________________
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग १
४ स्थानकाध्ययने उद्देशः २ पुरुषाणामलमस्त्वादिचतुर्भंगीः २८९ सूत्रम् છે, તે આ પ્રમાણે—કોઈક માર્ગ આદિમાં ક્ષેમ-ઉપદ્રવ રહિત અને પછી પણ ક્ષેમ છે, કોઈક માર્ગ આદિમાં ક્ષેમ છે પણ પછી અક્ષેમ છે, કોઈક માર્ગ આદિમાં અક્ષેમ પણ પછી ક્ષેમ છે તેમજ કોઈક માર્ગ આદિમાં પણ અક્ષમ અને અંતમાં પણ અક્ષમ છે (૪), એ દૃષ્ટાંતે ચાર પ્રકારના પુરુષો કહેલા છે, તે આ પ્રમાણે–કોઈક પુરુષ પ્રથમ ક્ષેમ ક્રોધાદિથી રહિત અને પછી પણ ક્ષેમ છે, કોઈક પ્રથમ ક્ષેમ પણ પછી અક્ષેમ છે, કોઈક પ્રથમ અક્ષેમ પણ પછી ક્ષેમ છે તેમજ કોઈક પ્રથમ પણ અક્ષમ અને પછી પણ અક્ષેમ છે (૫), ચાર પ્રકારના માર્ગ કહેલ છે, તે આ પ્રમાણે— કોઈક માર્ગ ક્ષેમ (ઉપદ્રવ રહિત) અને ક્ષેમરૂપ–સુંદર આકારવાળો છે, કોઈક માર્ગ ક્ષેમ પણ અક્ષેમરૂપ-ખરાબ આકારવાળો છે, કોઈક માર્ગ અક્ષેમ પણ ક્ષેમરૂપ (સુંદરાકાર) છે તેમજ કોઈક માર્ગ અક્ષેમ અને અક્ષેમરૂપ છે (૬), એ દૃષ્ટાંતે ચાર પ્રકારના પુરુષો કહેલા છે, તે આ પ્રમાણે—કોઈક પુરુષ ક્ષેમ-ભાવથી સાધુના ગુણ યુક્ત અને ક્ષેમરૂપ–દ્રવ્યથી સાધુના વેષ યુક્ત છે, કોઈક સાધુના ગુણ યુક્ત છે પણ કારણવશાત્ સાધુના વેષ રહિત છે, કોઈક સાધુના ગુણથી રહિત પણ વેષ યુક્ત અને કોઈક ગુણ રહિત અને વેષ રહિત પણ છે (૭) ચાર પ્રકારના શંખ કહેલા છે, તે આ પ્રમાણે–કોઈએક શંખ વામ-પ્રતિકૂલ ગુણવાળો અને વામાવર્ત્ત–ઉત્તરદિશા સન્મુખ આવર્તવાળો છે, કોઈક પ્રતિકૂલ ગુણવાળો પણ દક્ષિણાવર્ત્ત છે, કોઈક અનુકૂલ ગુણવાળો પણ વામ આવર્ત્તવાળો છે અને કોઈક શંખ અનુકૂલ ગુણવાળો અને દક્ષિણાવર્ત્ત છે (૮), એ દૃષ્ટાંતે ચાર પ્રકારના પુરુષો કહેલા છે, તે આ પ્રમાણે—કોઈક વામ–પ્રતિકૂલ સ્વભાવવાળો અને વામાવર્ત્તપ્રતિકૂલ વર્તનવાળો છે, કોઈક પ્રતિકૂલ સ્વભાવવાળો છે પણ અનુકૂલ વર્તનવાળો છે, કોઈક અનુકૂલ સ્વભાવવાળો છે પણ પ્રતિકૂલ વર્તનવાળો છે તેમજ કોઈક અનુકૂલ સ્વભાવ અને અનુકૂલ વર્તનવાળો છે (૯), ચાર પ્રકારની ધૂમશિખાઓ કહેલી છે, તે આ પ્રમાણે—કોઈ એક ધૂમાડાની શિખા વામા–ડાબે પડખે જનારી અને વામાવર્તા-ડાબા આવર્ત્ત (ચક્કર) વાળી છે, કોઈક ધૂમ્રશિખા વામ ભાગમાં જનારી છે પણ દક્ષિણ-જમણા આવર્ત્તવાળી છે, કોઈક ધૂમ્રશિખા દક્ષિણ ભાગમાં જનારી છે પણ ડાબા આવવાળી છે તેમજ કોઈક ધૂમ્રશિખા દક્ષિણ ભાગમાં જનારી અને દક્ષિણ આવર્ત્તવાળી છે (૧૦), એ દૃષ્ટાંતે ચાર પ્રકારની સ્ત્રીઓ કહેલી છે, તે આ પ્રમાણે—કોઈક સ્ત્રી પ્રતિકૂલ સ્વભાવવાળી અને પ્રતિકૂલ વર્તનવાળી છે, કોઈક સ્ત્રી પ્રતિકૂલ સ્વભાવવાળી છે પણ અનુકૂલ વર્તનવાળી છે, કોઈક સ્ત્રી અનુકૂલ સ્વભાવવાળી છે પણ પ્રતિકૂલ વર્તનવાળી છે તેમજ કોઈક સ્ત્રી અનુકૂલ સ્વભાવ અને અનુકૂલ વર્તનવાળી છે (૧૧), ચાર પ્રકારની અગ્નિશિખાઓ કહેલી છે, તે આ પ્રમાણે—કોઈએક અગ્નિશિખા વામ ભાગમાં જનારી અને વામ આવર્ત્તવાળી છે, કોઈક અગ્નિશિખા વામભાગમાં જનારી અને દક્ષિણ આવર્તવાળી છે. એવી રીતે ધૂમ્રશિખાની માફક ચતુર્થંગી સમજવી (૧૨), આ દૃષ્ટાંતે ચાર પ્રકારની સ્ત્રીઓ કહેલી છે, તે આ પ્રમાણે—પ્રતિકૂલ સ્વભાવવાળી અને પ્રતિકૂલ વર્તનવાળી, એમ ચાર ભાંગા અગિયારમા સૂત્ર પ્રમાણે સમજવા (૧૩), ચાર પ્રકારે વાતમંડલિકા કહેલી છે, તે આ પ્રમાણે—કોઈક વાયુની મંડલિકા (ઘૂમરી વડે વાયુ ઊંચો ચડવો તે) વામભાગમાં છે અને વામ આવર્તાવાળી છે, એમ પૂર્વની માફક ચોભંગી જાણવી (૧૪), આ દૃષ્ટાંતે ચાર પ્રકારની સ્ત્રીઓ કહેલી છે, તે આ પ્રમાણે-કોઈક સ્ત્રી પ્રતિકૂલ સ્વભાવ અને પ્રતિકૂલ વર્તનવાળી છે. એવી રીતે પૂર્વની માફક ચતુર્થંગી જાણવી (૧૫), ચાર પ્રકારના વનખંડો કહેલા છે તે આ પ્રમાણે– -કોઈક વનખંડ વામ (ડાબા) ભાગમાં છે અને વામ આવર્તવાળો-વાયુથી ઉપર દિશા સન્મુખ વળે છે. એવી રીતે પૂર્વની માફક ચતુર્વાંગી સમજવી (૧૬), આ દૃષ્ટાંતે ચાર પ્રકારના પુરુષો કહેલા છે, તે આ પ્રમાણે—કોઈક પુરુષ પ્રતિકૂલ સ્વભાવવાળો અને પ્રતિકૂલ વર્તનવાળો છે, કોઈક પ્રતિકૂલ સ્વભાવવાળો છે પણ અનુકૂલ વર્તનવાળો છે, કોઈક અનુકૂલ વર્તનવાળો છે પણ પ્રતિકૂલ સ્વભાવવાળો છે તેમજ કોઈક પુરુષ અનુકૂલ સ્વભાવ અને અનુકૂલ વર્તનવાળો છે (૧૭). ૨૮૯॥
(ટી૦) આ સૂત્રો સ્પષ્ટ છે, માત્ર ‘નિષેધ થાઓ’ એમ જે કહે છે તે 'અલમસ્તુ' કહેવાય છે અર્થાત્ નિષેધક, તે દુષ્ટ કાર્યોમાં
360