________________
४ स्थानकाध्ययने उद्देशः २ प्रकटसेव्यादि २९२ सूत्रम्
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग १ જે તમસ્કાય તે દેવારણ્ય છે. સાગર વગેરે સંગ્રામના ભૂહ (રચના) ની જેમ દુઃખપૂર્વક ગમન કરવા યોગ્ય હોવાથી જે દેવોનો યૂહ તે દેવભૂહ. તમસ્કાયના સ્વરૂપનું પ્રતિપાદન કરવા માટે 'તમુા ' મિત્કારિ સૂત્ર કહેવાયેલ અર્થવાળું છે, પરંતુ સૌધર્માદિ દેવલોકને આ સમસ્કાય આવરીને રહેલ છે અને તે કૂકડાના પાંજરાના આકારે રહેલ છે. તેના પ્રતિપાદન માટે કહ્યું છે કે—'તમા જ મત વિ સંાિ પન્ન? ગોલમા! અરે મ7 મતાિ ૩ ડjનરાિ પન્ન ” [માવતી દારૂ 7િ] હે ભગવન્! તમસ્કાય કેવા આકારે રહેલ છે? ઉત્તર-હે ગૌતમ! નીચે મલ્લકમૂલ-સરાવલાના મૂલના આકારે અને ઉપર કૂકડાના પાંજરાના આકારે રહેલ છે. ૨૯૧// | હમણાં વચનના પર્યાય વડે તમસ્કાય કહ્યો, હવે અર્થપર્યાય વડે પુરુષ પ્રત્યે નિરૂપણ કરનાર પાંચ સૂત્રો સૂત્રકાર વડે કહેવાય છે– चत्तारि पुरिसजाता पन्नत्ता, तंजहा–संपागडपडिसेवी णाममेगे, पच्छन्नपडिसेवी णाममेगे, पडुप्पन्ननंदी नाममेगे, णिस्सरणणंदी णाममेगे ४ (१)। चत्तारि सेणाओ पन्नत्ताओ तं जहा–जतित्ता णाममेगे णो पराजिणित्ता, पराजिणित्ता णाममेगे णो जतित्ता, एगा जतित्ता वि पराजिणित्ता वि, एगा नो जतित्ता नो पराजिणित्ता ४ (२)। एवामेव चत्तारि पुरिसजाता पन्नत्ता, तंजहा–जतित्ता नाममेगे नो पराजिणित्ता ह [=४] (३)। चत्तारि सेणाओ पन्नत्ताओ, तंजहा–जतित्ता णाममेगा जयति, जतित्ता णाममेगा पराजिणति, पराजिणित्ता णाममेगा जयति, पराजिणित्ता नाममेगा पराजिणति ४ (४), एवामेव चत्तारि पुरिसजाता पन्नत्ता, तंजहा–जतित्ता नाममेगे जयति & [=૪] (૧) n સૂ૦ ૨૨૨ાા (મૂળ) ચાર પ્રકારના પુરુષો કહેલા છે, તે આ પ્રમાણે કોઈએક ગચ્છમાં રહેલ સાધુ, અગીતાર્થ સમક્ષ દોષને સેવે છે તે
સંપ્રગટપ્રતિસવી, કોઈએક પ્રચ્છન્ન દોષને સેવે છે, કોઈક વસ્ત્ર અને શિષ્યાદિના લાભ વડે જે આનંદને પામે છે તે પ્રત્યુત્પન્નનંદી, કોઈએક ગચ્છમાંથી પોતે કે શિષ્યાદિના નીકળવા વડે જે આનંદિત થાય છે નિસરણનંદી (૧), ચાર પ્રકારની સેના કહેલી છે, તે આ પ્રમાણે–એક સેના શત્રુને જીતનારી છે પણ પરાજય પામે નહિ, એક સેના શત્રુથી પરાજય પામનારી છે પણ જીતનારી નથી, એક સેના જીતનારી પણ છે અને પરાજય પામનારી પણ છે તેમજ એક સેના જીતનારી પણ નથી અને પરાજય પામનારી પણ નથી (૨), આ દૃષ્ટાંતે ચાર પ્રકારના પુરુષો કહેલા છે, તે આ પ્રમાણે-કોઈએક સાધુ પરીષહની સેનાને જીતનાર છે પરંતુ તેથી શ્રીમહાવીરસ્વામીની જેમ પરાજય પામનાર નથી, એક સાધુ પરીપતથી પરાભવ પામનાર છે પણ કંડરીકવત્ જીતનાર નથી, એક સાધુ જીતનાર પણ અને શૈલક રાજર્ષિવત્ પરાજય પામનાર પણ છે તેમજ એક સાધુ જીતનાર પણ નથી અને પરાજય પણ પામનાર નથી-જેને પરીષહ ઉત્પન્ન થયેલ નથી તે (૩), ચાર પ્રકારની સેના કહેલી છે, તે આ પ્રમાણે–એક સેના એક વખત શત્રુને જીતીને ફરીથી પણ જીતે છે. એક સેના પ્રથમ જીતીને ફરીથી પરાજય પામે છે, એક સેના પ્રથમ પરાજય પામીને પછી જીતે છે તેમજ એક સેના પ્રથમ પણ પરાજય પામે છે અને પછી પણ પરાજય પામે છે (૪). આ દૃષ્ટાંતે ચાર પ્રકારના પુરુષો કહેલા છે, તે આ પ્રમાણે-કોઈએક સાધુ પ્રથમ પરીષહને જીતીને પછી પણ પરીષહને જીતે છે, કોઈક પ્રથમ જીતીને પછી હારે છે, કોઈક પ્રથમ હારીને પછી જીતે છે તેમજ કોઈક પ્રથમ પણ હારે છે અને પછી પણ હારે છે
(૫). ll૨૯૨ (ટી.) આ સૂત્રો સુગમ છે. વિશેષ એ કે-કોઈએક-ગચ્છમાં રહેલ સાધુ, સંપ્રકટ અગીતાર્થની આગળ મૂલગુણો અને ઉત્તરગુણોમાં દોષને સેવે છે, અભિમાનથી અથવા કલ્પ વડે તે સંપ્રકટપ્રતિસેવી, એમ બીજો પ્રચ્છન્ન-છાની રીતે દોષને સેવે છે તે પ્રચ્છન્નપ્રતિસવી. ત્રીજો તો વસ્ત્ર અને શિષ્યાદિની પ્રાપ્તિ વડે અથવા શિષ્ય કે આચાર્યાદિ સ્વરૂપ વડે થયો થકો જે વૃદ્ધિ પામે
363