SearchBrowseAboutContactDonate
Page Preview
Page 373
Loading...
Download File
Download File
Page Text
________________ ४ स्थानकाध्ययने उद्देशः २ निर्गन्ध्या सहलापादि तमस्कायः २९० - २९१ सूत्रे श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग १ પ્રવર્તમાન આત્માનો–પોતાનો નિષેધ કરનાર, અથવા 'અતામંથુ'ત્તિ॰ સિદ્ધાંતની ભાષા વડે ‘સમર્થ’ કહેવાય છે. તેથી કોઈએક પોતાનો નિગ્રહ ક૨વામાં સમર્થ ૧, એક માર્ગ શરૂઆતમાં પણ સરલ અને અંતમાં પણ સરળ છે અથવા સ૨ળ જણાય છે અને તત્ત્વથી પણ સરળ ૨, પુરુષ તો પૂર્વ અને ઉત્તરકાલની અપેક્ષાએ સ૨ળ છે અથવા અંતઃકરણની અને બાહ્ય સ્વરૂપની અપેક્ષાએ સરળ છે. ક્યાંક તો 'નૂનામ ૫ે ઝૂમળે' ત્તિ પાઠ છે પણ બાહ્ય સ્વરૂપ અને અંતર સ્વરૂપની અપેક્ષાએ વ્યાખ્યા કરવા યોગ્ય છે ૩, કોઈએક માર્ગ શરૂઆતમાં નિરુપદ્રવ હોવા વડે ક્ષેમ છે, વળી છેવટમાં પણ ક્ષેમ છે અથવા પ્રસિદ્ધિ–જાહેર અને તત્ત્વથી ક્ષેમ છે. ૪. એમ પુરુષ પણ ક્રોધ વગેરેના ઉપદ્રવથી રહિત હોવાથી ક્ષેમ છે ૫, ભાવથી ઉપદ્રવના અભાવ વડે ક્ષેમ અને આકાર–દેખાવ વડે સુંદર માર્ગ ૬, પ્રથમ પુરુષ તો ભાવલિંગ-સાધુના ગુણયુક્ત અને દ્રવ્યલિંગ–સાધુના વેષયુક્ત, બીજો કારણથી દ્રવ્યલિંગ રહિત ગુણ યુક્ત સાધુ જ, ત્રીજો નિહ્નવ, ચોથો અન્યતીર્થિક અથવા ગૃહસ્થ ૭, શંબુકો-શંખો વામ પડખે વ્યવસ્થિત (રહેલ) હોવાથી અથવા પ્રતિકૂલ ગુણવાળો હોવાથી વામ, વામાવર્ત્ત પ્રસિદ્ધ છે. એમ દક્ષિણાવર્ત્ત પણ જાણવો. દક્ષિણ-દક્ષિણ ભાગમાં સ્થાપન કરવાથી અથવા અનુકૂલ ગુણવાળો હોવાથી ૮, પુરુષ તો પ્રતિકૂલ સ્વભાવ વડે વામ, વામ જ જે વર્તે છે તે વામાવર્ત્ત. કેમ કે વિપરીત પ્રવૃત્તિ કરવાથી એક, બીજો સ્વભાવથી વિપરીત અને કારણવશાત્ દક્ષિણાવર્ત્ત-અનુકૂલ પ્રવૃત્તિ કરનાર, ત્રીજો તો અનુકૂલ સ્વભાવ વડે દક્ષિણ પરંતુ કારણવશાત્ વામાવર્ત્તપ્રતિકૂલ પ્રવૃત્તિ કરનાર, એમ ચોથો સ્વભાવથી અને પ્રવૃત્તિથી પણ અનુકૂલ જાણવો ૯, ધૂમશિખા વામભાગમાં રહેવા વડે અથવા પ્રતિકૂલ સ્વભાવ વડે વામા, અને વામ-ડાબા ભાગથી ઘૂમરી ફરે છે તે વામાવર્તા ૧૦, સ્ત્રીની વ્યાખ્યા પુરુષની માફક કરવી, અહિં શંખનું દૃષ્ટાંત હોવા છતાં પણ ધૂમશિખા વગેરે દૃષ્ટાંતોનું સ્ત્રીરૂપ દાતિકોને વિષે શબ્દના સમાનપણાથી વિશેષ યુક્ત હોવાથી ભેદ વડે સ્વીકારેલ છે ૧૧, એમ અગ્નિશિખાની વ્યાખ્યા પણ જાણવી ૧૨-૧૩, વાતમંડલિકા-ઘૂમરી વડે ઊંચો જતો વાયુ, અહિં સ્ત્રીઓ, મલિનતા, ઉપતાપ અને ચપલતાના સ્વભાવવાળી હોય છે. આ અભિપ્રાય વડે સ્ત્રીઓના વિષયમાં ધૂમશિખા વગેરે ત્રણ દૃષ્ટાંતો ઉપન્યાસ કરેલ છે. કહ્યું છે કે— चवला मइलणसीणा, सिणेहपरिपूरिया वि तावेइ । दीवयसिह व्व महिला, लद्धप्पसरा भयं देइ ||१०९॥ દીપકની શિખાની જેમ સ્ત્રી ભયને આપે છે, તે સ્ત્રી ચપળ સ્વભાવવાળી, મલિનતાને કરનારી, સ્નેહથી પૂરાયેલીપ્રેમભાવ કરાયલી છતાં પણ સંતાપન કરે છે તેમજ અવસર મળવાથી સ્વચ્છંદચારિણી હોય છે. ૧૪-૧૫ (૧૦૯) વનખંડ તો શિખાની માફક જાણવું, વિશેષ એ કે–વામ વલણ વડે ઉત્પન્ન થવાથી અથવા વાયુ વડે વામ કંપમાન થવાથી વામાવર્ત્ત ૧૬. પુરુષના વિષયમાં પૂર્વની માફક જાણવું ૧૭. ૨૮૯ હમણાં જ અનુકૂલ સ્વભાવ અને અનુકૂલ પ્રવૃત્તિવાળો પુરુષ કહ્યો, એવા પ્રકારનો નિગ્રંથ, સામાન્યથી (કારણ ઉત્પન્ન થવાથી) અનુચિત્ત પ્રવૃત્તિમાં પણ પોતાના આચારને ઉલ્લંઘતો નથી એમ દર્શાવતાં થકા સૂત્રકાર કહે છે કે— चउहिं ठाणेहिं णिग्गंथे णिग्गंथिं आलवमाणे वा संलवमाणे वा णातिक्कमति, तंजहा - पंथं पुच्छमाणे वा १ पंथं देसमाणे वा २ असणं वा पाणं वा खाइमं वा साइमं वा दलयमाणे वा ३ दवावेमाणे वा ४ ।। सू० २९० ।। तमुक्कायस्स णं चत्तारि नामधेज्जा पन्नत्ता, तंजहा - तमे ति वा तमुक्काते ति वा, अंधगारे ति वा, महंधगारे ति वा । तमुक्कायस्स णं चत्तारि णामधेज्जा पन्नत्ता, तंजहा- लोगंधगारे ति वा, लोगतमसे ति वा, देवंधगारे ति वा, देवतमसे ति वा । तमुक्कायस्स णं चत्तारि नामधेज्जा पन्नत्ता, तंजहा - 1 वातफलिहे ति वा, वातफलिहखोभे ति વા, દેવાન્નતિ વા, દેવવૃદ્ધેતિ વા।તમુરાતે ાં વત્તારિખે આવરિત્તા નિવ્રુતિ,તંનહા-સોધમ્મસાાં, સ ંમાર, માહિલ । સૂ॰ ૨૧૬।। (મૂ૦) ચાર કારણ વડે એકલો સાધુ, એકલી સાધ્વી સાથે આલાપ–એક વખત બોલતો થકો અથવા સંલાપ–વારંવાર બોલતો 1. देवफलिहे ति 361
SR No.005767
Book TitleSthanang Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy