________________
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग १
४ स्थानकाध्ययने उद्देशः २ कथाः २८२ सूत्रम् चारिय चोरा १ भिमरे २, हिय १ मारिय २ संक काउकामा वा । भुत्ताभुत्तोहाणे, करेज्ज वा आससपओग।।१०३।।
[निशीथ भा० १३० त्ति] રાજકથાને કરનાર સાધુઓ જોઈને રાજપુરુષોને શંકા થાય છે, તે આ પ્રમાણે-વેષ બદલાવીને આ ગુપ્તચરો છે અથવા ચોરો છે, અથવા છાની રીતે ઘાત કરનારા છે. આ સ્થલે પહેલાં પણ રાજાના અશ્વરત્નનું હરણ કરેલ હતું અને કોઈકે રાજા કે તેના સ્વજનને મારેલ હતો તેમાંથી તે જ કોઈક છે. અથવા પૂર્વોક્ત કાર્યને કરવા માટે આવેલ છે, આવા પ્રકારની શંકા થાય. વળી રાજકથાને સાંભળનાર ભક્તભોગી દીક્ષિત રાજાને પૂર્વ સુખની સ્મૃતિ થાય તથા અભક્ત ભોગી અન્ય સાધુને નિયાણું કરવાની ઇચ્છા થાય, અથવા દીક્ષાનો ત્યાગ કરે. (૧૦૩).
જે કથા વડે શ્રોતા મોહથી તત્ત્વ પ્રત્યે આકર્ષાય છે તે આપણી ૧, તથા જે કથા વડે શ્રોતા સન્માર્ગમાંથી કુમાર્ગમાં અથવા કુમાર્ગમાંથી સન્માર્ગમાં લઈ જવાય છે તે વિક્ષેપણી ૨, જે કથા સંવેગ-વૈરાગ્યને પ્રગટાવે અથવા જે કથા વડે શ્રોતા સારી રીતે બોધ પામે છે, અથવા શ્રોતાને જે કથા વડે સંવેગ થાય અથવા શ્રોતા સંવેગને પ્રાપ્ત થાય તે સંવેદની અથવા સંવેજની ૩, તેમજ જે કથા વડે સંસાર વગેરેથી શ્રોતા ઉદાસીન કરાય છે તે નિર્વેદની ૪. લોચ અને અસ્નાન વગેરે આચરવાના પ્રકાશ વડે આચારઆક્ષેપણી, એવી રીતે બીજા ભેદોમાં પણ જાણવું. વિશેષ એ કે-કંઈક થયેલ દોષના નિવારણ માટે પ્રાયશ્ચિત્તલક્ષણ જે કથન તે વ્યવહારઆક્ષેપણી, સંશયને પ્રાપ્ત થયેલ શ્રોતાને મધુર વચનો વડે સમજાવવું તે પ્રજ્ઞપ્તિઆક્ષેપણી, શ્રોતાની અપેક્ષાથી નયને અનુસરીને જીવાદિ સૂક્ષ્મભાવનું જે કથન તે દૃષ્ટિઆક્ષેપણી. આ સંબંધમાં બીજા આચાર્યો એમ કહે છે કેઆચાર, વ્યવહાર વગેરે નામથી આચાર વગેરે ગ્રંથો ગ્રહણ કરાય છે. કથાનો આ પ્રમાણે સાર છે– विज्जाचरणं च तवो, पुरिसक्कारो य समिइगुत्तीओ । उवइस्सइ खलुजं सो, कहाए अक्खेवणीय रसो ॥१०४॥
[गच्छाचारपयन्ना, दश० नि० १९५ त्ति] જ્ઞાન, ચારિત્ર, તપ, પુરસ્કાર-વાર્યોત્કર્ષરૂપ અને સમિતિ-ગુમિનો શ્રોતાની અપેક્ષાએ જે ઉપદેશ કરાય છે તે આપણીકથાનો સાર છે. (૧૦૪).
પ્રથમ સ્વસિદ્ધાંત કહે છે અને તેના ગુણોનું વિશેષ સ્વરૂપે પ્રગટ કરે છે, તે કહીને ત્યાર બાદ પરસમયને કહે છે અને તેના દોષોને દેખાડે છે, આ વિક્ષેપણી કથાનો પ્રથમ ભેદ'. એમ જ પરસમયના કથનપૂર્વક સ્વસમયનો સ્થાપનાર-સ્વસમયના ગુણોનું સ્થાપન કરનાર હોય છે, આ બીજો ભેદ. “સમવાય’ મિત્કારિ તેનો અર્થ એ છે કે પરસમયોને વિષે પણ ઘણાક્ષરન્યાય વડે જિનાગમના તત્ત્વને મળતાપણાથી અવિપરીત તત્ત્વોનો વાદ-સમ્યગુવાદ છે, તેને કહે છે. તેટલા પ્રમાણના સમ્યગુવાદને કહીને પરસમયોને વિષે જિનપ્રણીત તત્ત્વોથી વિરુદ્ધ હોવાથી જે મિથ્યાવાદ છે તેના દોષ દેખાડવાપૂર્વક કથન કરે છે, આ ત્રીજો ભેદ. પરસમયોને વિષે મિથ્યાવાદનું કથન કરીને સમ્યગુવાદને સ્થાપનાર હોય છે, આ ચોથો ભેદ. અથવા સમ્યવાદ-અસ્તિપણું, મિથ્યાવાદ-નાસ્તિપણું. તેમાં આસ્તિકવાદીની દષ્ટિઓ (દર્શનો) ને કહીને નાસ્તિકવાદીની દષ્ટિઓને કહે છે તે પ્રકારમંતરે ત્રીજો ભેદ છે અને નાસ્તિકવાદીની દષ્ટિએ દેશના કહીને પછી આસ્તિકવાદીની દૃષ્ટિ કહે છે તે ચોથો ભેદ છે. ઈહલોક-મનુષ્યજન્મના સ્વરૂપનું કથન કરવા વડે સંવેગની તે ઇહલોકસંવેગની, આ સર્વ મનુષ્યપણું અસાર છે, અધુવ છે, 1. पुव्विं ससमयं कहित्ता परसमयं कहेइ, ससमयगुणे दीवेइ, परसमयदोसे उवदंसेइ एसा पढमा। पुव्विं परसमयं कहित्ता तस्सेव दोसे उवदंसित्ता पुणो ससमयं कहेइ गुणे उवदंसेइ एसा बिइया। मिच्छावायं कहित्ता सम्मावायं कहेइ, परसमयं कहित्ता तेसु चेव परसमएसु जे भावा जिणप्पणीएहिं भावेहिं सह विरुद्धा असंता चेव विअप्पिआ ते पुव्विं कहित्ता दोसा य तेसिं भणिऊण पुणो जिणप्पणीय भावसारिसा पुणाक्खरमिव कहवि सोभणा भणिया ते कहेइ, अहवा मिच्छावाओ नत्थित्तं सम्मावाओ अस्थित्तं तत्थ पुव्विं नाहियवाईण दिट्टीओ कहित्ता पच्छा अत्थित्त पक्खवाईणं दिवीओ कहेइ एसा तइया। सम्मावायं कहित्ता मिच्छावायं कहेइ, सोवि एवं चेव नवरं पुव्विं सोभणे कहेइ, पच्छा इयरे त्ति चउत्था। [गच्छाचार पयन्ना]
352