SearchBrowseAboutContactDonate
Page Preview
Page 366
Loading...
Download File
Download File
Page Text
________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग १ ४ स्थानकाध्ययने उद्देशः २ पुरुषजातप्रधानतया कायविशेषः २८३-२८४ सूत्रे ઉત્પન્ન થાય છે, પણ બહુ મોહને લઈને દઢ શરીરવાળાને ઉત્પન્ન થતા નથી , કોઈક અલ્પ મોહવાળા દેઢ શરીરીને જ્ઞાન તથા દર્શન ઉત્પન્ન થાય છે પણ રોગથી દુર્બલ-કૃશ શરીરવાળાને અસ્વસ્થતાથી ઉત્પન્ન થતા નથી , કોઈક વિશિષ્ટ સંહનાનાદિના ધણી કૃશ શરીરવાળાને પણ જ્ઞાન દર્શન ઉત્પન્ન થાય છે તેમ દેઢ શરીરવાળાને પણ ઉત્પન્ન થાય છે ૩, તેમજ કોઈક બહુ મોહના ધણી કૃશ શરીરવાળાને જ્ઞાન તથા દર્શન ઉત્પન્ન થતા નથી તેમ દેઢ શરીરવાળાને પણ ઉત્પન્ન થતા નથી ૪. //ર૮૩ll ચાર કારણ વડે નિગ્રંથો અથવા નિગ્રંથીઓને અતિશેષ-કેવલજ્ઞાન અને કેવલદર્શનની ઉત્પત્તિની ઇચ્છાવાળાને પણ આ સમય (કાલ) માં ઉત્પન્ન થાય નહિ, તે આ પ્રમાણે–વારંવાર સ્ત્રીકથા, ભક્તકથા, દશકથા અને રાજકથાને કહેનાર હોય છે ૧, વિવેક-અશુદ્ધિના ત્યાગપૂર્વક કાયોત્સર્ગ વડે સમ્યગૂ રીતે આત્માને ભાવનાર થતા નથી , રાત્રિના પૂર્વભાગ અને પાછળના ભાગરૂપ કાલ (સમય) ને વિષે ધર્મજાગરિકા વડે જાગે નહિં ૩, પ્રાસુક, એષણીય, ઉછ (થોડું થોડું) ભક્તપાનાદિ ગ્રહણરૂપ સામુદાનિકી ભિક્ષાની સારી રીતે ગવેષણા કરે નહિંસ ઉપર્યુક્ત ચાર કારણ વડે સાધુને અથવા સાધ્વીને યાવત્ કેવલજ્ઞાન-દર્શન ઉત્પન્ન થાય નહિં. ચાર કારણ વડે નિગ્રંથો અથવા નિગ્રંથીઓને અતિશેષ-કેવલજ્ઞાન અને કેવલદર્શનની ઇચ્છાવાળાને ઉત્પન્ન થાય, તે આ પ્રમાણે—સ્ત્રીકથા, ભક્તકથા, દેશકથા અને રાજકથાને કહે નહિં ૧, વિવેકપૂર્વક કાયોત્સર્ગ વડે સારી રીતે આત્માને ભાવનાર હોય છે ૨, રાત્રિના પૂર્વભાગ અને પશ્ચિમ ભાગરૂપ કાલ (સમય) માં ધર્મજાગરિકા વડે જાગતા હોય છે ૩ તેમજ પ્રાસુક, એષણીય, ઉછ-થોડું થોડું ભક્તપાનાદિ ગ્રહણરૂપ સામુદાનિકી ભિક્ષાની સારી રીતે ગવેષણા કરનાર હોય છે ૪. ઉપર્યુક્ત ચાર કારણ વડે સાધુને અથવા સાધ્વીઓને યાવત્ કેવલજ્ઞાન-દર્શન ઉત્પન્ન થાય છે. ૨૮૪ (ટીવ) વારિ પુ'ત્યાદિ સુગમ છે, વિશેષ એ કે-કુશ-પાતળું શરીર, તે પૂર્વે અને પછી પણ કૃશ જ અથવા ભાવથી હીન સત્ત્વ [બલ] વગેરેપણાથી કૃશ, વળી શરીરાદિ વડે