________________
१ स्थानाध्ययने बंधस्वरूपम् ९ सूत्रम्
श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १ તે આ પ્રમાણે—અહિં ગતિ અને સ્થિતિ, સર્વ લોકોને પ્રસિદ્ધ કાર્ય છે. પરિણામી (કર્તા)ના અપેક્ષા કારણને આધીન આત્મલાભરૂપી કાર્ય વર્તે છે. ઘટાદિ કાર્યોમાં તે પ્રમાણે દેખાય છે. વળી માટીનો પિંડ છતે પણ દિશા, દેશ, કાલ, આકાશ અને પ્રકાશાદિ અપેક્ષા કારણ સિાંય ઘટ થતો નથી. જો થાય તો માટીના પિંડ માત્રથી જ કાર્ય થાય, પરંતુ તેમ થતું નથી. જીવ અને પુદ્ગલમાં પરિણામ કારણપણું રહેતે છતે અપેક્ષા કારણ વિના ગતિ અને સ્થિતિ બન્ને ય થવાને યોગ્ય નથી અને ગતિ તેમજ સ્થિતિપણું તો દેખાય છે. આ કારણથી તે બન્નેની સત્તા જણાય છે. જે અપેક્ષા કારણ છે તે ધર્મ અને અધર્મ છે. આ તાત્પર્ય છે. ગતિપરિણામને પામેલા જીવને પુદ્ગલોને જે ગતિમાં સહાયક તે ધર્માસ્તિકાય. માછલાઓને જેમ જલ ગતિમાં સહાયક છે તેમ. તથા સ્થિતિપરિણામને પામેલા (જીવ, પુદ્ગલો)ને માછલા વગેરેને પૃથિવીની જેમ સ્થિતિમાં સહાયક થાય તે અધર્માસ્તિકાય. અથવા વિવક્ષા વડે જલ. અહિં આ 'અનુમાન છે–ગતિ ને સ્થિતિ, કાર્ય હોવાથી ઘટની માફક અપેક્ષા કારણવાળી છે. ત્રણ લોકમાં જે પોલાણ અથવા અભાવ એ વિપક્ષ દૃષ્ટાંત છે. વળી કંઈક વિશેષ અલોકનો સ્વીકાર કર્યો છતે લોકના પરિમાણને કરનારા ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય વડે બન્નેનો સ્વીકાર અવશ્ય થવો જોઈએ. જો સ્વીકાર નહિં કરવામાં આવે તો આકાશનું સમતોલપણું છતે લોક અથવા અલોક એવો ભેદ નહિં રહે. તેમજ કેવલ આકાશ છતે ગતિવાળા જીવો અને પુદ્ગલોને પ્રતિઘાત (અટકાવ) નો અભાવ હોવાથી કોઈ ચોક્કસ સ્થાન નહિં રહે; કારણ કે સંબંધના અભાવથી સુખ, દુઃખ અને બંધ વગેરેનો સંવ્યવહાર નહિં થાય. કહ્યું છે કે—
તદ્દા ધમ્માઽધમ્મા, તો વરિષ્ઠેયારિનો નુત્તા / ફદરાડડસે તુì, નોોડનોોત્તિ જો મેઓ? ।।૬૪|| लोगविभागाभावे, पडिघाताभावओऽणवत्थाओ । संववहाराभावो, संबंधाभावओ होज्जा ॥ ६५।।
[વિશેષાવશ્ય૦ ૧૮૧૨-૧૩ ]
ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય એ બે દ્રવ્યો લોકના નિયામક છે. અન્યથા સર્વત્ર આકાશ દ્રવ્યની હયાતી તુલ્ય હોવાથી ‘આ લોક છે. આ અલોક છે' એવો ભેદ ક્યાંથી થાય? લોક વિભાગના અભાવે પ્રતિઘાતના અભાવથી ગતિ અને અવસ્થાન ન થાય અને એથી સંબંધનો જ અભાવ થવાથી બંધ મોક્ષાદિ વ્યવહારનો સર્વથા અભાવ થાય.(૬૪-૬૫) I૭–૮
ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય વડે ઉપકાર કરાયેલ જે લોકવર્તી સંસારી જીવ, દંડ સહિત અને સક્રિય છે તે કર્મ વડે બંધાય છે; માટે હવે બંધનું નિરૂપણ કરવામાં આવે છે—'ણે વંધે' બંધાવું તે બંધ. કષાય સહિત હોવાથી જીવ, જે કર્મને યોગ્ય પુદ્ગલોને ગ્રહણ કરે છે તે બંધ એવો તાત્પર્ય છે. તે બંધ પ્રકૃતિ, સ્થિતિ, પ્રદેશ અને અનુભાવના ભેદથી ચાર પ્રકારે છે તો પણ બંધનું સમાનપણું? હોવાથી એક બંધ છે. અથવા મુક્ત થયેલને ફરી બંધનો અભાવ હોવાથી એક બંધ છે. વળી દ્રવ્યથી બંધ બેડી વગે૨ે, ભાવથી કર્મ વડે બંધ, તે દ્રવ્ય અને ભાવ બંધમાં બંધનનું સમાનપણું હોવાથી એક બંધ છે. શંકા–જો તમને જીવ–કર્મનો સંયોગ તે બંધ ઇચ્છિત છે તો તે આદિમાનૢ કે આદિરહિત છે? એમ બે વિકલ્પ થાય છે. તેમાં જો આદિમાન્ પક્ષ સ્વીકારશો તો શું પહેલો આત્મા અને પછી કર્મ? અથવા પહેલાં કર્મ અને પછી આત્મા? અથવા કર્મ અને આત્મા બન્ને સાથે ઉત્પન્ન થાય છે? આ ત્રણ વિકલ્પ થાય છે. તેમાં ગધેડાના શીંગડાની માફક હેતુનો અભાવ હોવાથી આત્માની ઉત્પત્તિ પ્રથમ સંભવતી નથી, કારણ સિવાય ઉત્પન્ન થયેલ (વસ્તુ)નો અકારણથી જ નાશ થાય. વળી વાદી કહે છે–અનાદિ જ આત્મા છે તો પણ કારણનો અભાવ હોવાથી આકાશની માફક આત્માનો કર્મ સાથે યોગ ઘટમાન નહિ થાય. જો કારણ સિવાય પણ કર્મ સાથે યોગ થાય તો મુક્ત જીવને પણ કર્મનો યોગ થવો જોઈએ. જો આ આત્મા નિત્ય મુક્ત જ છે તો મોક્ષની જિજ્ઞાસા વડે શું? અર્થાત્ મોક્ષની જિજ્ઞાસા જ ન હોય અને બંધનો અભાવ છતે મુક્તના કથનનો આકાશની માફક અભાવ જ થાય અર્થાત્ ‘આ મુક્ત છે' એમ કહી શકાશે નહિ.
1. પ્રત્યક્ષ પ્રમાણથી ગતિ, સ્થિતિ સિદ્ધ કરીને હવે અનુમાન પ્રમાણથી સિદ્ધ કરે છે. 2. દંડાદિ સહિતની અપેક્ષાએ. 3. સંસારીજીવોની અપેક્ષાએ. 4. આ ત્રણ વિકલ્પ આદિમાન્ પક્ષમાં જ કરેલ છે. 5. અહિં પ્રથમ વિકલ્પ કહ્યો.
23