________________
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग १ ४ स्थानकाध्ययने उद्देशः २ निर्गन्थ्या सहलापादि तमस्कायः २९०-२९१ सूत्रे
થકી આચારનું ઉલ્લંઘન કરતો નથી, તે આ પ્રમાણે—ગૃહસ્થના અભાવે સાધ્વીને માર્ગ સંબંધે પૂછતો થકો અથતું એમ પૂછે છે કે-હે ધર્મશીલ! ક્યો માર્ગ છે? ૧, સાધ્વીને માર્ગ (રસ્તો) બતાવતો થકો ૨, અશન, પાન, ખાદિમ તથા સ્વાદિમ ચાર પ્રકારના આહાર. સાધ્વીને આપતો થકો એમ કહે- ધર્મશીલે! આ આહાર ગ્રહણ કર ૩, તેમજ હે આર્યો. હું તમને આહારાદિ અપાવીશ, તું અહિં આવજે એમ કહેતો થકો ૪. //ર૯oll તમસ્કાયના ચાર નામ કહેલા છે, તે આ પ્રમાણે–૧. તમ, ૨. તમસ્કાય, ૩. અંધકાર અને ૪. મહીંધકાર. તમસ્કાયના ચાર નામ કહેલા છે, તે આ પ્રમાણે—૧. લોકાંધકાર, ૨. લોકતમસ, ૩. દેવાંધકાર અને ૪. દેવતમરું. તમસ્કાયના ચાર નામ કહેલા છે, તે આ પ્રમાણે–૧. વાયુને રોકનાર ભેગલ સમાન તે વાતપરિઘ, ૨. વાયુને ભેગલની માફક ક્ષોભ પમાડે છે તે વાતપરિઘક્ષોભ, ૩. દેવોને નાશવાનું સ્થાન તે દેવારણ્ય અને ૪. સૈન્યના ભૂહની જેમ દુઃખપૂર્વક જેનો પ્રવેશમાર્ગ જાણી શકાય તે દેવભૂહ. તમસ્કાય, ચાર દેવલોકને ચોતરફ ઘેરી રહેલો છે, તે આ પ્રમાણે—સૌધર્મ
ઈશાન, સનકુમાર અને માહેંદ્ર. /૨૯૧/ (ટી0) વહી' ત્યાદિ સ્પષ્ટ છે. વિશેષ એ કે-આલાપન-થોડું અથવા પહેલી વખત બોલતો થકો, સંલપન-પરસ્પર વારંવાર બોલતો થકો, નિગ્રંથના આચારનું ઉલ્લંઘન કરતો નથી."ણો સ્થિર સદ્ધિ, નેવ વિક્રેન સંતવે” એકલો સાધુ . એકલી સ્ત્રીની સાથે ઊભો રહે નહિં તેમ બોલે પણ નહિં. વિશેષથી સાધ્વીની સાથે આ પ્રમાણે નિષેધ છે પરંતુ માર્ગ સંબંધી પ્રશ્ન વગેરેમાં પુષ્ટ આલંબનપણું હોવાથી આચારનું ઉલ્લંઘન થતું નથી. તેમાં પૂછવાયોગ્ય સાધર્મિક (સાધુ) અને ગૃહસ્થ પુરુષના અભાવમાં ‘હે આર્ય! અહિંથી અમોને જવાનો કયો માર્ગ છે?” ઈત્યાદિ ક્રમ વડે માર્ગને પૂછતો થકો, અથવા “હે ધર્મશીલ. તમારે જવાનો આ માર્ગ છે” ઇત્યાદિ ક્રમ વડે સાધ્વીને માર્ગ દેખાડતો, અથવા હે ધર્મશીલે! તું આ અશનાદિને ગ્રહણ કર’ એમ કહીને આહારાદિ આપતો થકો તથા હે આ! તું અહિંયા ઘર વગેરેમાં આવ, તારા માટે આહારાદિ અપાવું' એમ કહીને આહારાદિ અપાવતો આચારનું ઉલ્લંઘન કરતો નથી. પરિ૯૦.
તથા તમસ્કાયને તમઃ' ઇત્યાદિ શબ્દ વડે વ્યવહાર કરતો થકો સાધુ યથાર્થપણાને લઈને ભાષાના આચારનું ઉલ્લંઘન કરતો નથી માટે તમસ્કાયના નામોને કહે છે–'તમુાયે' ત્યાદિ ત્રણ સૂત્રો સુગમ છે. વિશેષ એ કે–તમને—અપકાયના પરિણામરૂપ અંધકારનો કાય-સમૂહ તે તમસ્કાય, જે અસંખ્યાતતમ અરુણવર નામના દ્વીપની બહારની વેદિકાના અંતથી અરુણોદ નામના સમુદ્રમાં બેંતાલીસ હજાર યોજન પર્યત અવગાહીને (જઈને) પાણીના ઉપરના ભાગથી એક પ્રદેશવાળી શ્રેણી વડે તમસ્કાય નીકળીને, સત્તરસો એકવીશ યોજન સુધી ઊંચો જઈને, ત્યાંથી તિર્થો-વિશેષ વિસ્તાર પામતો થકો, સૌધર્માદિ ચાર દેવલોકને ઘેરીને ઊંચે પણ બ્રહ્મલોક કલ્પના રિષ્ટ નામના વિમાન-પ્રતર સુધી પહોંચેલ છે. તેના નામો એ જ નામધેયો છે. 'તમ' તિ, તમોરૂપ હોવાથી અથવા રૂપને બતાવવામાં તમે કહેલ છે. માત્ર તમસ્વરૂપને કહેનારા પહેલા ચાર નામો વિકલ્પમાં છે અર્થાત્ 'તમ' ના પર્યાયવાચક છે. વળી બીજા જ ચાર નામો અત્યંત તમસ્વરૂપને બતાવનારા છે. લોકમાં એ જ અંધકાર છે, એવો બીજો નથી માટે ‘લોકાંધકાર’ કહેલ છે. દેવોને પણ એ જ અંધકાર છે કેમ કે દેવોના શરીરની પ્રજાનો પણ ત્યાં પ્રકાશ પડતો નથી માટે દેવાંધકાર કહેલ છે. આ કારણથી જ બલવાન દેવોના ભયથી દેવો તમસ્કાયમાં નાશી જાય છે-સંતાઈ જાય છે એમ સંભળાય છે. વળી અન્ય ચાર નામો કાર્યને આશ્રયીને કહેલા છે. વાયુને ચોમેર હણવાથી પરિઘઅર્ગલા, વાયુનો પરિઘની માફક પરિઘ તે વાતપરિઘ, તથા વાયુને પરિઘની માફક ક્ષોભ કરે છે-માર્ગને રોકે છે તે વાતપરિઘક્ષોભ, અથવા વાયસ્વરૂપ જ પરિઘને જે રોકે છે તે વાતપરિઘક્ષોભપાઠાંતર વડે વાતપરિક્ષોભ છે. ક્યાંક દેવપરિઘ અને દેવપરિક્ષોભ આ નામો પ્રથમના બે પદના સ્થાનમાં કહેવાય છે. દેવોને અરણ્યની માફક બલવાન દેવોના ભયથી નાશવાનું સ્થાન હોવાથી
1. આ બાબત જ્યાં આહાર-પાણી દુર્લભ હોય એ ક્ષેત્ર, કાલ આશ્રયી સમજવી. (સંપાદક)
362