કૃશ, એવી રીતે દઢ-મજબૂત પણ કૃશથી વિપરીત પણે જાણવો. ૧. પૂર્વ સૂત્રના અર્થથી વિશેષ-શરીર વડે આશ્રિત જ આ બીજું સૂત્ર છે, તેમાં ભાવથી કૃશ વગેરે જાણવું, બીજું સુગમ છે ૨. ચતુર્ભગી વડે કુશના જ્ઞાનોત્પાદને કહે છે–'વત્તારી'ત્યા૦િ સ્પષ્ટ છે. વિશેષ એ કે-વિચિત્ર તપસ્યા વડે ભાવિત કૃશ શરીરવાળાને શુભ પરિણામના સંભવ વડે તજ્ઞાનાવરણ વગેરેના ક્ષયોપશમાદિ ભાવથી જ્ઞાન અને દર્શન, અથવા જ્ઞાનની સાથે દર્શન તે જ્ઞાનદર્શન, તે છમસ્થ સંબંધી જ્ઞાન અથવા કેવલી સંબંધી જ્ઞાન, તે ઉત્પન્ન થાય છે. દઢ શરીરવાળાને થતું નથી કેમ કે અત્યંત મોહ વડે તેને (શરીરને) પુષ્ટ કરેલ હોવાથી તથાવિધ શુભ પરિણામના અંભાવ વડે ક્ષયોપશમાદિનો અભાવ હોય છે, આ પ્રથમ ભંગ. તથા સંઘયણવિશિષ્ટ અલ્પ મોહવાલા દઢ શરીરીને જ જ્ઞાન-દર્શન ઉત્પન્ન થાય છે. કેમ કે સ્વસ્થ શરીર હોવાથી મનની સ્વસ્થતા વડે શુભ પરિણામ ક્ષયોપશમાદિ ભાવ હોય છે પરંતુ કૃશ શરીરવાળાને ચિત્તની અસ્વસ્થતાથી ઉત્પન્ન ન થાય, તે બીજો ભંગ. કૃશ અથવા દઢ શરીરવાળાને જ્ઞાન તથા દર્શન ઉત્પન્ન થાય છે, કારણ કે વિશિષ્ટ સંઘયણ સહિત અલ્પ મોહવાળાને શુભ પરિણામપણાથી બંને રીતે થાય છે પણ કૃશત્વ અને દઢત્વ પ્રત્યે અપેક્ષા નથી, આ ત્રીજો ભંગ. ચોથો ભંગ સ્પષ્ટ છે. મંદ સંઘયણી અને બહુ મોહવાળા કૃશ કે દઢ શરીરીને જ્ઞાન તથા દર્શન ઉત્પન્ન ન થાય. ll૨૮૩ી. હમણાં જ્ઞાનદર્શનનો ઉત્પાદ કહ્યો, હવે તેનો વ્યાઘાત કહેવાય છે– દી' ત્ય૦િ સૂત્ર સ્પષ્ટ છે. વિશેષ એ કેનિગ્રંથીઓનું ગ્રહણ કરવાથી સ્ત્રીઓને પણ કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે, એમ સૂત્રકાર કહે છે. 'મિત્ર'તિ પ્રત્યક્ષની જેમ આ વર્તમાન સમયમાં 'અફસ'ત્તિ શેષ-મત્યાદિ ચાર જ્ઞાન અને રક્ષક વગેરે ત્રણ દર્શનને અતિક્રાંત-અવબોધાદિ સર્વ ગુણો વડે ઉલ્લંઘી ગયેલું અર્થાત્ આગળ વધેલું અને અતિશેષ અતિશયવાળું કેવલજ્ઞાન, કેવલદર્શન. અહિં જ્ઞાનની ઇચ્છાવાળાને પણ ઉત્પન્ન થતું નથી એવો અર્થ જાણવો. જ્ઞાનાદિની રુચિના અભાવથી (વિકથાને) કહેવાના સ્વભાવવાળો, શીલાર્થિક તૂન પ્રત્યય થવાથી ષષ્ઠીને બદલે દ્વિતીયા વિભક્તિ વિરુદ્ધ નથી. ૧, વિવેન–અશુદ્ધિના ત્યાગ વડે વિડસન' તિ કાયાના 354
SR No.005767
Book TitleSthanang Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy