजहा–वंसीमूलकेतणासमाणा, जाव अवलेहणितासमाणा।वंसीमूलकेतणासमाणं मायं अणुपविढे जीवे कालं करेति णेरइएसु उववज्जति, मेंढविसाणकेतणासमाणं मायमणुप्पविढे जीवे कालं करेति तिरिक्खजोणितेसु उववज्जति, गोमुत्ति० जाव कालं करेति मणुस्सेसु उववज्जति, अवलेहणिता जाव देवेसु उववज्जति । चत्तारि भा पन्नत्ता, तंजहा-सेलथंभे, अट्टिथंभे, दारुथंभे, तिणिसलताथंभे। एवामेव चउव्विधे माणे पन्नत्ते, तंजहा-सेलथंभसमाणे जाव तिणिसलताथंभसमाणे। सेलथंभसमाणं माणं अणुपविढे जीवे कालं करेति नेरतिएसु उववज्जति, एवं जाव तिणिसलताथंभसमाणं माणं अणुपविढे जीवे कालं करेति देवेसु उववज्जति। चत्तारि वत्था पन्नत्ता, तंजहा–किमिरागरत्ते, कद्दमरागरत्ते, खंजणरागरत्ते, हलिद्दरागरत्ते। एवामेव चउव्विधे लोभे पन्नत्ते, तंजहा-किमिरागरत्तवत्थसमाणे, कद्दमरागरत्तवत्थसमाणे, खंजणरागरत्त-वत्थसमाणे, हलिद्दरागरत्तवत्थसमाणे। किमिरागरत्तवत्थसमाणं लोभमणुपविढे जीवेकालं करेइ नेरइएसु उववज्जति, तहेव जाव हलिद्दरागरत्तवत्थसमाणं लोभमणुपविढे जीवे कालं करेइ देवेसु उववज्जति।। सू० २९३।। (મૂ9) ચાર પ્રકારના કેતન-વસ્તુનું વકત્વ કહેલ છે, તે આ પ્રમાણે–વાંસના મૂલનું વકત્વ, ઘેટાના શીંગડાનું વક્રત્વ, ગાયના
મૂત્રનું વક્રત્વ અને અવલેખનિકા અર્થાત્ વાંસની ઝીણી છાલનું વકત્વ (વાંકપણું). એ દૃષ્ટાંતે ચાર પ્રકારની માયા કહેલી છે, તે આ પ્રમાણે—વાંસના મૂલ સમાન અત્યંત વક્ર (ગૂઢ) માયા તે અનંતાનુબંધી, ઘેટાના શીંગડા સમાન વક્ર માયા તે અપ્રત્યાખ્યાની, ગોમૂત્રના સમાન વક્ર માયા તે પ્રત્યાખ્યાનાવરણી અને વાંસની ઝીણી છાલ સમાન વક્ર માયા તે સંજવલની. વાંસના મૂલ સમાન વક્ર માયામાં પ્રવિષ્ટ (પ્રવેશ કરેલ) જીવ કાલ કરે છે તો નરયિકોમાં ઉત્પન્ન થાય છે. ઘેટાના શીંગડા સમાન વક માયામાં પ્રવિષ્ટ જીવ કાલ કરે છે તો તિર્યંચયોનિક જીવોમાં ઉત્પન્ન થાય છે. ગોમૂત્ર સમાન વક્ર માયામાં પ્રવિષ્ટ જીવ કાલ કરે છે તો મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે. વાંસની ઝીણી છાલ સમાન વક્ર . માયામાં પ્રવિષ્ટ જીવ કાલ કરે છે તો દેવોમાં ઉત્પન્ન થાય છે. ચાર પ્રકારના સ્થંભ કહેલા છે, તે આ પ્રમાણે–શૈલપત્થરનો સ્થંભ (થાંભલો), અસ્થિ-હાડકાનો થાંભલો, દારુ લાકડાનો થાંભલો અને તિનિશિલતા-નેતરનો થાંભલો. 364.