SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १ १ स्थानाध्ययने मोक्षस्वरूपम् १० सूत्रम् પ્રથમ કર્મ અને પછી આત્મા. આ બીજો વિકલ્પ પણ બરોબર નથી; કારણ કે કર્તાનો અભાવ હોવાથી આત્માથી પૂર્વે કર્મની ઉત્પત્તિ ન થાય. ન કરાયેલ કાર્યને કર્મ કહેવું તે પણ ઈષ્ટ નથી. કારણ વિના ઉત્પત્તિનો અકારણથી જ નાશ થાય છે. કર્મ અને જીવનું સાથે ઉત્પન્ન થવું એ ત્રીજો પક્ષ પણ યોગ્ય નથી. કારણના અભાવથી સમકાલે બન્નેની ઉત્પત્તિ છતે જમણાડાબા ગાયના શીંગડાની જેમ, “આ કત્ત, આ કર્મ' આવા પ્રકારનો યોગ્ય વ્યવહાર નહિ થાય. વળી જીવ અને કર્મનો યો આદિ રહિત છે; એ બીજા (અનાદિ) પક્ષનો સ્વીકાર કરવાથી આત્મા અને કર્મનો વિયોગ નહિ થાય. કારણ? અનાદિપણું હોવાથી જ આત્મા અને આકાશના સંયોગની માફક. અહિં સમાધાન કરે છે–આદિમાનું સંયોગ પક્ષના દોષો, અમારા વડે આદિમાન્ પક્ષ ન સ્વીકારવાથી જ નિષેધ કરાયેલ છે; અને અનાદિ જીવ-કર્મના યોગને વિષે અનાદિપણું હોવાથી જીવકર્મનો વિયોગ નહિં થાય એમ તમે કહેલું તે અયુક્ત છે; કેમ કે સંયોગનું અનાદિપણું છતે પણ સુવર્ણ અને પત્થર (માટી)ની જેમ વિયોગની ઉપલબ્ધિ થાય છે-જણાય છે. ભાષ્યકાર કહે છેजह वेह कंचणोवलसंजोगोऽणाइसंतइगओवि । वोच्छिज्जइ सोवायं, तह जोगो जीवकम्माणं ॥६६॥ [विशेषावश्यक० १८१९ त्ति] જેમ કાંચન અને ઉપલનો (પત્થરનો) અનાદિકાલનો ચાલ્યો આવેલ સંયોગ પણ, ઉપાય (અગ્નિતાપાદિ)થી નાશ પામે છે તેમ જીવ અને કર્મનો સંયોગ (તપ સંયમાદિથી) નાશ પામે છે (૬૬). તેમ બીજ અને અંકુરની પરંપરાની જેમ અનાદિ સંતાનનો નાશ દેખાય છે. ભાષ્યકાર કહે છે કેअन्नतरमणिव्वत्तियकज्जं बीयंकुराण जं विहयं । तत्थ हओ संताणो, कुक्कुडिअंडाइयाणं च ।।६७।। [विशेषावश्यक० १८१८ त्ति] જેમ બીજ અને અંકુરમાંથી કોઈપણ એક વસ્તુ, કાર્યને ઉત્પન્ન કર્યા સિવાય નાશ પામે તો તેમાં (બીજ-અંકુરમાં) સંતાનનો નાશ થાય છે. તેમજ કુકડીને ઈડું, અને પુત્ર ને પિતા વગેરેમાં પણ સમજવું (૬૭). Iો. અનાદિ બંધનો સદ્ભાવ છતે પણ કોઈક ભવ્યાત્માનો મોક્ષ થાય છે, માટે હવે મોક્ષનું સ્વરૂપ કહે છે—'ને નોર્વે' મૂકાવવું-કર્મપાશથી છૂટવું તે આત્માનો મોક્ષ. વાચકવર્ય ઉમાસ્વાતિ કહે છે કે"ત્નકર્મક્ષયાન્મોક્ષા" સર્વ કર્મનો ક્ષય થવાથી મોક્ષ થાય છે. તે મોક્ષ એક છે. જ્ઞાનાવરણીયાદિ કર્મની અપેક્ષાએ આઠ પ્રકારે છે તો પણ મૂકાવવાના સમાનપણાથી, અથવા મુક્ત (આત્મા)નો ફરી મોક્ષનો અભાવ હોવાથી, અથવા ઈષપ્રાગુભારા નામે પૃથ્વીરૂપ ક્ષેત્રલક્ષણ તે દ્રવ્યાર્થપણાએ એક છે. અથવા દ્રવ્યથી મોક્ષ-બેડી વગેરેથી છૂટવું, ભાવથી મોક્ષ-કર્મથી છૂટવું તે બન્નેમાં છૂટવાનું સમાનપણું હોવાથી મોક્ષ એક છે. શંકા–જીવ અને કર્મનો સંયોગ અંતરહિત છે, કારણ કે જીવ ને આકાશના સંયોગની જેમ અનાદિ છે તો કર્મના વિયોગરૂપ મોક્ષ હોવાથી જીવને મોક્ષ કેમ સંભવે? સમાધાન–અનાદિત હેત અનેકાન્તિક છે. ધાત (સવર્ણ સિવાય) અને કાંચનનો સંયોગ (માટી અને સુવર્ણનો) અનાદિ છે, તે પણ ક્રિયા (તાપાદિ) વિશેષથી અંત સહિત દેખાય છે અર્થાત્ તેનો વિયોગ થાય છે. એ પ્રમાણે આ જીવ અને કર્મનો સંયોગ પણ (અનાદિ છતાં) સમ્યગુ દર્શન, જ્ઞાન અને ચારિત્ર વડે અંત સહિત થશે. જીવ અને કર્મનો વિયોગ તે મોક્ષ કહેવાય છે. શંકા-નારક વગેરે પયયસ્વરૂપ સંસાર છે, બીજો સંસાર નથી, તે નારકાદિ પર્યાયોથી જૂદો કોઈ જીવ જ નથી, નારકાદિ પર્યાયો જ જીવ છે; કારણ કે તેનો એક જ અર્થ હોવાથી સંસારનો અભાવ છતે નારકાદિ પર્યાયસ્વરૂપની જેમ જીવનો અભાવ જ છે. અર્થાત્ નારકાદિ પર્યાયસ્વરૂપ સંસારનો અભાવ છતે જીવનો અભાવ છે માટે મોક્ષ અસત્ પદાર્થ છે. ભાષ્યકાર કહે છે– जं नारगादिभावो, संसारो नारगाइभित्रो य । को जीवो तं मन्त्रसि?, तन्नासे जीवनासो त्ति ॥६८॥ 1. આ ગાથા વિશેષાવશ્યક ભાષ્યમાં ૧૯૭૮મી છે, પ્રભાસ ગણધરને ઉદ્દેશીને કહેવાયેલ છે. 24
SR No.005767
Book TitleSthanang Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy